વરતાલવાસીને વિનવું, હરિકૃષ્ણજી મહારાજને ;૧/૨

પદ- ૭૩ ………………૧/૨

વરતાલપુરવાસી શ્રીહરિકૃષ્ણમહારાજ

અક્ષરપતિને વિનતિ વિષે.

( પદ રાગ સોરઠી ગજલ )

વરતાલવાસીને વિનવું, હરિકૃષ્ણજી મહારાજને ; (ટેક)

અક્ષરપતિ લક્ષ્મીપતિ, સાધુપતિ સેવું અતિ;

ગોવિંદ ગુણ જહાજને, હરિકૃષ્ણજી (૧)

પ્રગટ્યા શ્રીભક્તિ ધર્મથી, ઉગારિયા તો અધર્મથી;

સુખી કીધો સંત સમાજને , હરિકૃષ્ણજી (૨)

અમાપ પ્રૌઢ પ્રતાપ છે, અવતારી આપો આપ છે;

કરે કોટી જનના કાજને, હરિકૃષ્ણજી (૩)

વૃષકુળ ભાણ સુજાણ છે, જન પ્રાણ સુખની ખાણ છે;

શ્રીભગવત સુત શિરતાજને, હરિકૃષ્ણજી (૪)

મૂળ પદ

વરતાલવાસીને વિનવું, હરિકૃષ્ણજી મહારાજને ;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી