Logo image

રંગ રસબસ હરિસંગ, સખા સુર સંત સમાજા.

રંગ રસબસ હરિસંગ,

સખા સુર સંત સમાજા.

ખેલેઉ હોરી ખેલ,

બજાઇ કે વિવિધ સુ બાજા.

સબહી વ્રત મિલિ સાથ,

સભર જલ જીલત સાજા.

અશ્વ ભયી અસવાર,

રસિક મુનિવર મહારાજા.

નારાયણ શુભ ધાટ નવીન,

ગરક કિયે જલ રંગ સે.

વૈષ્ણવાનંદ સાભર વદે,

ગુણ સાગર ભઇ ગંગસે.

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
હોળી, રંગ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
વૈષ્ણવાનંદ સ્વામી
વિવેચન:
આસ્વાદ: પ્રસ્તુત પદમાં કવિ વૈષ્ણવાનંદ સ્વામીને ખડી હિન્દી શૈલીમાં શ્રીહરિએ અમદાવાદમાં જે રંગોત્સવ ઉલ્લાસભેર ઉજવ્યો હતો તેનું અત્યંત રસમય બાનીમાં બયાન કર્યું છે. સંપ્રદાયમાં શ્રીજીમહારાજ સાથે સખાભાવે બે મહાનુભાવોએ જ સંબંધ કેળવ્યો હતો. તેમાં એક હતા લોયાના દરબાર સુરાખાચર અને બીજા હતા સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી. કવિએ અહીં 'સખા સુર સંત સમાજા' દ્વારા શ્રીહરિના અંતરંગ સંત હરિભક્તોને દર્શાવ્યા છે. ભગવાન અને એમના કાળજાના કટકા જેવા પ્રાણપ્યારા ભક્તો વચ્ચે રંગની રેલમછેલ થઈ રહી છે.'રંગ રસબસ હરિસંગ કાવ્યનો આ ઉપાડ અત્યંત અર્થગંભીર છે. રંગ એ દિવ્ય આનંદનું પ્રતિક છે પરમાત્માના સ્વરૂપમાંથી દિવ્ય તેજ અને આનંદની છોળો ઉડે છે, એને બ્રહ્મરૂપ થયેલા ભક્તો ઝીલીને એ સ્વરૂપમાં રસબસ થઈ અહોનિશ એ આનંદને માણે છે. અવરભાવમાં જે રંગોત્સવ રમાઈ રહ્યો છે તેના દુરગામી પ્રત્યાઘાતો પરભાવમાં પડી રહ્યા છે. રંગોત્સવ દરમ્યાન વાગતા વિવિધ વાદ્યોના ધ્વનિતરંગો અંતરને આહલાદ્થી ભરી દે છે. શ્રીજીમહારાજ સંત હરિભક્તોને મનભરીને હોળી રમાડ્યા પછી અશ્વારૂઢ થઈને સાબરમતી નદીમાં જળક્રીડા કરવા માટે નારાયણ ઘાટે આવ્યા. સાબરમતીના જળને પણ શ્રીહરિએ આજે રંગભીનું કરીને કૃતાર્થ કર્યું છે. બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચે સતત રમાઈ રહેલી આનંદના આદાનપ્રદાનની રંગલીલા એક સનાતન સત્ય છે! કવિ વૈષ્ણવાનંદની આ રચના સરળ, આસ્વાદ્ય અને સુગેય છે.
ઉત્પત્તિ:
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમા શ્રીહરિ સમકાલિન નંદસંતોમાં એક જ નામધારી અનેક સંતો થઈ ગયા હોવાથી અલગઅલગ ગ્રંથોમાં આવતા કથા પ્રસંગો ચોક્કસ ક્યા સંતના સંદર્ભમાં લખાયા છે તેનું સંશોધન અતિ કપરું બની જાય છે. વૈષ્ણવાનંદ નામના ચાર સંતો સંપ્રદાયના ઇતિહાસમાં નોંધાયા છે. સદ્‍ગુરુ મંજુકેશાનંદ સ્વામી 'નામમાળા' માં લખે છે: મોટા વૈષ્ણવાનંદ ઉદાર રે જેણે સેવ્યા પ્રગટ સુખકાર રે બીજા વૈષ્ણવાનંદ છે બેઉ રે રૂડા સંત ત્યાગી ઘણા તેઉ રે. મોટા વૈષ્ણવાનંદ સ્વામી સદ્‍ગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. તેમણે પ્રભાનંદ સ્વામીને શ્રીહરિનો પ્રથમ પરિચય કરાવેલો. બીજા વૈષ્ણવાનંદ ગુજરાતના બામણવા ગામના હતા અને તેમણે ધોરાજીમાં શ્રીજીમહારાજ પાસે સાધુની દિક્ષા લઈ વૈષ્ણવાનંદ નામ ધારણ કર્યું હતું. તેઓ આત્માનંદ સ્વામીના મંડળમાં રહેતા હતા. ત્રીજા વૈષ્ણવાનંદ સ્વામી સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. તેઓ કવિ અને શતાવધાની હતા. કવિવર દલપતરામ આ વૈષ્ણવાનંદ સ્વામીને મૂળી મંદીરમાં રૂબરૂ મળ્યા હતા. “બ્રહ્મસંહિતા” માં એક પ્રસંગ આવે છે. એકવાર મારવાડના જોધપુરથી દેવદાસ નામનો એક અષ્ટાવધાની કવિ મૂળી મંદિરમાં આવ્યો હતો. મૂળીના પિગળશી કવિ તેને બ્રહ્મમુનિ પાસે લઈ આવ્યા. વાતવાતમાં દેવદાસે પૂછ્યું: સ્વામી, તમે અષ્ટાવધાન કરો છો? સ્વામી કહે, અષ્ટાવધાન તો અમારો નાનકડો સાધુ વૈષ્ણવાનંદ પણ કરે છે, અમે તો શતાવધાન અને સહસ્ત્રાવધાન કરીએ છીએ. પછી સાધુ વૈષ્ણવાનંદને બેસાડી અષ્ટાવધાન કરાવતા મારવાડી કવિ દેવદાસ દિગ્મૂઢ થઇ ગયો. આ વૈષ્ણવાનંદ સ્વામીને શ્રીજીમહારાજે નિર્લોભાનંદ સ્વામી સાથે કચ્છ-ભુજનું મંદિર કરવા માટે મોકલ્યા હતા. હરિલીલામૃત (કળશ-૮, વિશ્રામ-૧૦) માં આ વાતને સમર્થન મળે છે. સંવત ૧૮૮૮ના અષાઢ સુદ ૧૨ના દિવસે ભુજથી સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી ઉપર જે પત્ર લખવામાં આવ્યો હતો તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે કચ્છ-ભુજનું મંદિર બ્રહ્મમુનિના શિષ્ય આ વૈષ્ણવાનંદ સ્વામીએ જ કરાવ્યું હતું અને ભુજ મંદિરના આદિ મહંત પણ આ જ વૈષ્ણવાનંદ સ્વામી હતા. સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્વામી શ્રીહરિચરિત્રામૃતમાં લખે છે: “વૈષ્ણવાનંદ સ્વામી વિદીત, પ્રભૂ ભજે કરી અતિ પ્રીત”. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સાહિત્યમાં 'હરિલીલાસિંધુ' નામની ખડી હિન્દી ભાષામાં તુલસીકૃત રામચરિતમાનસની શૈલીમાં શ્રીજીમહારાજની અદ્‍ભુત લીલાઓનું રોચક વર્ણન કરતી સુંદર રચના છે. આ ગ્રંથના રચયિતા પણ વૈષ્ણવાનંદ સ્વામી છે. પંરતુ એ ક્યા વૈષ્ણવાનંદ છે એ અંગે સંપ્રદાયમાં થોડાક મતભેદો પ્રવર્તે છે. સાંપ્રત વિદ્વાનોનું એમ માનવું છે કે આ ત્રણ વૈષ્ણવાનંદ સિવાય સંપ્રદાયમાં વૈષ્ણવાનંદ બ્રહ્મચારી નામે એક વિદ્વાન કવિ થઈ ગયા, તેમણે શ્રીહરિલીલાસિંધુ અને પુરુષોત્તમવિવાહ જેવા ગ્રંથોની રચના કરી છે. તેઓ ઝાલાવડના હળવદ તાલુકાના ધનાળા ગામના વતની હતા. બાલ્યકાળથી જ સત્સંગના રંગે રંગાયેલા અંબારામ જન્મજાત સિદ્ધપુરુષ હતા. શ્રીજીમહારાજે તેમને બ્રહ્મચારીની દિક્ષા આપી તેમનું નામ વૈષ્ણવાનંદ વર્ણી પાડ્યું હતું. સં ૧૮૭૪માં શ્રીજીમહારાજ રોજકા, બરોળ, કણભા, કરિયાણા વગેરે ગામોમાં વિચરેલા ત્યારે આ વૈષ્ણવાનંદ બ્રહ્મચારીએ મહારાજની સાથે રહીને થાળ બનાવીને જમાડવાની સેવા કરી હતી. શ્રી લક્ષ્મીરામ શાસ્ત્રીએ 'લીલા ચિંતામણી' માં આ હકીકત નોંધી છે. સદ્‍ગુરુ વૈષ્ણવાનંદ સ્વામી એક સિધ્ધહસ્ત કવિ હતા. એતો તેમના કીર્તનો અને ગ્રંથો વાંચીને સહેજે સમજી શકાય તેમ છે, અમદાવાદમાં શ્રીજીમહારાજે રંગોત્સવ ઉજવીને નારાયણધાટે સાબરમતી નદીમાં જે જળક્રીડા કરી તેનું મનોરમ્ય વર્ણન નજરે નિહાળીને કવિએ પોતાના કીર્તનમાં ઉતાર્યું છે. એના શબ્દો છે- 'રંગ રસબસ હરિસંગ, સખા સુર સંત સમાજા...' કાવ્યકૃતિ- રંગ રસબસ હરિસંગ, સખા સુર સંત સમાજા. ખેલેઉ હોરી ખેલ, બજાઈ કે વિવિધ સુ બજા. સબહી વ્રત મિલિસાથ, સભર જલ ઝિલત સાજા. અશ્વ ભયી અસવાર, રસિક મુનિવર મહારાજા. નારાયણ શુભ ધાટ નવીન, ગરક કિયે જલ રંગ સે. વૈષ્ણવાનંદ સાભરવદે, ગુણ સાગર ભઈ ગંગસે.
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025