કહે પ્રભુજી સુણો સહુજનો આ કથા લખ્યા લેખ લલાટે તે ભુસાય નહિ, ૧/૧

 

કહે પ્રભુજી સુણો સહુજનો આ કથા, 
લખ્યા લેખ લલાટે તે ભુસાય નહિ, 
જેનું જેમ જ્યાં જેવી રીતે લખ્યું હોય મોત, 
તેનું તેમ ત્યાં તેવી રીતે થાય અહી... કહે પ્રભુજી૦ ટેક.
નથી ધાર્યુ થતું અહીં કદી કોઇનું, 
નથી નહોતુ ના રે'શે અહીં કોઇ કોઇનું, 
નથી સાટે લેવાતું અહિ મોત કોઇનું, 
મારો હતો ભાણેજ અભિમન્યુ તોયે, 
કર્મ પ્રમાણે કાળે તેને લીધો લહી... કહે પ્રભુજી - ૧
મારા પિતા દશરથજીનું મૃત્યુ જુઓ, 
મારી ત્રણે માતાઓની દશા જુઓ, 
ભરત આદિ અયોધ્યાના દુઃખો જુઓ, 
અંતે ધરતીમાં સીતા સમાયા જુઓ, 
મારી સીતા મારી સાથે રહ્યા નહિ... કહે પ્રભુજી - ૨
આદિ અનાદિથી આમ ચાલ્યું આવે, 
જ્ઞાનજીવન મનુષ્ય આમાં નહિ ફાવે, 
કોઇ આવે અહિ ને કોઇ ચાલ્યા જાવે, 
યે દુનિયા આને જાનેકા પૂલ હૈ, 
અહીં કાયમ તો કોઇથી રહેવાય નહિ... કહે પ્રભુજી - ૩

મૂળ પદ

કહે પ્રભુજી સુણો સહુજનો આ કથા

મળતા રાગ

ગલી મેં તેરા ઘર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0