અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા; અનંત આત્માનો ઉદ્ધાર કરવા અક્ષરમુક્તોને લાવ્યા ૧/૪

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અનંત આત્માનો ઉદ્ધાર કરવા અક્ષરમુક્તોને લાવ્યા,
				અક્ષરધામ૦ ટેક.
છપૈયાપુરમાં જન્મ રે લીધો, ધર્મભક્તિને આનંદ દીધો;
રૂડો બાલુડો વેશ કીધો, બાલચરિત્રનો આનંદ દીધો,
				અક્ષરધામ૦ ૧
ભક્તિમાતાએ લાડ લડાવ્યા, ધર્મપિતાએ વેદ ભણાવ્યા;
ભાભીએ ભાવે રોજ જમાડયા, આખા છપૈયે સ્નેહે રમાડયા,
				અક્ષરધામ૦ ૨
કાલિદત્ત અસુર ભારી, આવ્યો હરિને મારવા ધારી;
નિજ માયા તેણે વિસ્તારી, બાલપ્રભુએ નાખ્યો મારી,
				અક્ષરધામ૦ ૩
માતા પ્રભુને પ્રેમે જગાડે, ચુંબન કરીને ગળે લગાડે;
મં મં બોલી પેંડા જમાડે, છપૈયાવાસી હેતે રમાડે,
				અક્ષરધામ૦ ૪
સુવાસિની તો સ્નાન કરાવે, અંગોઅંગ ચોળી નવરાવે;
સુંદર સારાં વસ્ત્ર ધરાવે, જ્ઞાનજીવન બલિહારી જાવે,
				અક્ષરધામ૦ ૫

 

 

મૂળ પદ

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
છપૈયાપૂરમાં
Studio
Audio & Video
5
0