મારે પિયુડા વિના હવે કેમ જીવવું, મારે નાથ વિયોગે રહેવાતું નથી ૧/૧

મારે પિયુડા વિના હવે કેમ જીવવું ?
મારે નાથ વિયોગે રહેવાતું નથી;
 		તેને મળવા હે સખી મારે કેમ કરવું ?
 		છેટે રહેવાનું દુ:ખ સહેવાતું નથી...મારે૦ ટેક.
મારે માથે હતા નાથ રાજી બહુ,
એ આનંદની વાત સખી શું રે કહું;
	હવે પિડાય છે હૈયું મારું બહુ બહુ,
	હવે રાજી હશે કે વાલો નહીં હોય (૨)
 		રાજી જાણ્યા વિના સુખ થાતું નથી...મારે૦ ૧
હરિ રાજી જો હોય તો હું કાંઈ ના માગું,
એના રાજીપા માટે મારાં સુખો ત્યાગું;
	એને સુખી જોવાને દિનરાત જાગું,
	એને રાજીપે રાજી એને સુખે સુખી (૨)
 		એના સિવાય બીજું મારે જો’તું નથી...મારે૦ ૨
એની મરજી જો હોય તો જ મળજો હરિ,
એની મરજી ના હોય તો ના મળજો હરિ;
	હું તો પિયુડા માટે જ જીવીશ ખરી,
	હરિ જેમ રાજી હોય તેમ રહીશ પરી (૨)
 		જ્ઞાનસખીથી બીજું બોલાતું નથી...મારે૦ ૩
 

મૂળ પદ

મારે પિયુડા વિના હવે કેમ જીવવું, મારે નાથ વિયોગે રહેવાતું નથી

મળતા રાગ

કહે પ્રભુજી સુણો સહુજનો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સાધુ નિરંજનદાસ)
Studio
Audio
20
5
 
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સોલી કાપડીયા)
Studio
Audio
0
0