સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા,
આવી મારા તનડાના તાપ શમાવ્યા રે...ટેક.
હરખે શું ઊઠી હું તો સનમુખ ચાલી, તેડી બેસાર્યા મેં તો બાંહ્યલડી ઝાલી;
અક્ષરના વાલીડાને થાવાને વાલી (૩)...સજની૦ ૧
સનમુખે બેસી હું તો નીરખવા લાગી, લોકડિયાની મેં તો લાજ રે ત્યાગી;
મુખડું નીરખીને મારી ભૂખડલી ભાંગી (૩)...સજની૦ ૨
હરિને જમાડયા મેં તો હાથે સાહેલી, કુળની મરજાદા મેં તો કોરે લઈ મેલી;
શ્રીજીને જોઈ હું તો થઈ છું રે ઘેલી (૩)...સજની૦ ૩
પાનની બીડી મેં તો પ્રેમે શું આલી, હસીને હોંસીલે વાલે મુખડામાં ઝાલી;
પ્રીતે આવીને મારા, મુખડામાં આલી (૩)...સજની૦ ૪
સુંદર અગાસી મારી નૌતમ મેડી, ઊંચી અગાસી મુજને એકાંતે તેડી;
હૈડાની રાવું મેં તો, હરિ આગે રેડી (૩)...સજની૦ ૫
મનગમતી મોજુ વાલે મુજને રે આપી, વચને કરીને વાલે સ્થિર કરી સ્થાપી;
કોટિ જન્મનાં દુ:ખ, નાખ્યાં છે કાપી (૩)...સજની૦ ૬
પ્રેમનાં આંસુ મારે નયણે ઝરે છે, હાથે લુવે ને કર છાંયા કરે છે;
કંઠે વળગું ને મારાં, નયણાં ઠરે છે (૩)...સજની૦ ૭
વણતેડયા વેલા મારે મંદિરીએ આવો, મરકલડે મોહન મીઠી વેણુ બજાવો;
હેતે કરીને મુજને, હસીને બોલાવો (૩)...સજની૦ ૮
રંગના રંગીલા મુજને રંગ લાગ્યો તારો, કેડે ફરે છે જીવનપ્રાણ અમારો;
મુક્તાનંદ કહે છે મારો, જનમ સુધારો (૩)...સજની૦ ૯
સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા
હસમુખભાઈ પાટડિયા
સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા
નિર્વેશ દવે
સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા
ઇન્સ્ટ્રુમેન્ટલ
ભાવાર્થઃ- પ્રસ્તુત પદમાં ગણિકા પોતાની સાહેલીને ઉદ્દેશીને કહે છે કે હે સખી! આજે મારા અંતરનાં ભાવ પૂરા કરવા કરુણા કરી આનંદપૂર્વક મારે ઘેર શ્રીજી પધાર્યા, અને મારાં તનમનનાં દુઃખ નિવાર્યા. ગણિકા પોતાની વિશ્વાસી સખીને સહજાનંદ સાથેના પોતાના સ્નેહમિલનની ગૂઢ વાત ખૂબજ રસથી કરે છે. ગણિકા સહજાનંદના મિલન માટે ઘણા સમયથી આતુર હશે એવું તનના તાપનું સંદર્ભ જોતાં સ્પષ્ટ જણાય છે. એટલે જ હર્ષઘેલી બનેલી એ ગણિકા શ્રીહરિને આવતા જોઈ સન્મુખ ચાલી. વળી, વહાલમજીને વહાલી થવા પ્રીતમજીનો હાથ પકડી પલંગ પર બેસાડ્યા. અને ધારી – ધારીને એણે ધરમકુંવરનું મુખડું નીરખ્યું. કેમ કે એ તો એનો પ્રિયતમ સુંદર શ્યામ હતા. II ૧-૨ II હે સહેલી! કોઈની પણ આમન્યા રાખ્યા વિના મારે હાથે જ મેં હરિને જમાડ્યાનો લહાવો માણ્યો. વળી, એ ભાવનાં ભૂખ્યા ભગવાનની ભોજન આરોગવાની રીતે જોઈ હું તો પ્રેમ દીવાની જ બની ગઈ. II ૩ II હે મારી વિશ્વાસી સખી! હું તને વિશેષ તો શું કહું? પણ પ્રેમથી અર્પેલ પાનનું બીડું એણે પ્રેમથી લીધુ. પ્રસાદીનું કરી અડધું મને પાછું આપ્યું. પછી તો અમે સામસામી પાન બીડી દીધી અને લીધી. II૪II ગણિકાએ પોતાના સ્વામીનાથ એવા સહજાનંદની સાથે પોતાનું પૂર્ણ સાયુજ્ય થઈ શકે એ માટે જ એણે પોતાના ભવનની ઊંચી મેડીએ એકાંતમાં મિલન ગોઠવ્યું. ત્યાં એણે સહજાનંદની આગળ પોતાના હૃદયની બધી જ વેદનાનું નિવેદન કર્યું. કારણ કે એના માટે સહજાનંદ હવે કોઈ રીતે પરાયા રહ્યા જ નહોતા. II૫II પ્રેમઘેલી બનેલી એવી મારી આંખોમાંથી પડતાં પ્રેમનાં આંસુઓને તે હાથ વડે લૂછે છે. અને એને કંઠે વળગું ત્યાં તો મારા નયણાં ઠરે છે. વળી, એ સહજાનંદ મારી એટલી બધી કાળજી લે છે. મારે ઉપર કેટલો બધો સ્નેહ કરે છે. એણે તો મને દર્શ-સ્પર્શનું સુખ આપી કૃતાર્થ કરી દીધી છે સાહેલી! II૬II વળી, મારી મનગમતી મોજું, વહાલે મુજને આપી છે, એટલુ જ નહીં પરંતુ વચનથી બંધઈને તેણે મને પોતાની કરી સ્થિર કરી સ્થાપી છે. આગળના દિવસોમાં, જન્મોમાં મે કરેલા પાપો અને દુઃખો એણે કાપી નખ્યા છે. II૭II ગણિકા સહજાનંદનાં દર્શ-સ્પર્શ, પ્રસાદીનાં, પ્રસાદીના સુખથી આનંદિત બની. વળી પાછું આવું જ સુખ આપવા વણતેડ્યા વહેલામાં વહેલા પોતાની કને મોરલી વગાડતાં વાગડતાં પ્રીતથી બોલાવતાં થકા આવવાનું આમંત્રણ આપે છે. II૮II ગણિકાને હવે બરાબર સહજાનંદના સંગનો રંગ લાગ્યો છે. એટલે જ બન્નેના જીવ એકબીજાની આસપાસ ઘૂમે છે. ભગવાનનાં સાન્નિધ્યનું સુખ સાંપડે પછી બીજી કઈ અપેક્ષા રહે? એવું સુખ મળ્યા પછી ગણિકાને તો સ્વજન્મ સાર્થક થયાનું જ લાગે ને? મૂકતાનંદ સ્વામીએ પણ ભક્ત અને ભગવાન એકબીજામાં લીન થયાના સ્નેહભાવને સર્વોત્તમ માની આ પદમાં કંડારી લીધો. આપણું જીવન પણ એવું હોવું જોઈએ કે આપણા સ્વેષ્ટદેવ પણ ત્યાં પધારવા, નિવસવા અને વિવિધ રીતે મુક્તલીલા કરવા ઉદ્યત થાય. II૯II રહસ્યઃ- કવિએ ગણિકા અને સહજાનંદનું રમણીય, સ્મરણીય અને ચિંતનીય મિલનનું બયાન આબેહૂબ રીતે વર્ણવ્યું છે. સમસ્ત રચના ભાવપ્રધાન અને પેમપ્રધાન છે. જે સદ્ય-સંવેદ્ય બની રહે છે. નિઃસ્વાર્થ અને નિષ્પાપ સ્નેહની વાત નિખાલસ હૃદયે સાદી રીતે કહેવાણી છે છતા આકર્ષક લાગે છે. પદ સુગેય છે. સારંગ રાગમાં ગાવાથી શૃંગારાત્મક ભાવ વધુ સાકાર થાય છે. તાલલયનો પણ ભાવ રસમય છે. અને પદ-શબ્દનાં ભાવ પ્રમાણે સ્વરોનો ભાવ બદલી શકાય છે. આવું અદ્ભુત સ્વરોનું વૈવિધ્ય સ્વામીએ આ પદમાં મૂક્યું છે. તાલ કહરવા છે. સંગીતમાં મધ્યલયનો કેરવા તાલ એ અતિ ઉત્તમ અને આનંદદાયક ગણાય છે.
ઉત્પત્તિઃ- જેતલપુરના અહિંસક યજ્ઞના પ્રારંભમાં શ્રીહરિ જેતલપુરની સ્ત્રીઓને ઘઉં દળવાની સેવા આપી કૃતાર્થ કરી રહ્યા છે. ત્યારે ગામની એક ગણિકાને પણ આ સેવા કરી પાવન થવાના કોડ જાગ્યા. તેણે સેવાની યાચના કરી. પ્રભુએ એ પતિતાને પાવન કરવા સ્વહાથે જ દળવાની શરતે ઘઉં આપ્યા. જે મહેલમાં હંમેશાં વાસનાનાં ભૂખ્યાં વરુઓને પોષવામાં આવતાં ત્યાં આજે સેવાની સરવાણીઓ ફૂટી. જે મુખમાં નિશદિન વિષયોનું જ ગાન થતું, તે મુખે આજે પ્રભુનાં કીર્તનો ગુંજવા લાગ્યાં. ભક્ત અને ભગવાનની સેવા કરવાથી પાવન બનેલ એ મહિલાના મહેલમાં મહારાજ પધાર્યા. આ પ્રસંગને નજરે નિહાળી મુક્તાનંદસ્વામીએ પતિતાના પ્રેમને શૃંગારાત્મક શબ્દોથી સાકાર કર્યો છે
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી