Logo image

દાટયો રે’ને ચોર દૈવના, શું મુખ લઈને બોલેજી;

 દાટયો રે’ને ચોર દૈવના, શું મુખ લઈને બોલેજી;
	સ્વારથ કારણ શ્વાનતણી પેરે, ઘેર ઘેર ફરતો ડોલેજી...૧
આતમ સાધન કાંઈ ન કીધું, માયામાં ભરમાણોજી;
	લોક કુટુંબની લાજે લાગ્યો, સઘળેથી લૂંટાણોજી...૨
પેટને અર્થે પાપ કરતાં, પાછું ફરી નવ જોયુંજી;
	કોડી બદલે ગાફલ કુબુદ્ધિ, રામ રતન ધન ખોયુંજી...૩
વિષય વિકાર હૈયામાં ધાર્યા, વિસાર્યા મોરારીજી;
	મૂરખ તેં આમે દસ મહિના, જનની ભારે મારીજી...૪
સંત પુરુષની સોબત ન ગમે, ભાંડ ભવાઈમાં રાજીજી;
	બ્રહ્માનંદ કહે નરતન પામી, હાર્યો જીતી બાજીજી...૫ 
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
સંબોધન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
નિમ્ન કક્ષા
વિવેચન:
ભાવાર્થઃ- સ્પષ્ટવક્તા સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામી રાગી પુરુષોના મોહ ઉપર મજબૂત ફટકા મારતા હોય તેમ કહેવા લાગ્યા કે, હે દૈવના ચોર ! દાટ્યો રહે જમીનમાં. શું મુખ લઈને બોલે છે ? ગર્ભમાં અત્યંત પીડાતો હતો ત્યારે એ કારાવાસમાંથી બહાર નીકળવા માટે પ્રભુને પ્રાર્થના કરતો હતો. ‘હે પ્રભુ ! હું તમારું જ ભજન કરીશ.’ આવો કોલ આપી જામીન ઉપર છુટ્યો હોવા છતાંય એ કોલ અને દુઃખને ભૂલી સૂંદરીના સુખની પાછળ શું પડ્યો છે ? એટલે તુંને દૈવના ચોર કહીને કહું છું કે તું બોલમા. હે મૂઢ જીવાત્મા ! સ્વાર્થને ખાતર કૂતરાની પેઠે વિષયનાં વલખાં મારતો ઘર-ઘર શા માટે ડોલી રહ્યો છે ? અર્થાત્ વિષયની ભીખ માગતો અવનવા રૂપની પાછળ શા માટે પાગલ બન્યો છે? તું જે માયાનાં સુખમાં ભરમાણો છે એ સુખ તો નાશવંત અને તુચ્છ છે. એવા અસાર સુખને મેળવવામાં સારીયે જિંદગી ખોવાઈ ગઈ. એટલું જ નહીં પરંતુ કેટલાક જનમ પણ ખોયા તો પણ વિષય સુખની તૃપ્તિ ન થઈ. તેમ આત્માની શાંતિ માટે આધ્યાત્મિક સાધન એક પણ ન થઈ શક્યું. કેવળ લોક અને કુટુંબની લાજમાં લેવાઈ જઈ અવસ્થા, શક્તિ અને સમય જેવાં અમૂલ્ય રત્નો લૂંટાઈ ગયા. છતાં હજુ સમજતો નથી. II૧-૨II ‘પાપી પેટને ખાતર પાપ કરવામાં પાછું વળી નવ જોયું.’ ફૂટી કોડી જેવા પંચવિષયના સુખને બદલે, હે ગાફેલ ! હે કુબુદ્ધિવાળા! ભગવાન જેવું અણમૂલુ રતન તેં ખોઈ નાખ્યું. II૩II એક મોટી કોઠીમાં સરસવના દાણા સમાય એથી અનંતગણા અધિક વિષયસુખના સંકલ્પો હૈયામાં ભર્યા છે. તેણે કરી અહર્નિશ વિષયનું જ ચિંતવન થાય છે. એમાં ભગવાન ક્યાંથી સાંભરે ? સ્વામી કેવળ(મૂળી) પર્ણકુટિમાં પોતાની સામે