Logo image

સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી

સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી;
	મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી...ટેક.
અમે તમ કારણ સહ્યાં મેણાં, નાથ નીરખવા ને સૂણવાં વેણાં;
			અમે તૃપ્ત નવ કીધાં નેણાં...સુણો૦ ૧
અમે લોકલાજ કુળની લોપી, અમે કહેવાયાં ગિરધરની ગોપી;
			અમે તમ કારણ પહેરી ટોપી...સુણો૦ ૨
પહેલી પ્રીત કરી શીદને આગે, દૂધ દેખાડી ને માર્યા ડાંગે;
			પછી તેને તે કેવું વસમું લાગે...સુણો૦ ૩
કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહિ તો અખંડ અંતરમાં રહેજો;
			એમ શ્રીરંગના સ્વામીને કહેજો...સુણો૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વિરહ, બ્રહ્માનંદ સ્વામી, લાડુદાન ગઢવી (વિષે)
વિવેચન:

રહસ્યઃ- પદ નાનું નાજુકડું ને નરમાશ સભર છે. જોગિયા કે શિવરંજની જેવા વિરહાત્મક રાગમાં ગાવામાં આવે તો શ્રીરંગદાસજીના સમાના વિયોગ રંગથી રંગાય જવાય છે. પ્રાસ મેળવવાની કવિત્વશક્તિ સુગેય છે.કવિની કાકલૂદી આપણા કારણ શરીરને કોતરી નાખે છે. ભક્તિભીના શબ્દોમાં નિશ્ચયાત્મક ઠપકો પણ છે. વળી, પ્રસ્તુત પદ એકલિયા તરીકે ઓળખાય છે. શ્રીરંગદાસજીના નામાચારણવાળા ગુજરાતી અને હિન્દી ભાષામાં રચાયેલા કુલ અઢાર પદો છે. તેમાં બે પદો એકલિયા તરીકે ઓળખાય છે. અને ચાર ચોસર છે. આ અઢારેય પદો બ્રહ્માનંદ કાવ્યમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. પદ સુગેય છે. અને તાલ કેરવા છે. લય, મધ્ય લય છે.

ઉત્પત્તિ:

પદ-૨૨

II  સૂણો ચતુર સુજાણ  II

ઉત્પત્તિઃ-       કાંસુ માને કસણી વિના, શોધાણું માને છે સાર,

                ફરી ન થાય ફેરવણી, એવો ઊંડો ઉર વિચાર,

                જેમ સલાટ શિલાને કસી કરી, રૂડું આણે વળી તેમાં રૂપ,

                તેમ કસાય છે જન હરિના, ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ.

             એક વખત શ્રીહરિએ પોતાના આધારે જીવી રહેલા સ્નેહી ભક્તોના સ્નેહની કસોટી કરવા એવું પ્રકરણ ચલાવ્યું કે આજ્ઞા વિના કોઈએ દર્શને આવવું નહીં, અને પોતે ગુપ્તવાસ સેવવા લાગ્યા. દાદાના દરબારના ઓરડાના કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત એવાં નામ પાડ્યાં હતાં. કોઈ પૂછે કે મહારાજ ક્યાં છે ? તો ભક્તો કહે કે મહારાજ ગુજરાતમાં છે. એટલે દર્શનાભિલાષી ભક્તો મંડે ગુજરાત ચાલવા. આમ, શ્રીહરિ ભક્તોની કસણી કરી રહ્યાં હતા. એવા સમયમાં શ્રીજી આજ્ઞાથી સત્સંગ વિચરણ કરવા ગયેલ. બ્રહ્માનંદસ્વામીને સહજાનંદના સંયોગ વિના વિયોગનું દુઃખ સતાવવા માંડ્યું. એક પલ પણ કલ્પ સમ થઈ પડી. દર્શન વિના દિલડું દાઝ્યા કરતું હતું, તેથી હૈયાની હિંમત એકઠી કરી આજ્ઞા વિના દર્શન કરી લેવાની ઉત્કંઠાએ બ્રહ્માનંદસ્વામી ગઢપુરની સીમમાં આવ્યા. પરંતુ આજ્ઞાંકિત સ્વામી આજ્ઞા વિના કેમ જઈ શકે ? સ્વામીને થયું કે લાવ પહેલા શ્રીહરિની આજ્ઞા મંગાવું. એક ભરવાડનો છોકરો ગામમાં જતો હતો. તેની સાથે મહારાજને સંદેશો મોકલ્યો. ‘શ્રીરંગદાસજી દર્શને આવે?’ પ્રત્યુત્તર મળ્યો કે ‘જેમ આવ્યા તેમ પાછા ચાલ્યા જાવ.’ આ સંદેશો સાંભળીને સ્વામી ઉદાસ થઈ ગયા. ‘ઘાયલકી ગત ઘાયલ જાને, દૂજો ન જાને કોઈ.’ વિયોગની વાદલડી વરસી ગઈ. વરસી તો ખરી પણ એ વિરહાશ્રુમાં શબ્દોના કરા પડ્યા. ભાવાત્મક ભીતરની ભૂમિ ભીની બની ગઈ. સ્વામી નીચે બેસી ગયા. શ્રીહરિ પ્રત્યેની ઊંડી પ્રીતિના ઝખમથી કવિની કલમ કાકલૂદીને કોતરાવા લાગી. નિખાલસ અને નિર્માની હૃદયમાંથી ભક્તિથી ભીંજાયેલા નરમ શબ્દો નીકળી પડ્યા કે ‘આમ ન ઘટે તમને મારા નાથ’ ભક્તને ભરોસો છે કે ભગવાન મને જરૂર દર્શ-સ્પર્શનું સુખ આપશે. પરમાત્માને પ્રિય થવાની પાત્રતા પોતાનામાં નથી પરંતુ એમને સ્વેષ્ટદેવની અપાર ઉદારતામાં અને ક્ષમાશીલતામાં ઊંડો ભરોસો છે. એટલે જ સરી પડેલા શબ્દોમાં શ્રદ્ધા, કોમળતા અને માધુર્યતા સહજપણે ઉતરી આવે છે. જોતજોતામાં વિરહનું વાદળું પદમાં પરિણમ્યું અને તે પ્રેમભીની પદાત્મક ચિઠ્ઠી બાજુમાં કોસ હાંકનાર કોસિયાને આપી કહ્યું કે ‘ભાઈ’ આ ગામમાં સ્વામીનારાયણ ભગવાન છે.તેમને તું આ મારી ચિઠ્ઠી આપી આવીશ?’ ખેડુતે કહ્યું ‘ મહારાજ તમે નવરા છો, હું નવરો નથી. જોતા નથી હું કોસ હાંકુ છું. ચિઠ્ઠી દેવા જાઉં તો મારો પ્રવાહ તૂટી જાય’ સ્વામી કહે. ‘તારા પ્રવાહને હું નહીં તૂટવા દઉં. હું કોસ ચલાવીશ.’ ખેડુત કહે. ‘મહારાજ! તમને કોસ હાંકતા આવડતો હોય તો બાવા શા માટે થાવ? મારો કોસ અને બળદ કૂવામાં નાખો તો?’ સ્વામી કહે ‘હું કોસ હાંકી બતાવુ.’ એમ કહીને સ્વામીએ કોસ ચલાવી બતાવ્યો. ત્યારે ખેડૂત કહે. ‘ઠીક લાવો ચિઠ્ઠી.’ ખેડૂતે મહારાજ પાસે આવીને ચિઠ્ઠી આપી તેમાં શ્રીરંગદાસજીએ પ્રસ્તુત પદ લખેલું. કહેવાય છે કે એ પદના પ્રેક્ષણથી પરમ પ્રભુના પવિત્ર નેત્રોમાંથી આંસુ ટપકવા લાગ્યાં, અને ભક્ત વત્સલ ભગવાનનાં મુખમાંથી કૃપાવાક્યો સરી પડ્યાં કે ધન્ય છે શ્રી રંગદાસજીને ! કે જેનું અમે કૂતરાની પેઠે અપમાન કર્યું છતાં તેમણે અમને છોડ્યા નહીં. જેને રાજા મહારાજાઓ અનેક પરગણાં બક્ષિસ આપતા હતા, જેને અનેક ઉત્તમ પદવીઓ એનાયત કરી છે. જેને ‘દોવળી તાજીમ સરદાર’ ની પદવી મળેલી છે. જેમનું પાદ-પ્રક્ષાલન પૃથ્વીસમ્રાટો પણ કરતા હતા. એવા ઉત્તમ પુરુષ શ્રી રંગદાસજીને અમે તિરસ્કાર્યા, તરછોડ્યા અને તગડ્યા છતા દીન બની દર્શનાભિલાષીપણું છોડ્યું નહીં! માટે ચાલો, આપણે સામે ચાલી એમને દર્શન આપીએ. એમ કહી, મહારાજ માણકીએ ચડી માણેક ચોકમાં આવ્યા. તો આ બાજુ ખેડૂતે આવીને જોયું તો પોતાનું આખુંય ખેતર પાણીથી તરબોળ થઈ ગયું હતું. તે જોઈ તેમણે આનંદિત થતાં કહ્યું ‘મહારાજે તમને બોલાવ્યા છે.’ એટલે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી મળતા જે તરવરાટ જાગે એથીયે અનંતગણો તરવરાટ શ્રી રંગદાસજીને જાગ્યો. હોંશભેર દોડતા-દોડતા દાદાના દરબાર તરફ આવી રહેલા શ્રી રામદાસજીને જોઈ માણેકચોકમાં ઊભેલા મલપંતા મહારાજ માણકીએથી ઊતરી માંડ્યા દંડવત્‍ કરવા.’અરે મહારાજ! ‘ એમ કહેતાક, સ્વામી મહારાજને ભેટી પડ્યા. ભક્ત અને ભગવાનનાં નેત્રોમાંથી પ્રેમનાં આંસુ ટપકવા લાગ્યાં. આહા.. હા.. કેવું અદ્‍ભુત મિલન !

ચાર મિલે ચોસઠ ખિલે, વીસ રહે કર જોર,

જે હી મિલત છાતી ઠરે, હરખે સપ્ત કરોર.

       એ ન્યાયે રંગીલાના રંગે, સંગે અને સંયોગે, શ્રી રંગદાસજી રસબસ બની ગયા. આ અદ્‍ભુત મિલનની સવારી દાદાના દરબારમાં આવી. વિશાળ સભા ભરાણી. અને તે સભામાં વિરહી વાદળામાંથી ગરમ બૂંદે વર્ષેલ ગીતને સદ્‍ગુરુ બ્રહ્માનંદસ્વામીએ એવા કરુણાદ્ર કંઠે ગાયું કે ગુપ્તપણે રહેતા ગોવિંદ એ ગાનમાં ગરકાવ બની આજથી છતા થયા. એટલે સૌ સંતો ભક્તોની આશિષ સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામીને મળી. અને ત્યારથી આ પદ પ્રભુને પામવાના પ્રેરણાના પીયૂષરૂપે પ્રચલિત થયું. તો આવો, પ્રેમપંથના પ્રવાસીઓ! આપણે સૌ સાથે મળીને એ પ્રેમભીના પદની પ્રસાદી આરોગીએ.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025