આજ શ્રી હરિને સંતો સ્નાન કરે છે સ્નાન કરે છે મારૂ હૈયુ ઠરે છે ૧/૧

 આજ શ્રીહરિને સંતો સ્નાન કરે છે,
સ્નાન કરે છે મારૂ હૈયુ ઠરે છે...             ટેક.
જુઓ સંત પર શ્રીજી જળ વરસાવે,
વાલાને વાલા સંતો સ્નાન કરાવે,
પાણી ઉડાડે ને મન હરે છે...               આજ૦ ૧
અમારા ભાગ્ય અહો દર્શન થયા,
કોટી ભવોના પાપ બળી રે ગયા,
શ્રીજી ને સંતો આનંદ કરે છે...              આજ૦ ૨
પ્રસાદીનું જળ સખી માથે ચડાવો,
મહા અલૌકિક આજ લઇ લો લ્હાવો,
પ્રસાદીનું જળ બધા દુઃખ હરે છે...         આજ૦ ૩
ભાગ્યશાળી થઇ ગયો આજ જ્ઞાનજીવન,
લાખો કરોડો રાજી થયા સહુ ભકતજન,
રાજીપો એક જ કલ્યાણ કરે છે...           આજ૦ ૪

મૂળ પદ

આજ શ્રીહરિને સંતો સ્નાન કરે છે

મળતા રાગ

આજ શ્રી હરિ ને સંતો રાસ રમેં રે ...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0