મારે મંદિર ના’વો રે, કે મોહન શા માટે, શિર જાશે ઘોળ્યું રે ૨/૪

મારે મંદિર ના’વો રે, કે મોહન શા માટે;
			શિર જાશે ઘોળ્યું રે, કે વાલમ તમ સાટે...૧
શું કરશે ઘોળ્યાં રે, કે જૂઠાં સંસારી;
			ધરશો મા શંકા રે, કે મનમાં ગિરધારી...૨
જગજીવન તમને રે, કે સાચા જાણીને;
			કોણ માને જગની રે, કે ખોટી વાણીને...૩
મારે મનડે ભાવ્યા રે, કે મોહન મરમાળા;
			સો માથાં જાતાં રે, કે સોંઘા છોગાળા...૪
તમ સાથે જોડી રે, કે સૌથી તોડીને;
			દુરિજન શું કરશે રે, કે મુખડાં મોડીને...૫
શિર સાટે સમજી રે, કે બાંધ્યું છે બેલું;
			બ્રહ્માનંદના વહાલા રે, કે તમને કેમ મેલું...૬
 

મૂળ પદ

મેં તો સગપણ કીધું રે, કે શામળિયા સાથે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી