દાદાને દરબાર પોઢયા છે વાલો, સહજાનંદ અવતારી રે ૧/૧૦

 દાદાને દરબાર પોઢયા છે વાલો, સહજાનંદ અવતારી રે;
	દાતણ પાણી લઈને આવ્યા, જગાડવા બ્રહ્મચારી રે...દાદાને૦ ૧
સ્વામી પ્રેમાનંદજી પ્રેમે, ધોળ પ્રભાતી ગાવે રે;
	હેતે હેતે ધીરે સ્વરે, વાલમજીને બોલાવે રે...દાદાને૦ ૨
બ્રહ્મચારી દ્વાર ખોલે, બોલે જાગો દયાળુ રે;
	સંતો આવ્યા દર્શન કરવા, ઊઠોને હરિ હેતાળુ રે...દાદાને૦ ૩
બ્રહ્માનંદજી લાવે સરોદો, ધીરે ધીરે વગાડે રે;
	જ્ઞાનજીવન કહે સંતો પ્યારા, પ્રાણપતિને જગાડે રે...દાદાને૦ ૪ 
 

મૂળ પદ

દાદાને દરબાર પોઢયા છે વાલો, સહજાનંદ અવતારી રે

મળતા રાગ

પ્રાત: થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
થયું સવાર
Studio
Audio
0
0