મનડું રંગાયા વિનારે ભક્તિ ન ભાવે રે ૧/૧

મનડું રંગાયા વિનારે ભક્તિ ન ભાવે રે
ભીતર ભેદાણા વિના રે સમાધિ ન આવે રે
એવું સદ‌્ગુરુ સાચું સમજાવે નારાયણ સ્વામી રે .મનડું રંગાયા૦૧
મીરાબાઇ કેરું જ્યારે મનડું રંગાણું ત્યારે 
ઝેરના કટોરા પચાવે રે નારાયણ સ્વામી ...       મનડું રંગાયા૦૨   
નરસિંહ મહેતાનું જ્યારે મનડું રંગાણું ત્યારે 
હરિવર આવી હાર પહેરાવે  નારાયણ સ્વામી .. મનડું રંગાયા૦૩ 
ધના રે ભગતનું જ્યારે મનડું રંગાણું રે ત્યારે
એતો વેળુના ઘઉં નીપજાવે નારાયણ સ્વામી ... મનડું રંગાયા૦૪ 
રોહીદાસનું રે જ્યારે મનડું રંગાણું ત્યારે 
ચર્મકુંડે ગંગાજી વહાવે નારાયણ સ્વામી ...        મનડું રંગાયા૦૫ 
ગુરુ રામાનંદજીએ જ્ઞાન એ બતાવ્યું રે 
ગુરુ ગુણને મુક્તાનંદ ગાવે નારાયણ સ્વામી ... મનડું રંગાયા૦૬

 

મૂળ પદ

મનડું રંગાયા વિનારે ભક્તિ ન ભાવે રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
2
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
0