Logo image

જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ

જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ,
	આજ ધર્મવંશીને દ્વાર નરનારી		...જોઈએ૦ ટેક.
આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રે લોલ,
	વહાલો તરત ઉતારે ભવપાર નરનારી	...જોઈએ૦ ૧
જન્મ મૃત્યુના ભય થકી છૂટવા રે લોલ,
	શરણે આવો મુમુક્ષુ જન નરનારી	...જોઈએ૦ ૨
શીદ જાઓ છો બીજે શિર કૂટવા રે લોલ,
	હ્યાં’તો તરત થાશો પાવન નરનારી	...જોઈએ૦ ૩
ભૂંડા શીદને ભટકો છો મતપંથમાં રે લોલ,
	આવો સત્સંગ મેલીને મોક્ષરૂપ નરનારી	...જોઈએ૦ ૪
આણો પ્રેમે પ્રતીતિ સાચા સંતમાં રે લોલ,
	થાશે મોક્ષ અતિશે અનુપ નરનારી	...જોઈએ૦ ૫
જુઓ આંખ ઉઘાડીને વિવેકની રે લોલ,
	શીદ કરો ગોળ ખોળ એક પાડ નરનારી	...જોઈએ૦ ૬
લીધી લાજ બીજા ગુરુ ભેખની રે લોલ,
	કામ ક્રોધે વજાડી છે રાડ નરનારી	...જોઈએ૦ ૭
એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ,
	જાશો નરકે વગાડતાં ઢોલ નરનારી	...જોઈએ૦ ૮
વાલો તરત છોડાવે કાળપાશથી રે લોલ,
	પ્રેમાનંદ કે’ આપે છે હરિ કોલ નરનારી	...જોઈએ૦ ૯
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
પ્રગટ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
મોક્ષ, કલ્યાણ,
વિવેચન:
ભાવાર્થઃ- જેમ કોઈ મોટો ધનાઢ્ય છૂટા હાથે ધન આપે, તેમ સ્વામી કહે છે કે આજે આ ધર્મવંશીને દ્વારે મોક્ષનું અભયદાન અપાઈ રહ્યું છે. માટે જેને જોઈએ તે મોક્ષ માગવા આવજો. જ્ઞાની-અજ્ઞાની, ઊંચ-નીચ સર્વને સાગમટે સ્વામી નોતરું આપે છે કે આવો આ પ્રગટ પ્રભુને પગે લાગવા. જો એક વાર પગે લાગશોને તો પણ આ મારો વ્હાલો ભવપાર ઉતારી દેશે. II૧II હે મુમુક્ષુઓ, જો જન્મ-મ્રુત્યુના ભય થકી છૂટવું હોય તો આ સહજાનંદને શરણે આવો. II૨II બીજે માથું કૂટવા જવાની જરૂર નથી. અહીં તો ઘડીના છઠ્ઠા ભાગમાં પાવન થઈ જાશો. મૂઢ જીવાત્માને પ્રગટ પ્રભુનો પ્રતાપ સમજાવતા-સમજાવતા સ્વામીની કલમ લાગણી વિવશ બની થોડી કડક બની ઘૂવડ જેવા જીવાત્માઓને સ્વામી કહે છે કે, હે ભૂંડાઓ ! આવો મોક્ષરૂપી સત્સંગ મેલીને મતપંથમાં શા માટે ભટકો છો ? II૩-૪II અંતરની આંખ ઉઘાડી આ સ્વામિનારાયણના સાચા સંતમાં પ્રતીતિ કહેતાં વિશ્વાસ લાવો. તો અતિ અનુપમ અને ઉત્તમ મોક્ષ થશે. વિવેકની આંખ ઉઘાડ્યા વિના ગોળ અને ખોળને એક ન કરી દો. સંતને અને અસંતને એક પંક્તિમાં ન બેસાડી દો. આ તો અષ્ટપ્રકારના સ્ત્રી-ધનના શ્રેષ્ઠ ત્યાગી સંતો છે. પ્રગટપ્રભુના પ્રતાપે કામાદિક રિપુઓને તો મારી, મચકોડીને જમીન દોસ્ત કરી દીધી છે. અરે, સ્વામિનારાયણે તો આ સંતોને સુવર્ણ ઉપર ઝાડે ફેરવ્યા છે. લાજું કાઢીને માયાનો તિરસ્કાર કરી તરછોડી મેલી છે. જ્યારે એ જ કામક્રોધાદિકે બીજા દંભી ગુરુઓ અને ભેખને તો રાનમાં રોળી નાખ્યાં છે. કેવળ વૈષ્ણવ વેશધારી શિષ્યાંગનાઓનો સ્વાદ ચાખનારા કામી અને અજ્ઞાની ગુરુના વિશ્વાસથી ધિત્તતાન, ધિત્તતાન એમ ઢોલ વગાડતાં-વગાડતાં નરકમાં જવું પડશે. માટે હે નરનારીઓ ! હું પોકારી પોકરીને કહું છું કે આ મારા સહજાનંદને શરણે આવો તો તે કાળપાશથી તરત જ છોડાવી દેશે. પ્રેમાનંદસ્વામી કહે છે કે આ મારો હરિવર સો ટકા ખાતરીવાળો કલ્યાણનો કોલ આપે છે. તો હવે આવા પ્રગટપ્રભુને મેલી મન માન્યા મતપંથમાં મોહાંધ બનનાર મૂર્ખ જ કહેવાય ને ? ભવ બૂડતા જેણે આપણી બાંય ઝાલી છે તેનાથી અધિક કોણ કહાવે ? માટે જ આ ધર્મવંશી ધર્મકુંવરને વારણે જાઉં છું II ૫ થી ૯ II રહસ્યઃ- પ્રસ્તુત પદમાં પ્રગટની પ્રાપ્તિનો પમરાટ પ્રસરે છે. કવિને પોતાના પ્રિયતમમાં પૂર્ણ ભરોસો છે. થોડા કઠોર શબ્દોથી પણ અજ્ઞાનીની આંખ ઉઘાડવા પ્રયત્ન કરે છે. પદ ઢાળ સુગેય છે અને લોકભોગ્ય છે. ઢોલમાં વગાડવામાં આવતી મધ્યલય હીંચનો ઢંગ પદમાં ઝીલાયો છે. એટલે જ કવિએ નહીં માનનાર અજ્ઞાનીઓને ઢોલ વગાડતાં નરકમાં જવાનું સૂચવ્યું છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- એક વખત શ્રીજી મહારાજ વડતાલના આંબાવાડિયામાં સભા કરીને બિરાજ્યા હતા. એવે સમે કોઈ વૈરાગીએ મહારાજને પૂછ્યું કે, “હે જીવનમુક્તા ! તમે કલ્યાણ વેંચાતું આપો છો. અને જેને તેને સમાધિ કરાવો છો, એવું અમે સાંભળ્યું છે. તે શું કલ્યાણ કાંઈ રસ્તામાં પડ્યું છે ? અગાઉ કેટલાય ઘોર તપશ્ચર્યા કરીને મરી ગયા તો પણ કોઈને મોક્ષ મળ્યો નથી. અને આજ તમે ભાજી-મૂળાની જેમ મોક્ષ આપો છો, તે શું સાચું છે ?” મહારાજે તેને ઉત્તર આપતાં કહ્યું કે, “ આજ પૃથ્વી પર પૂર્ણપુરુષોત્તમ નારાયણ પ્રગટ્યા છે. એના સંબંધે કરીને સૌનું કલ્યાણ કહેતા મોક્ષ થાય છે. વૈરાગી ! અમારાથી જ મોક્ષ થાય એમ નથી. અમારા આ સાધુ-સત્સંગીના સંબંધે પણ આજે મોક્ષ થાય છે.” એમ કહી વૈરાગીને સમાધિ કરાવી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. આ પ્રસંગે પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી હાજર હતા. પ્રભુએ બતાવેલ પ્રૌઢ પ્રતાપના વિચારોમાં ને વિચારોમાં પ્રેમાનંદસ્વામી પોતાને આસને ગયા અને આંખે દેખેલા અહેવાલને આલેખવા લાગ્યા કે આજ પ્રગટ હરિ મુજને મળ્યા છે. એની કોઈ વાત કહ્યામાં આવે તેમ નથી. આમ પ્રગટ ભક્તિનું એક પદ, બે પદ એમ અનેક પદો રચ્યા તે પૈકી અહીં આપણે પસ્તુત એક પદનો આસ્વાદ માણીએ.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025