Logo image

મને તમારો નેડો લાગ્યો, સ્વામી સહજાનંદ રે;

રાગ : ધોળ

મને તમારો નેડો લાગ્યો, સ્વામી સહજાનંદ રે;

સ્વામી સહજાનંદ રે, છોગાળા ઘનશ્યામ રે...મને.

અધમ ઉદ્ધારણ નામ તમારું, મહાત્મ્ય સૌથી મોટું રે;

હરતાં ફરતાં તમને સમરું, બીજું સર્વે ખોટું રે...મને.

કાશી જોયું, દ્વારિકા જોયું, જોયાં તીરથ ઝાઝાં રે;

એમ કરતાં સત્સંગમાં આવ્યો, મનડે મેલી માયા રે, ...મને.

શરણાગતને શરણે લેજો, બિરૂદ તમારું પાળી રે;

વિપત વખતે વહેલા આવો, શ્રીજી લ્યો સાંભળી રે...મને.

ગઢપુર ગામની કુંજગલીમાં, નિતનિત દરશન આપે રે;

મોર મુગટને કાને કુંડળ, મોરલી લીધી હાથે રે...મને.

ભવસાગરમાં ભૂલો પડ્યો, ત્યારે સગાસંબંધી લૂંટે રે;

દાસ ગોપાળ કહે દયા કરો, તો ભવના બંધન છૂટે રે...મને.

રેકોર્ડ કરેલ સંસ્કરણ

વિવેચન:
આસ્‍વાદઃ દાસ ગોપાળના ઉપનામે કાવ્‍ય રચતા કવિ ગોપાળદાસજીના પ્રસ્‍તુત પદમાં પ્રિયતમ પરમાત્‍મા પ્રત્‍યેનો પ્રેમ અને મહિમા પ્રબોધક રીતે પ્રગટ થયા છે. પોતાના પ્રેમનો નિખાલસ એકકાર કરતા કવિ પોતાના ઇષ્‍ટદેવ સહજાનંદ સ્‍વામીનેકહે છેઃ મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે, હે સહજાનંદ સ્‍વામી, હે ઘનશ્‍યામ, તમે પતિતપાવન છો, તમારો મહિમા અપરંપાર છે. કવિએ શ્રીહરિનો મહિમા સાચા હૃદયથી આત્‍મસાત કર્યો છે તેથી જ તેમને અખંડ પ્રભુનું અનુસંધાન રહે છે, અને આ સઘળો સંસાર તુચ્છ‍, નાશવંત અને ખોટો જણાય છે. પોતાના પૂર્વાશ્રમનું સ્‍મરણ થતાં કવિ કહે છે કે સત્સંગમાં આવ્‍યા પહેલા હું પરમાત્‍માની શોધમાં કાશી, દ્વારકા ઇત્‍યાદિ તીર્થો‍માં ખૂબ ભટકયો હતો, પરંતુ જયારે ભગવાન સ્‍વામિનારાયણનો ભેટો થયો ત્‍યારે જ મારા મને સર્વે માયાનો ત્‍યાગ કરી શ્રીહરિના ચરણોનો દ્રઢ આશ્રય કર્યો છે. હવે દાસ ગોપાળ શ્રીજીમહારાજને આર્તસ્વરે પ્રાર્થતા કહે છે. શરણાગતને શરણે લેજો, બિરદ તમારું પાળી રે, વિપદ વખતે વહેલા આવો, શ્રીજી લ્‍યો સંભાળી રે. હે નાથ, આપ તો અનંત કોટિ બ્રહ્માંડનાયક છો, રાજાધિરાજ છો. આપનું આવું બિરદ સંભાળીને અમ જેવા શરણાગતના ગુણદોષ જોયા વિના એને તમારા ચરણોમાં આશ્રય આપવો. આધિ, વ્‍યાધિ અને ઉપાધિ વેળા પ્રભુ ! સમયસર આવીને અમારી રક્ષા કરજો. શ્રીહરિએ ગઢપુરને પોતાનું ઘર માનીને ત્‍યાં ઘણી લીલાઓ કરી છે. સવાર સાંજ મહારાજ ઘેલા નદીમાં સ્‍નાન કરવા જવા માટે ગઢપુરની કુંજગલીઓમાંથી પસાર થતા ત્‍યારે આવતા જતા મુમુક્ષુઓને મહારાજના દુર્લભ દર્શનનો અનાયાસે લાભ મળતો. શ્રીજીમહારાજ સ્‍વભકતોના સર્વે મનોરથો પૂર્ણ કરવા માટે ભાવપૂર્વક ભકતો જે જે વસ્‍ત્ર આભૂષણો અર્પણ કરતાં તે સ્‍વીકારી, તે તત્‍કાળ ધારણ કરી, સર્વે‍ને દર્શન દેતા. શ્રીહરિની આ પ્રકારની જે તે લીલાઓ પોતાના ભકતોને લાડ લડાવવા અર્થે જ થતી હતી. કવિ અંતમાં એટલી જ અરજ કરે છે કે હે મહારાજ! જયારે જયારે પણ હું આ ભવસાગરમાં ભુલો પડયો, ત્‍યારે ત્‍યારે મારી સાંસારિક વાસનાએ જ મારા કલ્‍યાણમાં વિઘ્‍ન ઉભા કર્યા છે. માટે હવે પ્રભુ, આ જન્‍મે આપ કૃપા કરીને મારું આત્‍યંતિક કલ્‍યાણ કરી મારા ભવબંધન સદાય માટે કાપી નાંખશો. ધોળ રાગમાં દાસ ગોપાળની આ રચના પ્રાસાદિક અને સુગેય છે.
ઉત્પત્તિ:
એકવાર શ્રીજીમહારાજ અમદાવાદમાં સભા ભરીને બેઠા હતા. એ સમય દરમ્‍યાન સત્‍સંગમાં સમાધિ પ્રકરણ ચાલી રહ્યું હતું. મહારાજની સામે જોનારને સહજમાં સમાધિ લાગી જતી. એટલું જ નહી, મહારાજની ચાખડીનો ચટ ચટ અવાજ સાંભળનારને પણ સમાધિ થતી. કુસંગીઓને આ બધું કૌતુક લાગતું. જગતમાં વાતો થતીઃ સ્‍વામિનારાયણ તો જાદુગરા છે. નહીં તો આવા હડહડતા કળિયુગમાં સમાધિ થતી હશે? અમદાવાદના કેટલાક વિદ્વાન પંડિતો શ્રીજીમહારાજની એ સભામાં આવ્‍યા. તેમાં કેશવરામ શાસ્‍ત્રી મુખ્‍ય હતા. તેમણે મહારાજને ખુલ્‍લો પડકાર ફેંકતા કહ્યું. 'સહજાનંદ સ્‍વામી તમારા આ બધા તૂત અમારી પાસે નહીં ચાલે. તમારા કોઈ સાધુને સમાધિ કરાવો એટલે અમે બધા જોઈએ કે આની પાછળ તમારી કઈ કરામત કામ કરે છે? ત્‍યારે સભામાં આગળની હરોળમાં સાધુ ગોપાળદાસજી બેઠા હતા. મહારાજે તેમની સામે જોયું ત્‍યાં તો ગોપાળદાસજી સમાધિમાં ઉંડા ગરકી ગયા. શ્રીહરિએ પંડિતોને એ સાધુની સમાધિની યર્થાથતા તપાસવા કહ્યું. કેશવરામે ગોપાળદાસની નાડી જોઈ, પરંતુ તેમના શરીરમાં તો પ્રાણનો સંચાર કયાંય વર્તાતો નહોતો. એમનું શરીર તો જાણે પથ્‍થર જેવું શબવત્‍ થઈ ગયું હતું. શાસ્‍ત્રીએ સાધુના હાથ પર ચપ્‍પુથી છેદ કર્યો‍, અંગારાનો ડામ દીધો અને થાય એટલા વાના કર્યા તો પણ ગોપાળદાસ જાગ્‍યા નહી. છેવટે પંડિતો થાકયા. એમણે મહારાજને વિનંતી કરીઃ 'સ્‍વામીજી, તમે જ આ સાધુને સમાધિમાંથી જાગૃત કરો.' આ સાંભળીને મહારાજ મર્મમાં હસ્‍યા. તેમણે ચપટી વગાડી ત્યાં તો ગોપાળદાસ આળસ મરડીને બેઠા થયા. તેમણે ભરી સભામાં પોતાના સમાધિના અનુભવો કહેવા માંડયા. શાસ્‍ત્રી કેશવરામ અને અન્‍ય પંડિતો તો સાવ અવાચક બની ગયા. છતાં પણ હજી એમના દિલમાં દીવો થયો નહોતો. અનેક પ્રશ્‍નો એમના મનને મૂંઝવી રહ્યાં હતા. સભામાં શાસ્‍ત્રી કેશવરામે શ્રીજીમહારાજને પ્રશ્નો પૂછી એમની પરીક્ષા લેવા માંડી. 'શું તમે ભગવાન છો?' જવાબમાં મહારાજે ના પાડી. 'તો ભગવાન બની કેમ ફરો છો?' 'લોકો મને ભગવાન કહે તેમાં હું શું કરું?' મહારાજે વ્‍યંગમાં હસીને કહ્યું' કેશવરામ કહે, 'તમે ભગવાન થઈને ફરો છો તો વેદમાંથી હું પ્રશ્‍નો પૂછું તેના જવાબ આપો.' મહારાજે મર્મમા કહ્યું: 'હું વેદ ભણ્‍યો નથી, તેથી મને વેદ આવડતા નથી. પણ અહીં સભામાં આગળ આ નાનો છોકરો બેઠો છે તે વેદ ભણેલો છે તેને પૂછો. તે તમારા સર્વે પ્રશ્‍નોના જવાબ આપશે.' શાસ્‍ત્રી આ સાંભળીને ખંધુ હસીને બોલ્‍યોઃ 'આ ગમાર જેવો છોકરો શું જવાબ આપશે?' તેના માટે તો કાળો અક્ષર ભેંશ બરાબર લાગે છે.' એ સાંભળી છોકરો બોલ્‍યોઃ 'શાસ્‍ત્રી મહારાજ, જે પૂછવું હોય તે જલદી પૂછો.' પછી તો એ અબૂધ બાળક શાસ્‍ત્રીના મનના સંકલ્‍પો ફટાફટ કહેવા લાગ્‍યો. શાસ્‍ત્રીએ વેદ વિષે જે કાંઈ પૂછયું તેના એ કિશોરે અત્‍યંત વિગતવાર જવાબો આપ્‍યા. કેશવરામ આ સાંભળીને દિગ્‍મૂઢ થઈ ગયો. શ્રીહરિને ચરણવંદના કરીને એ બોલ્‍યોઃ 'મહારાજ, હું જાણું છું કે આ છોકરો તો મૂઢ, ગમાર અને નિરક્ષર છે. એમાં રહીને આપે જ સઘળા જવાબો આપ્‍યા છે. હવે મને જરાય સંશય નથી કે આપ સ્‍વયં પરાત્‍પર પરબ્રહ્મ પરમાત્‍મા જ છો. પરંતુ....' આટલું કહીને એ અટકી ગયો. 'પરંતુ શું શાસ્‍ત્રીબાવા... જે પૂછવું હોય તે નિઃસંકોચ પૂછો.' મહારાજે હૈયાધારણ આપતા કહ્યું. ' પ્રભુ, શરૂઆતમાં મે આપને પૂછેલું કે આપ ભગવાન છો ત્‍યારે આપે ના કેમ પાડી હતી?' મહારાજે હસીને કહ્યું, 'હું મારે મોંઢે કેવી રીતે કહું કે હું ભગવાન છું. એ તો આત્મશ્લાધા કહેવાય અને ત્‍યારે કદાચ મેં હા પાડી હોત તો શું તમે મારી વાત માની લેત?' શ્રીજીમહારાજનો આવો પ્રગલ્‍ભ પ્રતાપ જોઈને સભામાં હાજર રહેલા સઘળા પંડિતો વર્તમાન ધરાવીને શ્રીહરિના આશ્રિત થયા. આ સભામાં જે સાધુ ગોપાળદાસને સમાધિ થઈ હતી તે ગોપાળદાસ સ્‍વામી વિદ્વાન અને કવિ હતા. તેમણે 'દાસ ગોપાળ' ના નામે સેંકડો કીર્તનો રચ્‍યાં છે જે સત્‍સંગમા સુપ્રસિદ્ધ છે. સ્‍વામી ગોપાળદાસે ‘સૃષ્ટિ વર્ણન' શિર્ષક હેઠળ પંદર પદમાં અક્ષરધામથી માંડીને જંબુદ્વીપ સુધીની અલગ અલગ આઘ્‍યાત્‍મિક ભૂમિકાઓનું ખૂબ જ રસપ્રદ વર્ણન કર્યું છે. તે સિવાય તેમને લગ્નના ધોળ રાગની શૈલીમાં લક્ષ્મીવિવાહના અઢાર પદો પણ રચ્‍યાં છે.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025