કારણ રૂપ કહાવે ધરમસુત કારણ રૂપ કહાવે, ૧/૧

કારણરૂપ કહાવે, ધરમસુત કારણરૂપ કહાવે;
ધર્મદેવ આ પુત્ર તમારા, કારણરૂપ કહાવે;
	અનંત અવતારના એ અવતારી, સર્વેનો ભાવ દેખાવે	-ધરમ૦ ૧
અક્ષરધામના આપે નિવાસી, મનમાં મેર ઘણી લાવે;
	કૃતારથ કરવાને કાજે, ઘેર તમારે આવે		-ધરમ૦ ૨
દિવ્યરૂપ છુપાવી વાલો, બાળકરૂપ બનાવે;
	માનુષ નાટક દેખી મોહનનું, સહુનાં તે મનમાં ભાવે	-ધરમ૦ ૩
અનંત જીવ ઉદ્ધારવા કારણ, અલબેલો અહીં આવે;
	દયાનંદના નાથને સેવો, મોહ સંસારી મેલાવે	-ધરમ૦ ૪

 

મૂળ પદ

કારણ રૂપ કહાવે ધરમસુત કારણ રૂપ કહાવે,

મળતા રાગ

સામેરી ઢાળ : સુનેરી મૈંને નિર્બલ કે બલરામ

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0