તારી આંખો લુછી નાખને તું જાજુ દિલને દુઃખી ના તું કર-સત્ય સ્વીકાર ૧/૧

તારી આંખો લુંછી નાખને તૂં, જાજુ દિલને દુઃખી ના તું કર-સત્ય સ્વીકાર
આ સત્ય કદી ના જુઠુ પડે, એ માનીને ધીર તું ધર...સત્ય૦ ટેક
ના એ હવે તો નથી રહ્યા, આપણી વચ્ચે નથી રહ્યાં,
કોઇથી એ પાછા આવે નહિ તે, સદા પ્રભુની સેવામાં રહ્યાં,
તેને રહેવા દો સેવામાં રાજી થઇ, તેના વિના તૂં દિલમાં ન ડર...સત્ય-૧
ના કોઇ સાથે રહ્યા રે'શે, આવ્યા તેમજ જતાં રે'શે,
ચાલતું નથી એમાં કોઇનું, મેં કહ્યું ને વળી બીજા કે'શે,
માટે સમજી હવે તું સુખી થા, બીજાને દુઃખી ના તૂં કર...સત્ય-૨
જ્ઞાનજીવન કહે ભજન કરો, ધૂન-કથા ને કીર્તન કરો,
એમના આત્માને સુખી કરવા, રડવાનું રોકીને પૂણ્ય કરો,
નાશવંત જગતથી તોડી પ્રીતિ, સાચી પ્રીતિ પ્રભુમાં તૂં કર...સત્ય-૩

મૂળ પદ

તારી આંખો લુંછી નાખને તૂં

મળતા રાગ

તેરી પ્યારી પ્યારી સૂરત કો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0