Logo image

સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા

સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા,
		આવી મારા તનડાના તાપ શમાવ્યા રે	...ટેક.
હરખે શું ઊઠી હું તો સનમુખ ચાલી, તેડી બેસાર્યા મેં તો બાંહ્યલડી ઝાલી;
	અક્ષરના વાલીડાને થાવાને વાલી (૩)		...સજની૦ ૧
સનમુખે બેસી હું તો નીરખવા લાગી, લોકડિયાની મેં તો લાજ રે ત્યાગી;
	મુખડું નીરખીને મારી ભૂખડલી ભાંગી (૩)		...સજની૦ ૨
હરિને જમાડયા મેં તો હાથે સાહેલી, કુળની મરજાદા મેં તો કોરે લઈ મેલી;
	શ્રીજીને જોઈ હું તો થઈ છું રે ઘેલી (૩)		...સજની૦ ૩
પાનની બીડી મેં તો પ્રેમે શું આલી, હસીને હોંસીલે વાલે મુખડામાં ઝાલી;
	પ્રીતે આવીને મારા, મુખડામાં આલી (૩)		...સજની૦ ૪
સુંદર અગાસી મારી નૌતમ મેડી, ઊંચી અગાસી મુજને એકાંતે તેડી;
	હૈડાની રાવું મેં તો, હરિ આગે રેડી (૩)		...સજની૦ ૫
મનગમતી મોજુ વાલે મુજને રે આપી, વચને કરીને વાલે સ્થિર કરી સ્થાપી;
	કોટિ જન્મનાં દુ:ખ, નાખ્યાં છે કાપી (૩)	...સજની૦ ૬
પ્રેમનાં આંસુ મારે નયણે ઝરે છે, હાથે લુવે ને કર છાંયા કરે છે;
	કંઠે વળગું ને મારાં, નયણાં ઠરે છે (૩)		...સજની૦ ૭
વણતેડયા વેલા મારે મંદિરીએ આવો, મરકલડે મોહન મીઠી વેણુ બજાવો;
	હેતે કરીને મુજને, હસીને બોલાવો (૩)		...સજની૦ ૮
રંગના રંગીલા મુજને રંગ લાગ્યો તારો, કેડે ફરે છે જીવનપ્રાણ અમારો;
	મુક્તાનંદ કહે છે મારો, જનમ સુધારો (૩)	...સજની૦ ૯
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
પ્રેમ,સ્નેહ,હેત,પ્રીત, લક્ષણ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
સરભરા
વિવેચન:
ભાવાર્થઃ- પ્રસ્તુત પદમાં ગણિકા પોતાની સાહેલીને ઉદ્દેશીને કહે છે કે હે સખી! આજે મારા અંતરનાં ભાવ પૂરા કરવા કરુણા કરી આનંદપૂર્વક મારે ઘેર શ્રીજી પધાર્યા, અને મારાં તનમનનાં દુઃખ નિવાર્યા. ગણિકા પોતાની વિશ્વાસી સખીને સહજાનંદ સાથેના પોતાના સ્નેહમિલનની ગૂઢ વાત ખૂબજ રસથી કરે છે. ગણિકા સહજાનંદના મિલન માટે ઘણા સમયથી આતુર હશે એવું તનના તાપનું સંદર્ભ જોતાં સ્પષ્ટ જણાય છે. એટલે જ હર્ષઘેલી બનેલી એ ગણિકા શ્રીહરિને આવતા જોઈ સન્મુખ ચાલી. વળી, વહાલમજીને વહાલી થવા પ્રીતમજીનો હાથ પકડી પલંગ પર બેસાડ્યા. અને ધારી – ધારીને એણે ધરમકુંવરનું મુખડું નીરખ્યું. કેમ કે એ તો એનો પ્રિયતમ સુંદર શ્યામ હતા. II ૧-૨ II હે સહેલી! કોઈની પણ આમન્યા રાખ્યા વિના મારે હાથે જ મેં હરિને જમાડ્યાનો લહાવો માણ્યો. વળી, એ ભાવનાં ભૂખ્યા ભગવાનની ભોજન આરોગવાની રીતે જોઈ હું તો પ્રેમ દીવાની જ બની ગઈ. II ૩ II હે મારી વિશ્વાસી સખી! હું તને વિશેષ તો શું કહું? પણ પ્રેમથી અર્પેલ પાનનું બીડું એણે પ્રેમથી લીધુ. પ્રસાદીનું કરી અડધું મને પાછું આપ્યું. પછી તો અમે સામસામી પાન બીડી દીધી અને લીધી. II૪II ગણિકાએ પોતાના સ્વામીનાથ એવા સહજાનંદની સાથે પોતાનું પૂર્ણ સાયુજ્ય થઈ શકે એ માટે જ એણે પોતાના ભવનની ઊંચી મેડીએ એકાંતમાં મિલન ગોઠવ્યું. ત્યાં એણે સહજાનંદની આગળ પોતાના હૃદયની બધી જ વેદનાનું નિવેદન કર્યું. કારણ કે એના માટે સહજાનંદ હવે કોઈ રીતે પરાયા રહ્યા જ નહોતા. II૫II પ્રેમઘેલી બનેલી એવી મારી આંખોમાંથી પડતાં પ્રેમનાં આંસુઓને તે હાથ વડે લૂછે છે. અને એને કંઠે વળગું ત્યાં તો મારા નયણાં ઠરે છે. વળી, એ સહજાનંદ મારી એટલી બધી કાળજી લે છે. મારે ઉપર કેટલો બધો સ્નેહ કરે છે. એણે તો મને દર્શ-સ્પર્શનું સુખ આપી કૃતાર્થ કરી દીધી છે સાહેલી! II૬II વળી, મારી મનગમતી મોજું, વહાલે મુજને આપી છે, એટલુ જ નહીં પરંતુ વચનથી બંધઈને તેણે મને પોતાની કરી સ્થિર કરી સ્થાપી છે. આગળના દિવસોમાં, જન્મોમાં મે કરેલા પાપો અને દુઃખો એણે કાપી નખ્યા છે. II૭II ગણિકા સહજાનંદનાં દર્શ-સ્પર્શ, પ્રસાદીનાં, પ્રસાદીના સુખથી આનંદિત બની. વળી પાછું આવું જ સુખ આપવા વણતેડ્યા વહેલામાં વહેલા પોતાની કને મોરલી વગાડતાં વાગડતાં પ્રીતથી બોલાવતાં થકા આવવાનું આમંત્રણ આપે છે. II૮II ગણિકાને હવે બરાબર સહજાનંદના સંગનો રંગ લાગ્યો છે. એટલે જ બન્નેના જીવ એકબીજાની આસપાસ ઘૂમે છે. ભગવાનનાં સાન્નિધ્યનું સુખ સાંપડે પછી બીજી કઈ અપેક્ષા રહે? એવું સુખ મળ્યા પછી ગણિકાને તો સ્વજન્મ સાર્થક થયાનું જ લાગે ને? મૂકતાનંદ સ્વામીએ પણ ભક્ત અને ભગવાન એકબીજામાં લીન થયાના સ્નેહભાવને સર્વોત્તમ માની આ પદમાં કંડારી લીધો. આપણું જીવન પણ એવું હોવું જોઈએ કે આપણા સ્વેષ્ટદેવ પણ ત્યાં પધારવા, નિવસવા અને વિવિધ રીતે મુક્તલીલા કરવા ઉદ્યત થાય. II૯II રહસ્યઃ- કવિએ ગણિકા અને સહજાનંદનું રમણીય, સ્મરણીય અને ચિંતનીય મિલનનું બયાન આબેહૂબ રીતે વર્ણવ્યું છે. સમસ્ત રચના ભાવપ્રધાન અને પેમપ્રધાન છે. જે સદ્ય-સંવેદ્ય બની રહે છે. નિઃસ્વાર્થ અને નિષ્પાપ સ્નેહની વાત નિખાલસ હૃદયે સાદી રીતે કહેવાણી છે છતા આકર્ષક લાગે છે. પદ સુગેય છે. સારંગ રાગમાં ગાવાથી શૃંગારાત્મક ભાવ વધુ સાકાર થાય છે. તાલલયનો પણ ભાવ રસમય છે. અને પદ-શબ્દનાં ભાવ પ્રમાણે સ્વરોનો ભાવ બદલી શકાય છે. આવું અદ્ભુત સ્વરોનું વૈવિધ્ય સ્વામીએ આ પદમાં મૂક્યું છે. તાલ કહરવા છે. સંગીતમાં મધ્યલયનો કેરવા તાલ એ અતિ ઉત્તમ અને આનંદદાયક ગણાય છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- જેતલપુરના અહિંસક યજ્ઞના પ્રારંભમાં શ્રીહરિ જેતલપુરની સ્ત્રીઓને ઘઉં દળવાની સેવા આપી કૃતાર્થ કરી રહ્યા છે. ત્યારે ગામની એક ગણિકાને પણ આ સેવા કરી પાવન થવાના કોડ જાગ્યા. તેણે સેવાની યાચના કરી. પ્રભુએ એ પતિતાને પાવન કરવા સ્વહાથે જ દળવાની શરતે ઘઉં આપ્યા. જે મહેલમાં હંમેશાં વાસનાનાં ભૂખ્યાં વરુઓને પોષવામાં આવતાં ત્યાં આજે સેવાની સરવાણીઓ ફૂટી. જે મુખમાં નિશદિન વિષયોનું જ ગાન થતું, તે મુખે આજે પ્રભુનાં કીર્તનો ગુંજવા લાગ્યાં. ભક્ત અને ભગવાનની સેવા કરવાથી પાવન બનેલ એ મહિલાના મહેલમાં મહારાજ પધાર્યા. આ પ્રસંગને નજરે નિહાળી મુક્તાનંદસ્વામીએ પતિતાના પ્રેમને શૃંગારાત્મક શબ્દોથી સાકાર કર્યો છે

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025