વડતાલધામવાસી હરિકૃષ્ણજી ઓ હરિકૃષ્ણજી, ૧/૧

વડતાલધામવાસી હરિકૃષ્ણજી, ઓ હરિકૃષ્ણજી,
આજ મારે ઘેરે આવો.
સુણો સુણોને વ્હાલા મારી અરજી, આ મારી અરજી,
આજ મારે ઘેરે આવો.. ટેક.
તારા દર્શન વિના દિન-રાત દુઃખી,
દર્શન આપીને હરિ કરો મુને સુખી,
સુખી હું તો જ થાઉં મળો હરિજી, કૃપા કરીજી.. આજ૦ ૧
જીવન વિતાવું એક તમારા જ તાનમાં,
દર્શન કરવાને બહુ આવી વડતાલમાં,
એકવાર મારા મહેમાન થાઓજી, આવો પધારોજી.. આજ૦ ૨
તમે બિરાજયાં વડતાલ નિજ હાથે,
રાજી થઇને વ્હાલા રહો મુજ સાથે,
રમાડુ જમાડુ અતિ પ્રેમ કરુજી, હૈયે ધરુજી.. આજ૦ ૩
સર્વે છે તુજ વિના દુઃખનું દેનારુ,
તમારા વિના વ્હાલા કોઇ નથી મારુ,
જ્ઞાનજીવન પ્રાર્થના કરે છે ગરજી, કરોને મરજી.. આજ૦ ૪

મૂળ પદ

વડતાલધામવાસી હરિકૃષ્ણજી

મળતા રાગ

પ્રાણપ્યારા હરિ મારા સુણો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0