જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણલા એના સાંભરે ૧/૧

જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણલા એના સાંભરે,
	પળ એક નથી એ ભુલાતા, સંભારીને દિલ બહુ રડયા કરે..ટેક.
જાનાર તો પાછા આવે નહિ, ધરને તું ધીરજ દુ:ખી મનવા,
ભગવાનના પ્યારા એ થઈ રહ્યા, એ સત્ય અનાદિ સમજ મનવા;
	આવ્યા જે અહીં તે જાવાના, કુદરતનો નિયમ આ ના ફરે...જાનાર૦ ૧
છાના રે રહો કોઈ રોશો નહિ, તન મનને સ્વસ્થ કરી લો જરા,
આ દુનિયા તો એક સપનું છે, સપનાને હૃદયથી સમજો જરા;
	સમજો તો શાંતિ થાશે મને, સમજવું તો પડશે આખરે...જાનાર૦ ૨
ભલે લાખો લૂટાવો કે શોક કરો, થાવાનું હતું તે થઈ ગયું,
એ તત્ત્વ હતું આખિર જેનું, હતું જેનું તેનું તે થઈ રહ્યું;
	હવે માલિકી છોડી દ્યો જ્ઞાનજીવન, કરો કરવાનું છે તે આદરે...જાનાર૦ ૩
 

મૂળ પદ

જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણલા એના સાંભરે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
શ્રદ્ધાંજલી
Studio
Audio
0
0