સંત સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે ૪/૪

સંત સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે,
	સંત થકી લીજીએ વિવેક વિચાર રે;
કપટ કુબુદ્ધિ રે ઉર થકી ટાળીએ રે,
	ટાળીએ જૂઠો તન અહંકાર રે	...સંત સમાગમ૦ ૧
સંતજન સંગે રે હરિગુણ ગ્રહીએ રે,
	અવગુણ ઉર થકી કરીએ ત્યાગ રે;
ઈર્ષ્યા અભાવ રે ન લેવો સંતનો રે,
	તનસુખ તજવાં ગ્રહી વૈરાગ્ય રે	...સંત સમાગમ૦ ૨
ક્રોધ ન કરવો રે હરિજન ઉપરે રે,
	વચન સુણી ન બાંધવું વેર રે;
સમજી વિચારી રે વચન મુખે બોલીએ રે,
	વણસમજે ન વાવીએ ઝેર રે	...સંત સમાગમ૦ ૩
શ્રીનારાયણ રે સ્વામીના દાસ જે રે,
	તેને સંગે રહેવું થઈને ગુલામ રે;
મુક્તાનંદ કહે છે રે એવી રીતે વર્તતાં રે,
	સંત સંગે પામશો અક્ષરધામ રે	...સંત સમાગમ૦ ૪
 

મૂળ પદ

સહજાનંદસ્વામી રે ન પ્રગટત આ સમે રે

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0