મુનિ કહે વાત હિયે લાવો રે, તમેં તો કૃષ્ણભકત કહાવો રે ૧/૪

મુનિ કહે વાત હિયે લાવો રે, તમેં તો કૃષ્ણભકત કહાવો રે.
દીઓ મુને છાપ તમે સારી રે, કે નીરખું જોઇને મુરારી રે.
ત્યારે તો સર્વે હાંસી કરી બોલ્યા રે, મુનિને પશુ સરીખા તોલ્યા રે.
આવે ઘણા ધૂતા તુજ જેવા રે, વિના ધન છાપુને લેવા રે.
ગરજ હોય તો પૈસા દઇને રે, વુઢો જા તું છાપું લઇને રે.
બ્રહ્માનંદ મુનિ કહે બડભાગી રે, અમો તે ધન-નારીના ત્યાગી રે.

મૂળ પદ

મુનિ કહે વાત હિયે લાવો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી