પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મના બાળ રે ૧/૧

                      ગવાયેલ કડીઓ 
પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મના બાળ રે ।।૬।।
એ છે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વાર ન પાર રે ।
નવ પો’ચે મન વાણી વિચાર રે, એવા અગમ શ્રી ધર્મકુમાર રે ।।૭।।
એ છે પુરુષોત્તમ અધિરાય રે, વાસુદેવ નારાયણ કે’વાય રે ।।૧૩।।

                         આખું કીર્તન  

-ઃ પુરુષોત્તમપ્રકાશ ઃ-

દોહા - ભક્તિ ધર્મ સુત શ્રીહરિ, સહજાનંદ સુખરૂપ ।

વિનય સહિત વંદન કરું, પાવન પરમ અનૂપ ।।૧।।

ચિંતવિ ચરણનખચંદ છટા, લખી ઉર અમિત પ્રતાપ ।

વંદુ વિઘ્ન વિનાશકર, હરણ વિપત અણમાપ ।।૨।।

સ્વામિનારાયણ સુખદ, પ્રગટ વિદિત જગસૂર ।

ત્રિવિધ તાપ અજ્ઞાન તમ, કળિમળ મત કર ચૂર ।।૩।।

આપો વાણી રસ ભરી, વિમળ મતિ અવિનાશ ।

ચરણ વંદી આદર કરું, પુરુષોત્તમપ્રકાશ ।।૪।।

ચોપાઇ=

રચુ ગ્રંથ પ્રગટ ગુણ જુક્તરે, કૃપા કરો હરિજન મુક્તરે ।

આ ગ્રંથ પ્રગટ પર જાણીરે, લેજ્યો પ્રગટ મહિમા ઉર આણીરે ।।૫।।

નામ પુરુષોત્તમ પ્રકાશ રે, પુરુષોત્તમ મહિમા નિવાસ રે ।

પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મના બાળ રે ।।૬।।

એ છે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વાર ન પાર રે ।

નવ પો’ચે મન વાણી વિચાર રે, એવા અગમ શ્રી ધર્મકુમાર રે ।।૭।।

જેને નિગમ નેતિ નેતિ કહે રે, અલ્પબુદ્ધિ પાર કેમ લહે રે ।

એના ચરણ કમળ પરતાપ રે, કરું કંઇક અમાપનો માપ રે ।।૮।।

લખું દિશમાત્ર તે વિચારી રે, કૃપા કરજ્યો સંત સુખકારી રે ।

જ્યાં રે’છે સદા સુખકારી રે, વરણવું ધામ તે મૂર્તિ સંભારી રે ।।૯।।

શ્રીગોલોક ધામ મોઝાર રે, અક્ષરધામ છે હરિનું સાર રે ।

કોટિ રવિ શશિ તડિત અનળ રે, તેમના તેજથી અતિ નિર્મળ રે ।૧૦

એ છે પરમ દિવ્ય અતિશ્વેત રે, સચ્ચિદાનંદ રૂપનિકેત રે ।

જેને બ્રહ્મપુર કહે અમૃતધામ રે, પરમપદ આદિ અનંત નામ રે ।૧૧

જેને કે’છે બ્રહ્મ ચિદાકાશ રે, એમાં સદાય શ્રીહરિનો વાસ રે ।

એ શ્રીકૃષ્ણનું અક્ષરધામ રે, પરમ પાવન પૂરણ કામ રે ।।૧૨।।

એમાં સદાય શ્રીહરિ વિરાજે રે, નિરખિ કોટિ કામ છબિ લાજે રે ।

એ છે પુરુષોત્તમ અધિરાય રે, વાસુદેવ નારાયણ કે’વાય રે ।।૧૩।।

પરમાત્મા પરબ્રહ્મ નામ રે, બ્રહ્મ ઇશ્વર પરમેશ્વર શ્યામ રે ।

કહે વિષ્ણુ વૈકુંઠપતિ સ્વામી રે, એ છે અનંત નામના નામી રે ।।૧૪।।

એ છે અક્ષરપર અવિનાશ રે, સર્વકર્તા નિયંતા નિવાસ રે ।

કારણકારણ કળા વિકાશ રે, અંતરજામી નિર્ગુણ સ્વયંપ્રકાશ રે ।૧૫।

એ છે સ્વતંત્ર સર્વાધાર રે, એવા ભક્તિ ધર્મના કુમાર રે ।

અનંત કોટી મુક્ત બ્રહ્મરૂપ રે, તેમને ઉપાસ્યા યોગ્ય અનુપ રે ।।૧૬।।

અનંત કોટિ બ્રહ્માંડની જેહ રે, ઉત્પત્તિ સ્થિતિ લય કહિએ તેહ રે ।

એવી લીળા જેની અતિ સાર રે, એવા ધર્મકુંવર કિરતાર રે ।।૧૭।।

માયા પુરુષ કૃતાંત અનાદિ રે, પ્રધાનપુરુષ મહત્તત્ત્વ આદિ રે ।

એ આદિ અનંત શક્તિધાર રે, એના પ્રેરક ધર્મકુમાર રે ।।૧૮।।

અનંત કોટી બ્રહ્માંડના જેહ રે, સ્વામી રાજાધિરાજ છે તેહ રે ।

સદા કિશોરમૂર્તિ શોભાધામ રે, પરમ પાવન પૂરણકામ રે ।।૧૯।।

દેખી કોટિ રતિપતિ લાજે રે, મેઘ નવીન શ્યામ છબી છાજે રે ।

ભક્તવત્સલ મહા ભયહારી રે, એવા ધર્મકુંવર સુખકારી રે ।।૨૦।। 

મૂળ પદ

પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મના બાળ રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0