કહે પ્રભુજી સુણો સહુ જનો આ કથા, લખ્યા લેખ લલાટે તે ભૂંસાય નહિ ૧/૧

કહે પ્રભુજી સુણો સહુ જનો આ કથા,
લખ્યા લેખ લલાટે તે ભૂંસાય નહિ;
 	જેનું જેમ જ્યાં જેવી રીતે લખ્યું હોય મોત,
 	તેનું તેમ ત્યાં તેવી રીતે થાય અહીં...ટેક.
નથી ધાર્યું થતું અહીં કદી કોઈનું,
નથી નહોતુ ના રે’શે અહીં કોઈ કોઈનું;
 	નથી સાટે લેવાતું અહીં મોત કોઈનું,
 	મારો હતો ભાણેજ અભિમન્યુ તોયે (૨)
 	કર્મ પ્રમાણે કાળે તેને લીધો લહી...કહે પ્રભુજી૦ ૧
મારા પિતા દશરથજીનું મૃત્યુ જુઓ,
મારી ત્રણે માતાઓની દશા જુઓ;
 	ભરત આદિ અયોધ્યાનાં દુ:ખો જુઓ,
 	અંતે ધરતીમાં સીતા સમાયાં જુઓ (૨)
 	મારી સીતા મારી સાથે રહ્યાં નહિ...કહે પ્રભુજી૦ ૨
આદિ અનાદિથી આમ ચાલ્યું આવે,
જ્ઞાનજીવન મનુષ્ય આમાં નહીં ફાવે;
 	કોઈ આવે અહીં ને કોઈ ચાલ્યા જાવે,
 	યે દુનિયા આને જાનેકા પુલ હૈ (૨)
 	અહીં કાયમ તો કોઈથી રહેવાય નહિ...કહે પ્રભુજી૦ ૩
 

મૂળ પદ

કહે પ્રભુજી સુણો સહુ જનો આ કથા, લખ્યા લેખ લલાટે તે ભૂંસાય નહિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
શ્રદ્ધાંજલી
Studio
Audio
0
0