શ્રી ખંભાત નિવાસી સુખરાશી શ્રીહરિકૃષ્ણસ્વામી; ૧/૧

પદ- ૫૫ ………………………૧/૧

સદ્‌ગુરુ શ્રીગોપાલાનંદજી સ્વામીએ ખંતપુરમાં

સ્થાપિત શ્રીહરિકૃષ્ણજી મહારાજ વિષે વર્ણન.

(આર્યા ગીતિ)

શ્રી ખંભાત નિવાસી

સુખરાશી શ્રીહરિકૃષ્ણસ્વામી;

પૂરન કીરતિ પ્રકાશી,

કર જોડીને વિનવું શિરનામી. (૧)

ભક્તિ ધરમથી પ્રગટ્યા,

નેતિ નેતિ નિગમ કહે જેને;

તે આ પુરમાં વસિયા,

રમા રાધિકા નિત્ય પૂજે એને. (૨)

નિજ જનને સુખ કરવા,

હરેક હરકત હરવાને ભારી;

નર વપુ નાથ ધર્યુ છે,

અક્ષરના પતિ નિરખો અવતારી. (૩)

મનમોહનની મૂરતિ,

નવિન નવિન નિત્ય હરખ વધે જોઇ;

પ્રેમ ધરીને પ્રીતે,

રસિયાજીમાં રહિયે ચિત્ત પ્રોઇ. (૪)

વિશ્વ સકળના સ્વામી,

વિશ્વવિહારીલાલજી જય પામો;

આશિષ એહ અમારી,

જગત બધામાં જશ પૂરણ જામો. (૫)

મૂળ પદ

શ્રી ખંભાત નિવાસી સુખરાશી શ્રીહરિકૃષ્ણસ્વામી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી