સુખના ભરેલા શ્રીહરિ મારા, લાગો છો મુજને પ્યારા રે ૧/૧

 સુખના ભરેલા શ્રીહરિ મારા, લાગો છો મુજને પ્યારા રે;
	મંદમંદ હસતા, દિલ મારે વસતા...લાગો૦ ટેક.
દૂર ન જાશો આવોને ઓરા, ચુંમવા દ્યોને ગાલ આ ગોરા;
	મૂર્તિથી નીકળે તેજ આ ન્યારું...લાગો છો૦ ૧
વાદળી વાઘા વાલા લાગે છે, ગોળ ફરો ત્યાં ભાવ જાગે છે;
	ચટકતી ચાલે ચાલો છો સ્વામી...લાગો છો૦ ૨
કેસરિયો આ ખેસ લટકે છે, મોતીડાંની માળામાં મન અટકે છે;
	નંગના તેજે મુખ ચમકે છે...લાગો છો૦ ૩
જ્ઞાનજીવન આ મુખ તમારું, ધારું વિચારું ને નિત્ય સંભારું;
	ચરણ સુખાળાં છાતીએ આપો...લાગો છો૦ ૪ 
 

મૂળ પદ

સુખના ભરેલા શ્રીહરિ મારા

મળતા રાગ

ફરીવાર વાલા દીનદયાલા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
માધુરી મૂર્તિ
Studio
Audio & Video
0
0