તમે એક સાભરો ને બીજુ ભૂલવાડો તમારી સ્મૃતિમાં મને શ્રીહરિ જીવાડો ૧/૧

તમે એક સાંભરો ને બીજુ ભૂલવાડો
તમારી સ્મૃતિમાં મને શ્રીહરિ જીવાડો
દયા કરી નાથ તારી મૂરતીને પમાડો,
માયા કેરો મોહ મારો શ્રીહરિ મટાડો...ટેક૦
માયાકેરા સુખ મેં તો જાણ્યાં માણ્યાં બહુ,
શુભાશુભ કર્મફળ ચાખી લીધા સહુ,
વ્હાલા પ્રભુ તેથી હવે થાકી ગયો બહુ,
હવે સુખ શ્રીહરિજી તમારું ચખાડો...દયા કરી૦ ૧
સત્તા ને સંપત્તિમાંતો ભાળ્યું નહિ કાંઇ,
સમજયા વિના હરિ ત્યાં હું ગયો તો રોકાઇ,
જગતમાં ઝાઝુ મારે ગયુ છે ઊંઘાઇ,
જાણીને તમારો મને શ્રીહરિ જગાડો...દયા કરી૦ ૨
માયા વિષે અહંતા ને મમતા થઇ છે ભારી,
જુની મારી વાસનાને નાથ દ્યો વિદારી,
પામુ માત્ર તમને એવું કરજો દુઃખહારી,
ટાળી માયા મોહન મને મૂરતીમાં લગાડો...દયાકરી૦ ૩
સહજાનંદજી નાથ મારા સાંભળો પોકારો,
ભૂલેલો હું જીવ પણ નાથ છું તમારો,
ઘણો ગયો કાળ હવે બિરુદ સંભારો,
માફ કરી તમારામાં જ્ઞાનને બૂડાડો...દયા કરી૦ ૪

મૂળ પદ

તમે એક સાંભરો ને બીજુ ભૂલવાડો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0