Logo image

એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે;

 ૨૨૯૩ ૧/૧ પદ: ૧ રાગ ગરબી

 
એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે;
સત્ય કહું છું હૃદય તપાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
દ્રષ્ટાંતે કહી સમજાવું રે પુ. મારું રૂપ અલૌકિક આવું રે .  પુ. ૧
જેમ ગગનમંડળમાં પંખી રે, પુ. ઉડે દેહ સહિત અસંખી રે.  પુ. ૨
વાદળ ને વિદ્યુત વારિ રે, પુ. સૌ આકૃતિ ન્યારી ન્યારી રે.  પુ. ૩
સૌ થિર એ શૂન્ય માંઇ થાયે રે, પુ. જેમ હીમે નીર ઝમાય રે.  પુ. ૪
અક્ષર તે અંબર સ્થાને રે, પુ. માયા શૂન્યને અનુમાને રે .  પુ. ૫
પંખી તે પુરુષ અપારા રે, પુ. અષ્ટાવ્રણ દેહાકારા રે .  પુ. ૬
મહા વિષ્ણુ વાદલ ડોલે રે, પુ. બહુ મુક્ત વીજળી તોલે રે . પુ. ૭
સ્થિર અસ્થિર ગતિયું થાય રે, પુ. તે કાળ શક્તિયું કેવાય રે.  પુ. ૮
નિરગુણને સગુણ લખાય રે, પુ. તે અક્ષરને કેવાય રે.  પુ. ૯
સ્વે સદા સ્વતંત્ર શોભે રે, પુ. કાળે કરી માયા ક્ષોભે રે.  પુ. ૧૦
જ્યારે અનંત બ્રહ્માંડ કરે છે રે, પુ. ત્યારે સગુન સ્વરૂપ ધરે છે રે .  પુ. ૧૧
મહા વિષ્ણુ આદિ કોટી રે, પુ. રહે રોમ મહા કૃતિ મોટી રે.  પુ. ૧૨
જ્યારે લય કરી થિર રે'છે રે, પુ. ત્યારે નિર્ગુણ એને જ કે'છે રે.  પુ. ૧૩
જેમ હું એમાં દ્રઢ રહું છું રે, પુ. તેમ સમજાવીને કહું છું રે.  પુ. ૧૪
જેમ શબ્દ રહે નભ ભીતર રે, પુ. સદા એક અનેક સ્વતંતર રે. પુ. ૧૫
ભીન ભીન આકાશ રચાણો રે, પુ.ત્યારે શબ્દ ભિન્નતા જાણો રે .  પુ. ૧૬
અક્ષર શક્તિ અનુસારી રે, પુ.બ્રહ્માંડ પ્રત્યે છબી મારી રે.  પુ. ૧૭
બહુ અક્ષર કલા વિસ્તારે રે, પુ. ધરું અનંત મૂર્તિ ત્યારે રે.  પુ. ૧૮
જ્યારે લીન અક્ષર મુંમાંહી રે , પુ. શોભે એક રૂપ સદાઇ રે .  પુ. ૧૯
બ્રહ્માનંદ કહે જેમ સમજાણું રે, પુ. આ પદમાં તેમ લખાણું રે .  પુ. ૨૦

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
જગત, સૃષ્ટિ, વિશ્વ, દુનિયા
વિવેચન:
આસ્વાદ : સ્વામિનારાયણ સંપ્રદાય અભિમત પરબ્રહ્મના દિવ્ય ધામને ‘અક્ષરબ્રહ્મ’ અથવા ‘અક્ષરધામ’કહે છે. એ પરમાત્માની ચિત્ત્તશક્તિ છે. એ ‘કોટિ કોટિ સૂર્ય ચંદ્ર સરખું તેજોમય’ છે.’૧(વચનામૃત ગ.પ્ર. પ્ર. ૭૧) તે દિવ્ય છે અને અત્યંત શ્વેત તથા સચ્ચિદાનંદરૂપ છે. અક્ષરના બે સ્વરૂપ છે: એક તો નિરાકાર એકરસ ચૈતન્ય જેને ‘ચિદાકાશ’ તથા ‘બ્રહ્યામહોલ’ કહે છે. એ અક્ષર બીજે સ્વરૂપે પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે, એ અક્ષરનું સાકાર સ્વરૂપ છે.૨(વચનામૃત – ગ. પ્ર. પ્ર. ૨૧) ભગવાન સ્વમિનારાયણે પોતાના સ્વરૂપ તથા અક્ષરબ્રહ્મ વિષે કેટલીક રહસ્યમય વાતો પોતાના અંતેવાસી સ્રહદયી સંતોને કહેલી, એને બ્રહ્માબોલના સંતકવિ બ્રહ્માનંદે કાવ્યમાં ગૂંથી આ એકલિયું પદ રચ્યું છે. કાવ્યનો ઉપાડ આકર્ષક છે: “એક વાત સૂણો ગઢપુરવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. સત્ય કહું છું હૃદય તપાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. દ્રષ્ટાંતે કહી સમજાવું રે, મારું રૂપ અલૌકિક આવું રે. ભગવાન પુરુષોત્તમનારાયણ સ્વયં પોતાનું સર્વોપરી અલૌકિક સ્વરૂપ દ્રષ્ટાંત સહિત સમજાવતા કહે છે’ આકાશમાં અસંખ્ય પંખીઓ ઊડે છે, તથા આકાશમાં ‘વાદળ ને વિદ્યુત વારિ ‘ વગેરે અલગ અલગ આકારો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આખરે તો જેમ હિમ પડે અને પૃથ્વી ઉપર જલબિંદુ છવાઈ જાય એમ આ બધાં ય આકારો અંતે તો શૂન્યમાં જ સમાઈ જાય છે. હવે સુંદર ઉપમા રજુ કરતા પ્રભુ આગળ સમજાવે છે:‘અક્ષર એ અંબર સ્થાને રે, માયા શૂન્યને અનુમાને રે,પંખી તે પુરુષ અપારા રે, અષ્ટાવરણ દેહાકારા રે .” અક્ષરને આકાશ સાથે માયાને શૂન્ય સાથે તથા મુળ પુરુષને પંખી સાથે અને મહાવિષ્ણુ (પ્રધાનપુરુષ) ને વાદળ સાથે સરખાવતા કવિ સ્થિર અને અસ્થિર ગતિઓને પરમાત્માની કાળશક્તિ ગણાવે છે. માયા, મહાવિષ્ણુ, મૂળપુરુષ એ સર્વ અક્ષરમાં લીન રહે છે ત્યારે એક અક્ષરબ્રહ્મ જ દેખાય છે. આ અક્ષરબ્રહ્મનાં બે સ્વરૂપ છે. એક નિર્ગુણ નિરાકાર અને બીજું સગુણ સાકાર સ્વરૂપ.જયારે કાળની માયા ક્ષોભને પામે છે. ત્યારે અનંત બ્રહ્માંડની ઉત્પતિ થાય છે, એને અક્ષરનું સગુણ સવરૂપ કહે છે: “જયારે અનંત બ્રહ્માંડ કરે રે, ત્યારે સગુણ સ્વરૂપ ધરે રે, મહાવિષ્ણુ આદિ કોટી રે, રહે રોમ મહાકૃતિ મોટી .” અને પ્રલયકાળે અને સર્વ અનંતકોટી મહાવિષ્ણુ બ્રહ્માંડે સહિત અક્ષરમાં લીનતા પામે ત્યારે એ અક્ષર નિર્ગુણ કહેવાય છે પછી એ અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ પરમાત્મામાં લીન થાય છે ત્યારે એક પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મામાં લીન થાય છે ત્યારે એક પરમાત્મા એકલા જ રહે છે. આવા અનંત શક્તિધર અક્ષરધામમાં પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ ભગવાન સ્વામિનારાયણ સદાય દિવ્ય સાકાર સ્વરૂપે બિરાજે છે. પોતાના સ્વરૂપ અંગે ગૂઢતમ રહસ્યને સમજાવતાં શ્રીહરિ કહે છે; “જેમ હું એમાં દ્રઢ રહું છું રે, તેને સમજાવીને કહું છું રે. જેમ શબ્દ રહે નભ ભીતર રે, સદા એક અનેક સ્વતંતર રે . ભિન ભિન આકાશ રચાણો રે, ત્યારે શબ્દ ભિન્નતા જાણો રે. અક્ષર શક્તિ અનુસારી રે, બ્રહ્માંડ પ્રત્યે છબી મારી રે. બહુ અક્ષર કળા વિસ્તારે રે, ધરું અનંત મૂર્તિ ત્યારે રે. જયારે લીન અક્ષર મુંમાંહી રે, શોભે એકરૂપ સાદાઈ રે.” આકાશ વ્યાપતો શબ્દ અનેક રૂપે સંભળાય છે પણ વસ્તુત: તો શબ્દ એક જ છે એમ પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંતકોટિ બ્રહ્માંડ અને બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિષે અન્વયપણે વ્યાપી રહેલા પરમાત્મા (વચનામૃત- ગ. પ્ર પ્ર ૬૩) પોતાની શક્તિએ ભિન્ન ભિન્ન સ્વરૂપે તારતમ્યતાએ જણાય છે. નામ, રૂપ, ગુણ, સામર્થ્યે ભિન્ન ભિન્ન દેખાતા પરમાત્મા વસ્તુત: તો એક જ છે. અક્ષરબ્રહ્મ જયારે અનંત કળા ધરે છે ત્યારે પુરુષોત્તમ ભગવાન પણ ‘અનંત મૂર્તિ ‘ ધરે છે. અક્ષર જેટલા રૂપે થાય છે તેટલા રૂપે પુરુષોત્તમ પણ થાય છે અને અક્ષર જયારે પુરુષોત્તમને વિષે લીન થાય છે ત્યારે કેવળ પુરુષોત્તમ એકરૂપ રહે છે. આમ એક પરમાત્મા પોતાની દિવ્ય શક્તિથી સૃષ્ટિમાં વ્યાપીને રહ્યા છે. આવા અક્ષરધામના અધિપતિ દયાભાવથી જીવોના કલ્યાણાર્થે પૃથ્વી પર પ્રગટ થઇ સર્વજનોને નયનગોચર વર્તે છે. આ પદની સમજણ સ્વયં શ્રીજીમહારાજે પ્રમાણિત કરી છે, તેથી સંપ્રદાયમાં આ પદનો ઘણો મહિમા છે.
ઉત્પત્તિ:
સં. ૧૮૬૭ની આ વાત છે. એ વખતે ગઢપુરમાં બાપુ જીવા ખાચરની ડેલી આગળ સાધુઓની ધર્મશાળા હતી.*( ગોપીનાથજીના મંદિરના ઉત્તર તરફનાં જે પગથિયાં છે તેની સામે આ ધર્મશાળા હતી.) ત્યાં સ. ગુ. મુક્તાનંદ સ્વામી તથા સ.ગુ. બ્રહ્માનંદ સ્વામી રહેતા હતા. એક દિવસ શ્રીજીમહારાજ અચાનક અક્ષર ઓરડીમાંથી નીકળી સીધા સાધુની ધર્મશાળામાં પધાર્યા. મહારાજ પધાર્યા એટલે બધાં સંતો ત્યાં એકદમ ભેગા થઇ ગયા. મહારાજ માટે આસન કર્યું અને મહારાજ તે ઉપર બિરાજ્યા. સ.ગ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પરમાનંદ સ્વામી વગેરે સંતમંડળ મહારાજની સન્મુખ બેસી ગયું. મહારાજે તેમને કહ્યું:’ સંતો ! અમે અહીં તમને એક રહસ્યની‌ વાત કરવા આવ્યા છીએ. તે તમને બરાબર સમજાશે ત્યારે તમને અમારા સ્વરૂપનો, અમારું જે અક્ષરધામ તેનો તથા અમારા મહિમાનો યથાર્થ ખ્યાલ આવશે. તેમ જ સર્વોપરી પ્રાપ્તિનો આનંદ આવશે અને ત્યારે જ તમે સત્સંગમાં સ્થિર થઈને રહી શકશો.” આ સાંભળી સંતો બોલ્યા: “તો મહારાજ! જલ્દી વાત કરી અમારી આતુરતાનો અંત લાવો.” મહારાજ સંતોની જીજ્ઞાસાવૃત્તિ જોઈ પ્રસન્ન થયા. તેમણે પછી ધીરેથી સૌના સામું જોતાં જોતાં વાત શરૂ કરી: “સંતો ! અમારું જે અક્ષરધામ છે તેના સગુણ અને નિર્ગુણ બે સ્વરૂપો છે. તે જયારે સગુણ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે અનંત બ્રહ્માંડોની ઉત્પતિ થાય છે. તેમના સગુણ સ્વરૂપના એક એક રોમમાં એક વાત સૂણો ગઢપુરવાસી અનંત કોટિ મહાવિષ્ણુ અણુવત્‌ દેખાય છે. જ્યારે નિર્ગુણ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સમગ્ર બ્રહ્માંડોનો લય કરી દે છે. તે ધામમાં, જેમ આકાશમાં શબ્દ રહે છે એમ અમે રહેલા છીએ. અર્થાત્‌ જેમ આકાશમાં વ્યાપતો શબ્દ અનેક રૂપે સંભળાય છે તેમ અક્ષરધામમાં રહ્યા થકા અમે અમારી અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ તથા અનંતકોટિ બ્રહ્માંડ અને એ બ્રહ્માંડોના ઈશ્વર એ સર્વમાં અન્વયપણે તારતમ્યતાએ રહેલા છીએ. ઉત્પતિ સર્ગમાં અક્ષર પોતાની કળા વિસ્તારે છે ત્યારે અમે પણ આનંદ મૂર્તિ ધરીને બ્રહ્માંડોમાં પ્રગટ થઈએ છીએ. છતાં અક્ષરને પણ લીન કરી અમે સ્વતંત્ર રીતે પણ રહ્યા છીએ.” આટલું કહી મહારાજ અટક્યા. સંતોને આ વાત કેટલી સમજાણી તે જોવા સૌના સામું જોયું. સૌ એકચિત્તે મહારાજની વાત સાંભળી રહ્યા હતા. મહારાજે આગળ વાત કરતાં કહ્યું: “ આ વાત સમજાવી ઘણી જ કઠણ છે. પરંતુ દ્રષ્ટાંત સાથે તમને સમજાવું છું.” એમ કહી મહારાજ બોલ્યા: “જેમ આકાશમાં અસંખ્ય પંખીઓ ઉડે છે, વળી વાદળા પણ રહે છે, વીજળી પણ રહે છે અને પાણી પણ રહે છે. આ બધાયનો આધાર આકાશ છે, એ આકાશના ગહન ઊંડાણમાં, શૂન્યભાવમાં આ સર્વ આકૃતિઓ સ્થિર થઈને રહી છે. જેમ હિમ પડે અને પૃથ્વી ઉપર જલબિંદુ સ્થિર થઇ જાય તેમ! આકાશ એ અક્ષરને ઠેકાણે છે, શૂન્ય છે તે મહામાયા છે તે અક્ષરમાં લીન થઈને રહે છે. અનંત પંખીઓ અષ્ટવરણેયુક્ત અનંત પુરુષના સ્વરૂપે છે. વાદળ એ મહાવિષ્ણુ સ્વરૂપે છે અને મુકતો વીજળી રૂપે છે. આકાશમાં દેખાતી સ્થિર અને અસ્થિર ગતિ એ કાળના પ્રવાહનું સૂચક છે.” મહારાજે આમ રૂપક દ્વારા પોતાનું સ્વરૂપ તથા મહિમા સમજાવ્યો. પણ વાત અતિ ગહન હોવાથી યથાર્થ સમજવી દુષ્કર છે. જ્ઞાન ચર્ચાને અંતે મહારાજ કહે: “આજે વાતો તો બહુ જ ભારે થઇ, પણ તે સ્મૃતિમાં રહેશે નહિ.” પછી બ્રહમાનંદ સ્વામી તરફ જોઇને મહારાજ બોલ્યા : “સ્વામી ! આ વાત તમે કીર્તનમાં ઉતારી લ્યો. કારણ કે એ વાત સમજણના અંગની છે.” આમ કહી મહારાજ ત્યાંથી દાદા ખાચરના દરબારમાં પધાર્યા. સ.ગુ. બ્રહ્માનંદ સ્વામીનું અંગ સમજણનું હતું.૧(વચનામૃત –ગઢડા પ્ર. પ્ર . ૩૩) અને તેથી બ્રહ્મમુનિએ તત્કાળ શ્રીજીઆજ્ઞા શિરે ચડાવી શ્રીહરિએ કરેલા સમગ્ર જ્ઞાન રહસ્યને એક જ કીર્તનમાં સમાવી લેતું એક એકલિયું પદ; એક વાત સૂણો ગઢપુરવાસી રે’ રચી સ.ગુ. મુક્તાનંદ સ્વામીને વંચાવ્યું. જ્ઞાનપ્રધાન કવિ સ. ગુ. મુક્તાનંદ સ્વામી એ પદ વાંચી અત્યંત પ્રસન્ન થઇ ગયા અને સાંજની સભામાં એમણે પોતે જ બ્રહાનંદ સ્વામીનું એ પદ શ્રીજીમહારાજ પાસે ગાયું.”૨(સ. ગુ. શ્રી આત્માનંદ સ્વામીની વાતો (વાત -૧૫૩)) સભામાં શ્રીજીમહારાજ એ પદ સાંભળી અત્યંત પ્રસન્ન થઇ બોલી ઉઠ્યા: “ અહો ! આ તો બહુ ઉત્તમ કીર્તન થયું. આમાં તો અમારી વાતોનો સમસ્ત સાર આવી ગયો. આના ખરડા કરાવી અમને આપજો, પછી અમારે જેને આપવા ઘટે તેને આપીશું.” કવીશ્વર દલપતરામ પોતાની નોંધપોથીમાં લખે છે કે “ એ વખતે સંતહરિભકતોમાં આ કીર્તન ‘સ.ગુ. બ્રહામંદ સ્વામીની પુરુષોત્તમપણાની સમજણનું કીર્તન’ એવા નામે ઓળખાતું હતું.૩(શ્રી બ્રહ્મસંહિતા પ્ર ૪ અ.૯ .) સ.ગુ. પરમાનંદ સ્વામીએ પણ આ પ્રસંગે શ્રીહરિના આ ગહન જ્ઞાન રહસ્યને સદ્રષ્ટાંત સમાવી લેતાં ‘રે પુરુષોત્તમ બોલ્યા.. પ્રીતે, કહું છું સર્વે સાંભળો એક ચિત્તે’થી પ્રારંભાતી ચાર ગરબીની એક ચોસર રચી હતી.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025