જય સત્સંગિજીવન, પ્રભુ જય સત્સંગિજીવન (સત્સંગિજીવન ગ્રંથ આરતી) ૧/૧

જય સત્સંગિજીવન, પ્રભુ જય સત્સંગિજીવન;
	પ્રગટ હરિ છો પ્યારા (૨) પળમાં કરો પાવન...જય૦ ટેક.
શતાનંદ સ્વામીથી પ્રગટયા, ઘોર કળિમાં હરિ પ્રભુ (૨)
	પંચ પ્રકરણરૂપ શ્રીજી (૨) છો તમે સર્વોપરિ...જય૦ ૧
સુવ્રત પ્રતાપ સંવાદે, અધ્યાય ત્રણસો ઓગણીસ પ્રભુ (૨)
	શ્ર્લોકો છે સત્તર હજાર (૨) છસો ને સત્યાવીસ...જય૦ ૨
પાઠ કથા પારાયણ, તમ તણાં કોઈ કરશે પ્રભુ (૨)
	મનોવાંછિત ફળ મળશે (૨) દુ:ખ સર્વે ટળશે...જય૦ ૩
ધર્મ એકાંતિક ધર્તા, શુદ્ધ જ્ઞાનદાતા છો (તમે) (૨)
	સ્વામિનારાયણ પંથમાં (૨) મોક્ષની માતા છો...જય૦ ૪

 

 

મૂળ પદ

સત્સંગિજીવન ગ્રંથ આરતી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સમૂહગાન
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
આરતી સંગ્રહ
Studio
Audio
0
0