મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી;૧/૪

 મન મોહ ટળે (૨) રામ મળે નિર્મળ હરિજનના સંગથી;
	ઉર ગ્રંથી ગળે (૨) અવિદ્યાનાં આવરણ સર્વે નાસે અંગથી...ટેક.
નિત્ય સંત સભામાંહી રામ રટે, સુનતેં વિષ વ્યાધિ ઉપાધિ ઘટે;
	મન શુદ્ધ હોયે અહંભાવ મટે...મન૦ ૧
જે સંત સભામહીં ચલી આવે, તેનું જીવપણું તતક્ષણ જાવે;
	તે બ્રહ્મ થઈને પરબ્રહ્મ ગાવે...મન૦ ૨
દુબધા દિલ માયા પાસ દહે, નિત્ય સંતસભા મહીં રામ રહે;
	એમ વેદ પુરાન કુરાન કહે...મન૦ ૩
જેને ગ્રંથી ત્રણ જડમૂળ ગઈ, સત્ય પદમાં કીધો વાસ સઈ;
	બ્રહ્માનંદ કે’ તેની શરણ લઈ...મન૦ ૪ 
 

મૂળ પદ

મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી;

મળતા રાગ

સોરઠ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરજ રાધનપુરા
સારંગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
1