બલિહારી કૃષ્ણ દિનેશ પ્રગટ્યા પૂરવમાં ૧/૪

 પદ ૧૦૪૯  ૧/૪રાગ : ગરબી

બલિહારી કૃષ્ણ દિનેશ પ્રગટ્યા પૂરવમાં,

જેને ગાવે શારદા શેષ પ્રગટ્યા પૂરવમાં, ..........           ટેક.

અક્ષરપર શ્રીવાસુદેવ થયા ભક્તિ ધર્મના બાળ રે,

શ્રી પુરુષોત્તમ પૂરણ પોતે કેશવ દીનદયાળ.         પ્રગટ્યા૦ ૧

હરિપ્રસાદ તે તાત ધર્મતનું ભક્તિ પ્રેમવતી નામ રે,

ગોત્ર સાવર્ણિ કોથુમી શાખા સરવરીયા વેદ શ્યામ.   પ્રગટ્યા૦ ૨

અવધપુરીને પાસે સુંદર છપૈયા એક ગામ રે,

ચૈત્ર શુકલ નવમીએ પ્રગટ્યા, પાડે શ્રીઘનશ્યામ.    પ્રગટ્યા૦ ૩

મોટા બંધુ રામપ્રતાપ ને છોટા ઇચ્છારામ રે,

વચેટ પ્રેમાનંદનો સ્વામી કેશવ પૂરણ કામ.          પ્રગટ્યા૦ ૪

મૂળ પદ

બલિહારી કૃષ્ણ દિનેશ પ્રગટ્યા પૂરવમાં

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)
ભીમપલાસી
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
1