આજની ઘડી રે ધન્ય આજની ઘડી;
મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી...ટેક. કામ ક્રોધ ને લોભ વિષય, ન શકે નડી;
માવજી કેરી મૂર્તિ મારા, હૃદયમાં ખડી રે...આજની૦ ૧ જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી;
સદ્ગુરુની દૃષ્ટિ થાતાં, વસ્તુ એ જડી રે...આજની૦ ૨ ચોરાશી ચહુ ખાણમાં, હું તો થાક્યો આથડી;
અંતર હરિસું એકતા થાતાં, દુગ્ધા દૂર પડી રે...આજની૦ ૩ જ્ઞાન કુંચી ગુરુ ગમસે, ગયાં તાળાં ઊઘડી;
લાડુ સહજાનંદ નીરખતાં મારી, ઠરી આંખડી રે...આજની૦ ૪
આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નીરખ્યા સહજાનંદ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નીરખ્યા સહજાનંદ
હસમુખભાઈ પાટડિયા
આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નીરખ્યા સહજાનંદ
અજાણ (ગાયક )
આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નીરખ્યા સહજાનંદ
હરિકૃષ્ણ પટેલ
જે વિરલ ક્ષણે અંતર પ્રભુને ઓળખે છે, એ ક્ષણ પણ ધન્ય થેઈ જાય છે ! આવી કોઈક વિરલ ઘડીએ સહજાનંદને નીરખતા અંતરમાં વ્યાપેલા આનંદને રાજકવિ લાડુદાને કાવ્યમાં તો કથિત કરી નાંખ્યો, તેમ છતાય એ આનંદ તો અવર્ણનીય જ રહ્યો ! ૩. ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી ... “આવો આવો લાડુદાનજી ! ગઢડામાં એભલ ખાચરના લીંબુતરુનીચે બેઠેલા સ્વામી શ્રી સહજાનંદજી મહારાજે ભાવનગરથી વજેસિંહ બાપુનું રાજસન્માન પામીને આવેલા રાજકવિ લાડુદાનજીને ઉષ્માભર્યો આવકાર આપતા કહ્યું અને પછે, પોતાના ગળામાં પહેરેલો ગુલાબનો હાર તેમને પહેરાવ્યો. ગઢડા આવતા માર્ગમાં કરેલા પોતાના સંકલ્પ સત્ય થતા જોઇને લાદુદાનજીને એમ લાગવા માંડ્યું કે આ તો સાગરનો તાગ લેવા નીકળેલી મીઠાની ભરેલી કોથળી સાગરના પાણીમાં ઓગળતી જાય છે ! લાડુદાનજીની કવિત્વશક્તિથી પ્રભાવિત થઈને ભાવનગરના મહારાજા વજેસિંહજીએ કવિનું રાજસન્માન કર્યું હતું. કવિને માટે સુવર્ણ આભૂષણો બનાવવાના હતા, તેથી રાજુલાવાળા નાગદાન સોનીને મહારાજાએ બોલાવ્યા. સોની સત્સંગી હતા અને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉર્ધ્વપુંડ્ર તિલક કુમકુમનાં ચાંલ્લા સહિત કર્યું હતું. આ નવીન તિલક જોઇને કવિને આશ્વર્ય થયું. તેમણે સોનીને પૂછી નાખ્યું : ‘મહાજન ! આ વળી ક્યાં સંપ્રદાયનું ટીલું કર્યું છે ?” મહાજન નમ્રતાથી જવાબ વાળ્યો “કવિરાજ ! સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મનુષરૂપે પ્રગટ થયા છે, હું એમનો આશ્રિત છું.” આ સાંભળી લાડુદાનજી કહે ‘ આવા તો વિશ્વમાં કેટલાંય ધતિંગ ચાલે છે. અમે ચારણ એમ ખાતરી કર્યા વિના લોલેલોલ કરીને કોઈને ભગવાન ન માની લઈએ.” તે વખતે વજેસિંહ મહારાજે પણ તેમાં સૂર પુરાવતા કહ્યું :“કવિરાજ ! અમારા રાજ્યમાં આ તરફ સણોસરથી આથમણી દિશામાં સાત ગાઉં છેટે ૨૪ ધન્ય આજની ઘડી ૨૫ ગઢડા ગામ છે ત્યાં આ સ્વામીનો મુકામ છે ,તમે ત્યાં જઈને ખાતરી કરી આવો કે ખરેખર ભગવાન છે કે ધતિંગ છે !” કવિ તરત જ ઉત્સાહમાં આવી જી બોલ્યા: “ભલે બાપુ ! હું ગઢડા જઈ પાકી ખાતરી કરી ત્રણ દિ’માં પાછો આવું છું પણ જો સાચું હશે તો શેષ જીવન ત્યાંજ વિતાવીશ. “ મહા કવિરાજ સભામાંથી ઊઠી ગઢડા જવા તૈયાર થયા ત્યારે વૃદ્ધ સોની ભક્ત મર્મમાં બોલ્યા કે “કવિરાજ ! એક કહેવત છે કે મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જાય તો તે પાછી આવે ખરી ! સ્વામિનારાયણ તો સાક્ષાત્ ભગવાન છે . માટે સમાગમ કરજો.’’ કવિરાજ કહે:: “એ તો ખરે ખબર પડશે !” લાડુદાન ગઢડા જવા ઉપડ્યા ત્યારે તેમના મામા અભયદાનજી* તેમને મળવા રાજસ્થાનથી આવ્યા હતા , તેમને પણ કવિએ પોતાની સાથે લીધા . ગઢડાનાં પાદરમાં લાડુદાને ચાર સંકલ્પ કર્યા. (૧) જો સ્વામિનારાયણ ભગવાન હોય તો હું એમની પાસે જાઉ ત્યારે મારી આજ સુધીની જીવનકથની કહી સંભળાવે. (૨) એમના ચરણોમાં સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણેના સોળ ચિહ્નો હોવા જોઈએ . (૩) અત્યારે ગુલાબની મોસમ નથી છતાં હું જાઉ ત્યારે એમણે ��ુલાબનો હાર પહેર્યો હોય અને તે મને પહેરાવે. (૪) વળી હું જાઉ ત્યારે કાળા કામળા પર શ્રીમદ્ ભાગવતનું પુસ્તક પૂર્વાભિમુખ બેસી વાંચતા હોય. આ સંકલ્પો સાચા પડે તો ભગવાન માનવા. વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવે લાડુદાનને વડોદરા રાજના રાજકવિ તરીકે રાખવા માટે માનપૂર્વક આમંત્રણ આપ્યું હતું. તે સંદેશો લઈને તેમના મામા અભયદાનજી આવ્યા હતા. ૨૬ કીર્તન માધુરી ગઢડામાં એભલ ખાચરના દરબારમાં પ્રવેશતાં જ કવિરાજના સંકલ્પ એક પછી એક સત્ય થવા લાગ્યા. કવિએ જોયું કે કાળા કામળા પર રાખેલું ભાગવતનું પુસ્તક વંચાતું હતું. લાડુદાનને જોતા જ તેમનું નામ લઈને મીઠો આવકાર આપીને શ્રી સહજાનંદ સ્વામીએ પોતે પહેરેલો ગુલાબનો હાર કવિને પહેરાવ્યો. પછી કવિને પોતાને પાસે બેસાડીને શ્રીહરિએ એભલબાપુને કહ્યું: “બાપુ ! આ લાડુદાનજી બહુ મોટા રાજકવિ છે, કચ્છમાં ચૌદ વર્ષ રહીને પિંગળ શીખી એ ઉત્તમ કવિ બન્યા છે, ત્યાર બાદ તેઓ ત્યાંના મહારાવનો સરપાવ પામ્યા. ધ્રાંગધ્રા, જામનગર, જુનાગઢ અને ભાવનગરના રાજવીઓને પણ તેમની કાવ્યશાક્તિથી તેમણે મુગ્ધ કરી દીધા છે. હાલમાં તેઓ ભાવનગરથી આવ્યા છે . વજેસિંહબાપુએ એમને મોકલ્યા છે. માટે રાજવીને છાજે તેવી રીતે તેમની બરદાસ્ત કરજો.” લાડુદાનજી તો સ્થિર હૈયે આ બધું સાંભળી રહ્યા. શ્રીહરિની નયનરમ્ય મૂર્તિના અનિમેષ નેત્રે એ દર્શન કરી રહ્યા. થોડીવારે શ્રીજીએ તકિયે અઠિગણ દઈને બેસતા પોતાના બંને ચરણ પ્રસાર્યા. ત્યારે કવિરાજે પ્રભુના બંને ચરણો બહુ બારીકાઈથી નીરખ્યા. બંને ચરણોમાં સોળ ચિહ્નો બહુ સ્પષ્ટ દેખાતા હતા. કવિના અંતરમાં પ્રકાશ થઇ ગયો. માતાના ગર્ભમાં હતા ત્યારથી અત્યાર સુધી પોતાના દ્રષ્ટિપથમાં જે દિવ્ય પ્રતિમા નિરંતર દેખાયા કરતી તે જ આ પ્રગટ સ્વામિનારાયણ પ્રભુ છે, એવો અંતરમાં નિશ્ચય થતા કવિના હૈયામાં ધન્યભાવ વ્યાપી ગયો. એમના અંતરની આંખ સહજાનંદને નિહાળીને ઠરી અને એ સાથે જ એમનું કવિ હ્રદય ગાઈ ઊઠ્યું : ‘આજની ઘડી રે, ધન્ય આજની ઘડી: મેં નીરખ્યા, સહજાનંદ, ધન્ય આજની ઘડી’ કવિનું દેહાભિમાન ઓગળી ગયું, સહજાનંદના સ્વરૂપમાં ચિત્ત સમાધીરથ થઈ ગયું. રમણીય ઘડીની ધન્યતાનું એ ગાન હતું. એ ધન્ય આજની ઘડી .... ૨૭ ગાન ગાતાં, લાડુ સહજાનંદ નિરખતા ઠરી આંખડી” એ અંતિમ પંક્તિ તો સહજાનંદ સ્વામી સામે જોઈ ઉંચો સ્વર કરી કરીને વારે વારે પોકારી કવિએ પ્રેમની ઉત્કટ ઊર્મિ ઠાલવી. લાંબા કાળના વિયોગ પછે પ્રિયજનની પ્રાપ્તિ થાય તે સમયના જેવો હર્ષોન્માદ કવિના હ્રદયનો જોઈ ત્યાં બેઠેલા સર્વજનો આશ્ચર્યથી ચકિત થઇ ગયા. આશ્રય કરી સાધુ થયા. મહારાજે પહેલા એમનું નામ શ્રીરંગદાસજી પાડેલું, પણ એકવાર સ્વામીનું બ્રહ્માસ્ત ભક્તકવિરૂપ જોઇને શ્રીજી બોલી ઉઠ્યા; “વાહ બ્રહ્માનંદ ! તમે તો ખુબજ બ્રહ્મનો આનંદ માણો છો.” ત્યારથી કવિનું નામ ‘શ્રીરંગ’ માંથી ‘બ્રહ્માનંદ’ થયું કવિને પણ એ નામ કાવ્યાન્તે છંદરચનામાં ગોઠવવામાં અનુકૂળ આવવાથી વધુ સ્વીકાર્ય લાગ્યું. * કાવ્યકૃતિ :- ( રાગ ખમાચ) આજની ઘડી રે , ધન્ય આજની ઘડી; મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી... ટેક કામ ક્રોધ ને લોભ વિષે, રસ ન શકે નડી; શ્રીહરિજીની મૂર્તિ, મારા હ્રદયમાં ખડી રે ... ધન્ય ..૧ જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોતી અડી; સદ્ગુરુની દર્ષ્ટિ થાતા, વસ્તુ એ જડી રે ... ધન્ય ...૨ ચોરાસી ચહુ ખાણમાં, હું તો થાક્યો આથડી; અંતર હરિ શું એકતા તારે, દુગ્ધા દૂર પડી રે ..ધન્ય ...૩ જ્ઞાન કૂંચી ગુરુ ગમશે, ગયા તાળાં ઉઘાડી; લાડુ સહજાનંદ નીરખતા, ઠરી આંખડી રે ... ધન્ય...૪ દર્ભ : શ્રી બ્રહ્મસંહિતા . ( પર. ૩. અ-૨ ) ૨૮ કીર્તન માધુરી આસ્વાદ : ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ દર્શન વેળા, એ જ ક્ષણે... “ આજની ઘડી રે , ધન્ય આજની ઘડી” નાં ઉમંગસભર ઉદ્ગાર અતિ સહજભાવે ગાનાર બ્રહ્માનંદ, મધ્યકાલીન સાહિત્યના ગણમાન્ય શિઘ્રકવી હતા, જે એમણે સર્જનપ્રતિભાને આગવી વિશેષતા છે. કવિએ ગઢડામાં શ્રી સહજાનંદ સ્વામીને પ્રથમ વાર જોયા એ સાથે જ એમને તે જ સાક્ષાત્ પ્રભુ હોવાને પ્રતીતિ થતા એ રમ્ય પળે એમના અંતરમાં જે ધન્યતાનો ભાવ વ્યાપી ગયો. એ ભાવને મુખરિત કરતું આ પદ છે, જે ક્ષણે પ્રભુ ઓળખાયા એ ક્ષણ પણ ધન્ય થઇ ગઈ. હવે કામ, ક્રોધ, લોભ કે વાસના નહિ નડી શકે, કારણ કે હવે શ્રીહરિજી (સહજાનંદ) ની મૂર્તિ હૃદયમાં પ્રત્યક્ષ છે. કવિ કહે છે: “જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી; સદ્ગુરુની દ્રષ્ટિ થાતા, વસ્તુ એ જડી રે .” જીવની પરિમિત બુદ્ધિ બ્રહ્મના મુળ સ્વરૂપને જાણી શકતી નથી, એ મોટી અડી-અડચણ ( અવરોધ) છે. પણ સદ્ગુરુની કૃપાદ્રષ્ટિ થાય ત્યારે એ અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થાય છે. મૂળ બ્રહ્મસ્વરૂપ ઓળખાય છે. એથી આ ઘડી ધન્ય છે, જીવ ચોરાશી લાખ યોનીમાં ચાર પ્રકારની ખાણ ( સ્વેદજ , જરાયુજ , ઉદ્ભિજ્જ , અંડજ)માં ભ્રમણા કરે છે પરંતુ અંત:કરણમાં ઈશ્વર સાથેની એકતા સિદ્ધ થાય ત્યારે આ જન્મજન્માંતરની પીડા (દુગ્ધા ) ટળે છે, જ્ઞાન કૂંચી મળી અને તે કેમ લાગુ કરવી એ બાબતમાં સદ્ગુરુનું માર્ગદર્શન મળ્યું. એટલે બધા તાળાં ઊઘડી ગયા. બધા રહસ્યો સમજાઈ ગયા. લાડુને હવે સહજાનંદ સ્વામીનું દર્શન થયું તેથી એની આંખડી ઠરી છે. હવે નજર પ્રભુ પર જ ધન્ય આજની ઘડી ૨૯ કેન્દ્રિત થઇ છે અને પરમ શાંતિનો અનુભવ થયો છે. આંખડી ફરી ઘણે ઠેકાણે , નજર રખડી ઠેર ઠેર , પણ હવે ઠરી તો સહજાનંદ પર જ . કવિનું માન મીણની જેમ ઓગળી ગયું . સહજાનંદના સલૂણા સ્વરૂપમાં મન મોહી ગયું. એ રમણીય ઘડીની ધન્યતાનું આ ગાન છે. કવિની પ્રાસરચના સહજ સિદ્ધ છે ને ગેયતાનો પરિતોષ કરનારી છે. બ્રહ્માનંદના પળોમાં ખીલી ઉઠેલા ભાષાસૌંદર્યથી પ્રભાવિત થઈને સ્વ. કનૈયાલાલ મુનશી પોતાના “ Gujarat and its literature” નામના ગ્રંથમાં લખે છે: “ all these Poets of Sadhus sang about Sahajanand’s amours, rhymed moral teaching and bewailed the futility of life in the best style of the age. In beauty of language, Brahmananda, surpasses all his contemporaries except Dayaram” Page : 268
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી