તારી આંખો લૂંછી નાખને તું, ઝાઝું દિલને દુ:ખી ના તું કર ૧/૧

તારી આંખો લૂંછી નાખને તું, ઝાઝું દિલને દુ:ખી ના તું કર,
				સત્ય સ્વીકાર,
આ સત્ય કદી ના જૂઠું પડે, એ માનીને ધીર તું ધર;
				સત્ય સ્વીકાર..ટેક.
ના એ હવે તો નથી રહ્યા, આપણી વચ્ચે નથી રહ્યા,
કોઈથી એ પાછા આવે નહિ તે, સદા પ્રભુની સેવામાં રહ્યા;
		તેને રહેવા દો સેવામાં રાજી થઈ,
		તેના વિના તું દિલમાં ન ડર..સત્ય૦ ૧
ના કોઈ સાથે રહ્યા રે’શે, આવ્યા તેમજ જતા રે’શે,
ચાલતું નથી એમાં કોઈનું, મેં કહ્યું ને વળી બીજા કે’શે;
		માટે સમજી હવે તું સુખી થા,
		બીજાને દુ:ખી ના તું કર..સત્ય૦ ૨
જ્ઞાનજીવન કહે ભજન કરો, ધૂન કથા ને કીર્તન કરો,
એમના આત્માને સુખી કરવા, રડવાનું રોકીને પુણ્ય કરો;
		નાશવંત જગતથી તોડી પ્રીતિ,
		સાચી પ્રીતિ પ્રભુમાં તું કર..સત્ય૦ ૩
 

મૂળ પદ

તારી આંખો લૂંછી નાખને તું, ઝાઝું દિલને દુ:ખી ના તું કર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
શ્રદ્ધાંજલી
Studio
Audio
0
0