Logo image

ધર્મકુંવર ક્યારે આવશો, વ્હાલા શ્યામ સુજાણ;

ધર્મકુંવર ક્યારે આવશો, વ્હાલા શ્યામ સુજાણ;

તમરે વિના મારા નાથજી, પડ્યા પરવશ પ્રાણ.      ધર્મ.૧

વિરહે વ્યાકુળ ચિત્ત મારું, અતિશે અકળાય;

જીવન તમને જોયા વિના, ઘડી જંપ ન થાય.        ધર્મ.૨

દિવસે તો દિલમાં ગોઠે નહિ, રાત રોઇ રોઇ જાય;

નેણે આસુંની ધારા વહે, ક્યાંય શાંતિ નવ થાય.      ધર્મ.૩

મદિર મોહન તમ વિના, ખાલી ખાવાને ધાય;

નિત્યે નિશ્વાસ મૂકું હરિ, કેમે દિવસ ન જાય.          ધર્મ.૪

વાઘે છે વિરહ વેદના, વ્હાલા જાણો જરૂર;

દુર્બળ દેહે ખમાય નહિ, ન થાય દુ:ખડા દૂર.         ધર્મ.૫

જેમ ચકોરને ચંદ્ર છે, તેમ તમે છો નાથ;

વણદીઠે અકળાઉં છું, ચિત્ત મારું તમ સાથ.           ધર્મ.૬

દીનદયાળુ કહી સદા, નિગમાગમ ગાય;

દુ:ખ દેખી શકો દાસનું, એ આશ્ચર્ય ગણાય.           ધર્મ.૭

વિનંતી વ્હાલા સુણી મારી, શ્રીહરિ તતખેવ;

જીવન જગદીશાનંદના, દેજો દર્શન દેવ.             ધર્મ.૮

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જગદીશાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વિરહ, દૃષ્ટાંત,. દાખલો, નમુનો, ઉદાહરણ
વિવેચન:
આસ્વાદ : પ્રેમીભક્ત કવિ શ્રી જગદીશાનંદ બ્રહ્મચારી પ્રસ્તુત પદમાં પોતાના પ્રાણપ્યારા પ્રિયતમ સ્વેષ્ટ શ્રી સહજાનંદ સ્વામીના વિરહમાં વ્યાકુળ અંતરે મિલનનો મીઠો તલસાટ અભિવ્યક્ત કરે છે. વિરહાનુભૂતિ પણ ઈશ્વરભક્તિનું અભિન્ન અંગ જ છે. જ્યાં સુધી પ્રેમીભક્ત પરમ વિરહાસક્તિ નથી અનુભવતો ત્યાં સુધી તેનો પ્રેમ નવધા ભક્તિની પરાકાષ્ઠારૂપ પ્રેમલક્ષણા ભક્તિના અંતિમ ચરણે નથી પહોંચતો. ખરેખર તો પરમ વિરહાસક્તિ એ જ પ્રેભુપ્રેમની સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ અવસ્થા છે. કવિનું હૈયું આજે પોતાના વ્હાલીડાના વિયોગે વ્યાકુળ બન્યું છે. પ્રીતમ વિના પ્રેમવિયોગી ભક્તના પ્રાણ પરવશ થયાં છે. પ્રાણાધાર પ્રભુના દર્શન વિના દિલને ચેન પડતું નથી. બેકરારીના અજંપામાં દિવસો વીતે છે, જ્યારે રાત્રીના એકાંતમાં વિરહની અકથ્ય વેદના આસુંઓની ધારાઓમાં ધોવાય છે. છતાંય અંતરમાં શાંતિની શીળી છાયા વર્તાતી નથી. જ્યાં સુધી અંતરમાં પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર નથી થતો ત્યાં સુધી મનનું મંદિર માણિગરની મૂર્તિ વિના સાવ ખાલી ભાસે છે. સૂનું અંતર કવિને કઠે છે. એમની વિરહવેદના હવે માઝા મૂકે છે. કવિ રસિક પિયા મનોહર મૂર્તિ ઘનશ્યામ પ્રભુને આરતભર્યા અંતરે પોકારે છે : હે નાથ! આ દુર્બળ દેહ હવે વધુ વિરહની વેદના ખમી શકે તેમ નથી. જેમ ચાતક આતુર નયને ચંદ્રને નિરખ્યા કરે છે એમ હે પ્રીતમ! મારું અંતર અહોનિશ આપના દર્શન ઝંખ્યા કરે છે. વ્હાલા! મારું મનડું તો આપની રસિક રૂપમાધુરીએ હરી લીધું છે. વળી શાસ્ત્રોમાં આપને દીનદયાળુનું બિરુદ આપવામાં આવ્યું છે. છતાં પણ આપના આ દાસનું અસહ્ય દુ:ખ આપ દેખી રહ્યા છો પણ દૂર નથી કરતા એ અત્યંત આશ્ચર્યની વાત છે. કૃપાનાથ! મારી અંતરની આટલી આરઝુ સ્વીકારી મને તત્કાળ દર્શન દેવા કૃપા કરશો. કવિ જગદીશાનંદ બ્રહ્મચારીની પ્રસ્તુત વિરહવિભાવના કરુણાત્મક વિયોગશૃંગારનું જ્વલંત દ્રષ્ટાંત છે. પદ સુગેય તથા પ્રાસાદિક છે.
ઉત્પત્તિ:
સદ્‍ગુરુ શ્રી જગદીશાનંદ બ્રહ્મચારીનો જન્મ સંવત ૧૯૨૨માં સૌરાષ્ટ્રના પિપલાણા ગામમાં પવિત્ર બ્રાહ્મણ મહેતા પરિવારમાં થયો હતો. તેઓ બાળપણથી જ અત્યંત ભગવદીય અને વૈરાગ્યવાન હતા. જૂનાગઢ મદિરમાં વિદ્વત્‍વર્ય અચિંત્યાનંદ બ્રહ્મચારીનો અનાયાસે યોગ થતાં તેઓ બ્રહ્મચારી મહારાજની વિદ્વતા, સત્સંગપરાયણતા અને શ્રીજીમહારજ પ્રત્યેની સર્વોપરી ઉપાસના તથા દ્રઢનિષ્ઠાથી અત્યંત પ્રભાવિત થયા. તત્કાળ તેમણે સ. ગુ. શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીને પોતાના જ્ઞાનગુરુ તરીકે સ્વીકારી જીવનપર્યંત તેમની પાસે રહેવાનો નિર્ધાર કર્યો. ધ.ધુ. આચાર્ય મહારાજ પાસેથી બ્રહ્મચારીની ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે શાસ્ત્ર, પુરાણ, વ્યાકરણ વગેરેનો અભ્યાસ કવિવર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે કર્યો. વળી સં. ૧૯૫૩માં તેમણે રાજકોટના જીવણરામ શાસ્ત્રી પાસે સંસ્કૃત વાઙમયનો વિશદ વિદ્યાભ્યાસ કર્યો. બ્રહ્મચારી જગદીશાનંદજી એક પ્રખર શાસ્ત્રજ્ઞ વિદ્વાન તો હતા જ, પરંતુ સાથે સાથે તેઓ એક સિદ્ધહસ્ત રસકવિ હતા. તેમની કાવ્યરચનાઓ ‘રસિક પદ રચના’ નામે પ્રકાશિત થયેલી છે. જગદીશાનંદને કવિવર દલપતરામ સાથે ઘણું હેત હતું. પિંગળશાસ્ત્રનું પૂર્ણ જ્ઞાન તેમને દલપતરામ પાસેથી મળેલું. તેથી ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે બ્રહ્મચારીએ દલપતરામના ગુણાનુવાદ કરતો લઘુગ્રંથ ‘દલપતબત્રીસી’ રચ્યો જે સં. ૧૯૬૨માં રાજકોટથી પ્રસિદ્ધ થયો હતો. જગદીશાનંદ બ્રહ્મચારીએ સત્સંગસાહિત્યની અણમોલ સેવા કરી છે. શ્રીજીમહારાજે પંચાળમાં જે રાસોત્સવ કર્યો તેનું વિશદ વર્ણન કરતો લઘુગ્રંથી ‘પંચાળા-રાસોત્સવ’ તથા શ્રીહરિની અંતર્ધ્યાન લીલાનું વર્ણન કરતો ‘શ્રીહરિ દેહોત્સવ’ ગ્રંથ તેમની અપ્રતિમ સત્સંગસેવાના જીવંત દ્રષ્ટાંતો છે. આ રીતે દેવસેવા, કથાવાર્તા અને સત્સંગ સાહિત્ય નિર્માણ દ્વારા સંપ્રદાયની અનેરી સેવા કરનાર બ્રહ્મનિષ્ઠ કવિ સદ્‍ગુરુ શ્રી જગદીશાનંદ બ્રહ્મચારી સં. ૧૯૬૮ના કારતક સુદ એકાદશીના દિવસે માણાવદરમાં અક્ષરધામમાં પધાર્યા.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025