શ્રીજી ને સંતો દયા કરજો, મારા અંતરમાં સદાય વાસ કરજો ૧/૧

 શ્રીજી ને સંતો દયા કરજો, મારા અંતરમાં સદાય વાસ કરજો;
	આપોને તમારું જ્ઞાન વાલમા, અંત:શત્રુ ને પાપ બધાં નાશ કરજો-ટેક.
સર્વે તીરથમાં હું થાકી ભટકી, તમારે શરણે હરિ આવી અટકી;
	શાંતિ મળે છે આ સત્સંગમાં, આવ્યો આનંદ વાલા મારા અંગોઅંગમાં-૧
પૂર્વનાં ભાગ્ય મારાં ઉદય થયાં, સર્વોપરી હરિ મને મળી ગયા;
	સર્વે તીરથ વ્રત તપ ફળિયું, મારું હૈયું વાલમ તમ સંગ મળિયું-૨
તમને ધારેલા મોટા સંતો મળ્યા, સત્સંગે મોટા મોટા મુક્તો મળ્યા;
	હવે તો વાલમ નિભાવી લેજો, જ્ઞાનસખીને પાસે બોલાવી લેજો-૩ 
 

મૂળ પદ

શ્રીજી ને સંતો દયા કરજો

મળતા રાગ

શ્રીજી ને સંતો દયા કરજો, મારા અંતરમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
સહજાનંદ
Studio
Audio & Video
0
0