આવા ભગવાન નહિ મળે અહો ! આવા ભગવાન નહિ મળે. ૧/૧

 આવા ભગવાન નહિ મળે, અહો ! આવા ભગવાન નહિ મળે.
	જેને સંભારો ત્યાં શાંતિ વળે...અહો૦ ટેક.
જેનું નામ રટયે સહુ કામ થાયે;
	પ્રાણી સહેજે અક્ષરધામમાં જાયે...અહો૦ ૧
જેનું સ્મરણ કર્યે અઘઓઘ ટળે;
	જેને ભજતાં આનંદઓઘ વળે...અહો૦ ૨
જેને નીરખે સંકટ સર્વે ટળે;
	જેને મળતાં મોટપ સર્વે મળે...અહો૦ ૩
એવા સહજાનંદ મહારાજ મારા;
	કહે જ્ઞાનજીવન મને પ્રાણ પ્યારા...અહો૦ ૪ 
 

મૂળ પદ

આવા ભગવાન નહિ મળે

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
1
0