Logo image

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ રે

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ રે...ટેક.
રે અંતરદૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું;
		એ હરિ સારુ માથું ઘોળ્યું...રે શિર૦ ૧
રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ;
		ત્યાં મુખ પાણી રાખીને મરીએ...રે શિર૦ ૨
રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;
		તે શું જીવે ભૂડું મુખ લઈને...રે શિર૦ ૩
રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોરે હોરે જુદ્ધે નવ ચડીએ;
		જો ચડીએ તો કટકા થઈને પડીએ...રે શિર૦ ૪
રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;
		બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ...રે શિર૦ ૫
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
ખુમારી, કેફ, હરિવર,પિયુ,વાલમ,પ્રીતમ, પતિ, ધણી, શુરવીરતા, દ્રઢતા
વિવેચન:
ભાવાર્થઃ- સો માથાં જાતાં રે સોંઘા છોગાળા, એક શિરકે વાસ્તે ક્યું ડરત હે ગમારા. એ ન્યાયે સ્વામી આ પદમાં હરિનો મારગ શૂરાનો છે. એમ બતાવી માથા સાટે મોહનવરને વરવાનું કહે છે. વર્યા પછી શું ? તો ગમે તેવું દુઃખ આવે તો પણ પીછે હઠ ન કરવાની બાબત ખાસ બતાવે છે. ઉત્કૃષ્ટ પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ ત્યાગ જરૂર હોવો જોઈએ. જે માથું આપી શકે, એ જ ભગવાન પામી શકે. IIટેકII સ્વામી કહે છે કે મેં તો અંતરાભિમુખ થઈ આત્મનિરિક્ષણ કરી જોયું તો જણાયું કે આ પ્રગટ પ્રભુના નિશ્ચય માટે ઝાઝું ડહાપણ ડોળવાની જરૂર નથી. હે શંભુદાનજી ! આપણા ડહાપણે તો આજ દિન સુધી ડાટ જ વાળ્યો છે માટે હવે તો જરૂર છે ફક્ત આ હરિવરને ચરણે માથું ધરી દેવાની. આ હરિવરને માટે એક નહીં પણ સો માથા પણ દેવા તૈયાર છું. II૧II પિતાજી! હું સમજ્યા વિના આ સહજાનંદને શરણે નથી થયો. આ સત્સંગ રણમાં સંત સંગ્રામે શહીદ થઈ જવા સમજીને જ નીકળ્યો છું. હવે કોઈથી ડરીશ નહીં. આ મહારાજ પાસે તો મુખનું પાણી રાખીને જ મરીશ. તમારે પણ લોકલાજથી ડરવું નહીં. હિંમત વિનાનું વેણ બોલવું નહીં. જો આપણે પ્રભુપ્રસન્નતા પ્રાપ્ત કરવા રણમેદાનમાં ઊતર્યા હોઈએ, તો જેમ વીરપુરુષો રણમેદાનમાં ઊતર્યા પછી પાછી પાની કરતા નથી, તેમ હરિને મળવામાં પણ હારવું નહીં. II૨II જેમ કોઈ પ્રથમ શૂરવીર થઈને રણમાં ઉતરી પડે, ને પછી તીર, તલવાર ને તોપોની તડામારી જોઈને મૂઠીઓ વાળે, તો એ જગતમાં કેવું મુખ લઈ જીવે? માટે આપણે પહેલું જ મનમાં નક્કી કરવું જોઈએ કે મારામાં કેટલી શક્તિ છે? ને પછી જ દેશ યા ધર્મના યુદ્ધે ચડવું એ બરાબર છે. પણ હોરે –હોરે યુદ્ધે ન ચડાય. ચડ્યા પછી તો કટકા થઈને જ પડવું ઉત્તમ છે. માટે હે પિતાજી ! મેં આ કેસરિયા કર્યાં છે એ કાંઈ લોલે લોલ નથી કર્યાં. મનમાં બરાબર નક્કી કરીને પછી જ આ નારાયણને નમ્યો છું. હવે, ‘अर्थं साधयामि वा देहं पातयामि I’ દેહ જીવો કે મરો, દેહે સુખ થાઓ કે દુઃખ થાઓ પરંતુ હવે તો મારું શેષજીવન આ સહજાનંદના સાન્નિધ્યમાં જ વિતાવીશ. નિત-નિત નવીન રંગ સાથે જ આ હરિને રટીશ. ગમે તેવા આકરા નિયમની હાંક વાગશે તો પણ પાછો હટીશ નહીં. સ્વામી કહે છે આ મહારાજને મળવા માટે જ હું મરી મટીશ. અને રોજ નવીન શ્રદ્ધારૂપી રંગથી આ સહજાનંદને જ સેવીશ. II૩ થી ૫II રહસ્યઃ- બ્રહ્માનંદસ્વામીએ આ પદોમાં માત-પિતાનાં વચનોને ઉદ્દેશી નટવરને વરવાની વાત રણમેદાનમાં જંગ જીતવા જેવી છે એમ સૂચવ્યું છે. અહીં ભક્તિની વાત લડાઈના ધોરણે એનાં રૂપકોમાં રજૂ થઈ છે. આ બંને પદોમાં સ્વામીની શ્રદ્ધાનું બળ છે, ઓજસ છે અને કવિના ચારણી સાહિત્યનું તેજ ઝળકે છે. શબ્દે-શબ્દે મોહનવરને મળવાની મર્દાનગી તળપદી ભાષામાં પ્રયોજેલી છે. આ કીર્તનમાં સંસારની અસારતાએ સમર્પણના ભાવો સચ્ચાઈ અને મર્મવેધકતાથી બતાવ્યા છે. ભક્તિનો પંથ પ્રભુ પ્રત્યે પહોંચવાનો પ્રેમશૌર્યનો પંથ છે. પરંતુ તે પ્રેમશૂરવીરતા વિના ટક્તો નથી. એવું ભક્તિનુ રણક્ષેત્ર બતાવ્યું છે. આ પદો નિત-નિત ગાવાથી સંસારના સુખ ત્યાગવાનો તરવરાટ અને પ્રગટ પ્રભુને પામ્યાનો પમરાટ આપણા જીવનમાં સાકાર થશે. વળી, આ પિતા-પુત્રની રકઝક કોઈ એક દિવસની જ નહોતી. ’બ્રહ્મસંહિતા’ માં માવદાન કવિ નોંધે છે કે લાડુદાનને સંસારમાં પાછા લઈ જવા માટે પિતા શંભુદાનજી સહિત બધાં કુટુંબીજનોએ આઠ દિવસની છાવણીઓ ગઢપુરમાં નાખી હતી. કુટુંબીજનોના આગ્રહભર્યાં વચનોને પાછી ઠેલતા પ્રત્યુત્તરરૂપે સ્વામી રોજ એક ચોસર નવું બનાવી તેઓને સંભળાવતા. તો નિમ્નલિખિત બન્ને પદો પણ ઉપરોક્ત પ્રસંગે જ બનેલા છે. માટે અહીં તેમની ઉત્પત્તિ ફરી વાર નહીં લખતાં કેવળ ભાવાર્થ જ દર્શાવીએ છીએ.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- ઉપરોક્ત કીર્તનાત્મક ચર્ચા આગળ ચાલતાં તાજી તીક્ષણ ધારની જેમ બ્રહ્માનંદના બ્રહ્મનાદથી સગાં સંબંધીઓની આશાના દોર ઢીલા થયા પરંતુ વળી માતા-પિતાએ લાડુની વૈરાગ્યમય લગનમાં એક અંજલી નાખતાં કહ્યું કે ‘લાડુદાન ! તમને આ ચટકીનો વૈરાગ્ય ચડ્યો છે. એટલે આ બધી વાતો કરો છો. પરંતુ એ જ્યારે ઊતરી જશે ત્યારે ધોબીના કૂતરાની માફક નહીં રહો વાટના કે નહીં રહો ઘાટના. શિવ, બ્રહ્મા, સૌભરિ અને એકલશૃંગી જેવાના વૈરાગ્યમાં પણ વિઘ્નો આવ્યાં છે. માટે અમારું માનો લાડુદાન ! અમારું માનો ! સાંસારિક સુખનું સ્થાપન કરતું માત-પિતાનું મેણું સાંભળીને સ્વામીએ હવે ખરેખર, બ્રહ્મમસ્તીના વીરરસમાં આવી જઈને વીરાસન વાળી વીરહાંક સાથે કીર્તનને આગળ વધાર્યું.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025