Logo image

મારા કરુણાસાગર ઘનશ્યામ રે, શ્રીહરિ અવતારી        

મારા કરુણાસાગર ઘનશ્યામ રે, શ્રીહરિ અવતારી;
          સદા રાજી રહેજો સુખધામ રે, દયાળુ દુ:ખહારી...ટેક.
દાસ જાણજો મને આપનો હે સ્વામી,
         ટાળજો સર્વે મારી ખામી રે...શ્રીહરિ૦ ૧
નિષ્કામ ભક્તો છે બહુ તને પ્યારા,
         આપ જ મોક્ષ દેનારા રે...શ્રીહરિ૦ ૨
કુસંગ માર્ગનો ક્ષય કરનારા,
         સમરથ સર્વાધારા રે...શ્રીહરિ૦ ૩
જ્ઞાનજીવન કહે આપનાં ચરિત્ર,
         કરે પાપ બાળી પવિત્ર રે...શ્રીહરિ૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાનના પદો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026