બેઠેલા ચારણી મિજમાનોમાંના રાગી પુરુષોને જ કહે છે એમ નથી. એ તો જે ભગવાનને ભૂલીને નાશવંત પંચવિષયનાં સુખમાં સલવાણા એવા તમામ મૂઢ જીવોને પણ કહે છે. જીવાત્માનાં શ્રેય અને પ્રેયને દ્રષ્ટિમાં રાખી સાચા હેતસ્વી બની લાગણી વિવશ બનેલા સ્વામીની કલમ હવે થોડી આકરી થાય છે. સ્વામી કહે છે કે હે મૂર્ખા ! ગર્ભમાં દીધેલા કોલને તારે ભૂલી જ જવો હતો તો પછી દશ મહિના સુધી શા માટે જનનીને ભારે મારી ? તારા કરતાં કોઈ પથ્થરને જન્મ આપ્યો હોત તો મંદિરનાં ચણતર કામમાં ઉપયોગ તો આવત. II૪II હે ગાફેલ ! બેગરજુ ! તને સંત-પુરુષની સોબત ગમતી નથી. ને હંમેશા ટી.વી. સિનેમામાં આવતી ભાંડ-ભવાઈ જોવામાં જ તું રાજી છો. બ્રહ્માનંદસ્વામી કહે છે કે હે પ્રાણી ! દેવોને દુર્લભ એવું આ મનુષ્યતન પામવારૂપ તું બાજી જીત્યો હતો. પરંતુ દેહ, ગેહ, બાયડી, છોકરા, કુટુંબ-કબીલા અને સ્વાર્થીલા સગાંસંબંધીનું ભરણ પોષણ કરવામાં તેમ જ સુંદરીનાં સુખની પાછળ પાગલ બની મનુષ્યતન પામવારૂપ બાજી હારી ગયો છે. અર્થાત્ પૂરી આવરદા દરમિયાન તારી બુદ્ધિશક્તિ, આવડત અને અવસ્થા ભગવાન અને સંતને અર્થે લેશપણ ઉપયોગમા ન આવી. માટે સુજ્ઞ શ્રોતાજનો! તમે જેને સુખ માનો છો, એ સુખ અવિનાશી નથી. તમે જેને આનંદ માનો છો એ વાસ્તવિક સ્વરૂપમાં આનંદ નથી. ખરું સુખ અને સાચો આનંદ તો પરમતત્વ પરમાત્માની પાસે જ છે. તેમનું ભજન કરનારને તે અવિનાશી સુખ અને અચળ આનંદની અનુભૂતિ થાય છે, અર્થત્ પ્રાપ્તિ થાય છે II૫II
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામી મૂળી મંદિરનું કામ પૂર્ણ દેખભાળ સાથે કરાવી રહ્યા છે. આ અરસામાં મૂળી ગામમાં રહેતા ચારણોમાંના એક સમ્રુદ્ધ ચારણને ત્યાં લગ્ન પ્રસંગે દેશદેશાવરોના ચારણકવિરાજાઓ આવેલા. તે સહુ કવિડાયરો પોતાની જ્ઞાતિના એક સંત અહી સ્વામિનારાયનનું મંદિર કરાવે છે. એવું જાણી મંદિર જોવા અને ચારણકુળ મુગુટમણિ પ્રખ્યાત શીઘ્રકવીશ્વર શ્રી બ્રહ્માનંદસ્વામીને મળવા મંદિરમાં આવ્યા. તે ડાયરામાં કચ્છ, ગુજરાત, હાલાર, ગોહિલવાડ, સોરઠ અને ઝાલાવાડ આદિ અનેક પ્રદેશોના કવિઓ તેમ જ કેટલાક સુખી કુટુંબના સજ્જનો અને યુવાનીના મદમાં મોહાંધ બનેલા સુખમાં છકેલા કેટલાક રજોગુણી યુવાનો પણ હતા. સ્વામીએ તે સૌનો યોગ્ય સત્કાર કરી પોતાની પર્ણકુટિમાં બેસાડ્યા. તેમાંના મૂખ્ય કવિઓએ બ્રહ્માનંદસ્વામીને એક સાથે છ પ્રશ્નો પૂછ્યા. (૧) સાગરની પુત્રીનું નામ શું? (૨) જીવનો વાસ ક્યાં છે ? (૩) તીર્થ કરવા જાઉં કે ન જાઉં ? (૪) ગોપપતિ કોણ ગોકુળ ગામી ? (૫) સતી સ્ત્રીને વહાલું કોણ ? અને આ કલિયુગમાં જનોને નિષ્કામી કોણ કરે છે ? આ છ એ પ્રશ્નોને સ્વામીએ અંતલોપિકામુક્તિ સવૈયામાં ગોઠવી સવૈયાની છેલ્લી લીટીમાં જ ઉત્તર આપી દીધો. પ્રશ્નો - પ્રશ્નોતર સવૈયો. ઉત્તર. ૧. કોણ સુતા શુભ સાગરની ? શ્રી ૨. કહિંવાસ વસે જીવ અંતર જામી? સહ(સાથ) ૩. તીરથ કારણ જાઉં ન જાઉં ? જા, ૪. ગોપ પતિ કોણ ગોકુળ ગામી ? નંદ ૫. કોણ કરે સતીને અતિ વલ્લભ ? સ્વામી. ૬. કોણ કરે જનને નિષ્કામી ? પ્રશ્ન સુણી મુનિ કહે સુણો ઉત્તર શ્રી સહ, જા, નંદ, સ્વામી ઉપર મુજબ છએ પ્રશ્નોના ઉત્તર માત્ર અંતલોપિકા સવૈયા છંદની એક જ છેલ્લી પંક્તિમાં સાંભળી સૌ કવિરાજો ચરણારવિંદમાં મસ્તક નમાવી સ્વામીશ્રીનાં બુદ્ધિબળની અને શીઘ્ર કાવ્ય રચનાની તારીફ કરવા લાગ્યા. આ જોઈ સાથે આવેલા રજોગુણાત્મક પુરુષોને સ્વામીને કહ્યું કે, ‘આપની પાસે આટલી બધી અઢળક કવિત્વશક્તિ હોવા છતાં શા માટે બાવા થઈ ગયા ? તમો તો સંસારમાં શોભો તેવા છો.” ‘જિનકો ગામ ગરાસ ગયો સબનાશી, કીર્તિ ગયે ભયે ઉદાસી, નારી મુઈ ગૃહ સંપત્તિ નાશી, મુંડ-મુંડાઈ ભયે સન્યાસી.’ જેને ખાવા ન મળે, જેનામાં કોઈ પણ જાતની શક્તિ ન હોય, તેવા લોકો ફકીરી લીયે તે બરાબર, પરંતુ આપ તો સર્વશક્તિસભર છો. વળી, ઘણી મહેનતે મળેલ આ બુદ્ધિશક્તિ અને સુંદર શરીરથી વિષયભોગની મજા માણવી જોઈએ! વિષય કમાવા માટે ફરી પાછો આવો અવસર થોડો આવવાનો? માટે, સ્વામીજી આપ સૂરા, સુંદરી અને સંપત્તિના સુખને છોડી ભૂલા પડ્યા છો! આમ, મોહને ઘોડે ચડેલા મૂર્ખ પુરુષોના વિષયમંડનાત્મક શબ્દોને અટકાવી બ્રહ્માનંદસ્વામીએ સીધી, સાદી, સરળ છતાં સચોટ મર્મવેધક અને સ્પષ્ટરીતે પોતાની જોશીલી જબાનમાં વિષયખંડનાત્મક કાવ્ય દ્વારા અસ્ખલિત ઉપદેશ પ્રવાહ શરૂ કર્યો. સુંદરીના સુખમાં મોહાંધ બનેલા એ કવિરાજોની સાથે આવેલા યુવાનોને જ લાગુ પડે તેવા ધારદાર શબ્દોસભર કાવ્યોપદેશાત્મક પદો રચતા ગયા, ગાતા ગયા અને સમજાવતા ગયા. જોત-જોતામાં આઠ પદો રજૂ કરી દીધાં. કહેવાય છે કે, એ આવેલા ચારણી મિજમાનો સ્વામી નો આ ઉપદેશ સાંભળી વહેમ, વ્યસન, અને વિષય છોડી સ્વામી પાસે વર્તમાન ધરાવી સારા સત્સંગી થયા. ને જીવનભર ધર્મ-નિયમમાં દ્રઢ રહી સ્વામિનારાયણનું ભજન કરી જન્મ સુફળ કરી લીધો. તો સુજ્ઞ યુવા ભક્તો ! ચાલો આપણે પણ રાગીના રાગને રોળી નાખનાર એ આઠ પદોમાંથી પ્રસ્તુત બે પદોનો આસ્વાદ માણીએ.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025