સાચા સંતને ઉપમા શું આપીએરે,
ત્રણ ભુવનમાં નથી તેને તુલ્યરે.
અનુપ એવા સંત છેરે.
કામધેનું કલ્પવૃક્ષ કેમ કહુંરે,
જેથી ભાગે નહિ ભ્રાંતિને ભૂલ્યરે. અ,
અર્ક ઈંદુને અમૃતની ઉપમારે,
સિંધુ સમાન તે સંત ન કહેવાયરે. અ.
એથી અલપ પ્રાપ્તિ નિશ્ચે પામીયેરે,
વળી જોતા જોતા જુઠી થઇ જાયરે, અ,
ચિંતામણી કે પારસમણી પામતાંરે,
સર્વે સિદ્ધિ એની આગે દીસે ન્યુનરે. અ,
જપ તપ નીરથ જોગ યજ્ઞનુંરે,
જેની જોડયે નવ જૂતે કોઇ પુન્યરે, અ,
ચૌદ લોકમાંહિ ચીતે જોયું ચિંતવીરે,
સર્વ સંપત્તિનું શોધી જોયું સુખરે, અ,
કોઇ પુણ્યે પામીને પાછા પડીયેરે,
અંતે રહે છે જો દુઃખનું દુઃખ રે અ,
કોઇ આપે છે રાજસાજ સંપત્તિરે,
કોઇ વિદ્યા જશ આપેછે વડાઇરે. અ.
કોઇ આપે છે જો સુત પશુ આપનેરે,
કોઇ બળકળ આપેછે કાંઇરે. અ,
એતો અલપ સુખ જો આવે જાયછેરે,
સંત આપેછે અખંડ મહા સુખરે. અ,
ધન્ય ધન્ય સંતનો મહિમા શું કહુંરે,
નથી કેવાતું નિષ્કુળાનંદે મુખરે, અ.
સાચા સંતને ઉપમા શું આપીએરે
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ભાવાર્થઃ- ત્રણ ભુવનમાંથી એવી એક પણ વસ્તુ નથી કે જેની ઉપમા સંતને આપીએ? કામધેનુ અને કલ્પવૃક્ષની સાથે પણ સરખાવાય, કારણ કે એથી આપણા અંતરના દોષ અને સંશયગ્રંથિ ટળતી નથી. જ્યારે સંતથી અખંડ સુખ મળે અને પ્રગટ સ્વરૂપમાં રહેલી ભ્રમણા ભાંગે છે. II૧II સૂર્ય, ચંદ્ર, અમૃત અને સમુદ્રની સમાન સંતને ન ગણાય. એ ત્રણથી જે પ્રાપ્તિ થાય છે. તે અલ્પ છે. અને અંતે નાશ થઈ જાય છે. વળી, ચિંતામણિ, પારસમણિ કે રિદ્ધિ-સિદ્ધિ સંતની આગળ શૂન્ય છે, કારણ કે સંત જીવમાંથી શિવ બનાવે છે. અર્થાત્ પોતાથી અધિક કરી પરમાત્માના કૃપાપાત્ર બનાવે છે. II૨ થી ૩II જપ, તપ, તીર્થ, જોગ, યજ્ઞનું ફળ સંતનાં દર્શનની સમાન ન આવે. ચૌદ લોકની એક-એક બાબત વિચારી લીધી છે. કોઈ પણ પુણ્ય કરીને અક્ષરથી ઓરા ધામને પામે તો પણ શું? અંતે તો ત્યાંથી પાછું પડવાનું જ છે. વળી, પાછું દુ;ખનું દુઃખ જ રહે. II૪II કોઈ રાજ આપે કોઈ સાજ આપે કે સંપત્તિ આપે. વળી, કોઈ વિદ્યા, આબરૂ કે અધિકાર આપે. અરે! દીકરા આદિક કૌટુંબિક સુખ કે શક્તિ અગર બુદ્ધિ આપે તોય શું? આ બધાં સુખ તો માયિક અને નાશવંત છે. વાદળાની છાયા જેવાં છે. ધૂવાડાની ગાંસડી કદી બાંધી શકાતી નથી. તેમ પાણીના પરપોટાની જેમ આ કડીમાં કહ્યાં તેવાં સુખ પલવારમાં નાશ થઈ જાય એવા છે. II૫II માયિક સુખ તો જાય ને આવે, પરંતુ પ્રભુના સાચા સંતે આપેલ અખંડ અવિનાશી મહાસુખ કાળ કર્મે કરીને પણ કદી નાશ થતું નથી. સ્વામી કહે છે કે, “કીડી અને કુંજરને જીવ અને શિવનો સંયોગ કરાવી આપનાર સંતમાં શ્રેષ્ઠ સંતનો મહિમા મારા મુખથી કહી શકાતો નથી. આમ, અતિ સુંદર રીતે સંતનાં લક્ષણો આ કીર્તનમાં નોંધાયાં છે II૬II રહસ્યઃ- કવિએ પદનો ઉપાડ સુંદર રીતે કર્યો છે. સંત તો અનુપમ જ છે. સાચા સંતની પ્રતિભા જ અનન્ય હોય છે. એટલે જ સૂર્ય, ચંદ્ર, અમૃત, સમુદ્ર, કામદુધા, કલ્પતરુ આદિકની ઉપમા સંતને સંભવે નહીં. એનાથી મળતું સુખ નાશવંત છે. અને સંતથી મળતું સુખ અવિનાશી છે. કાવ્ય સરળ અને સુગેય છે. કવિની સીધી–સાદી પણ વાસ્તવિક વાણીનો આસ્વાદ કાવ્યમાં વરસે છે. કાવ્યનો ઢાળ જાણીતો ધોળ છે. તાલ હીંચ છે. લય મધ્યલય છે.
ઉત્પત્તિઃ- એક સમયને વિષે શ્રીહરિ સભા કરી બિરાજ્યા હતા. ત્યારે દેશ ફરવા ગયેલ મંડળ દેશ ફરી પાછું આવ્યું. શ્રીહરિએ તેમન��� બધી હકીકત પૂછી. મોટેરા સંતે કહ્યું કે, “વૈરાગીઓનું વેર વધતું જાય છે. આપે પ્રવર્તાવેલ સંતની રીત સામે એમનું અસંતપણું ઉઘાડું થાય છે. એટલે આપણા સંતો ઉપર એ કાળો કેર વર્તાવે છે. અસહ્ય માર પડે છે. એનું દુઃખ નથી પ્રભુ! પરંતુ આપના વચનમાં ટુક-ટુક વર્તનારા આ સાચા સાધુને ઓળખવાની દ્રષ્ટિ જગતના વૈરાગીઓની નથી, એનો રંજ રહ્યા કરે છે. ચોમેર ત્રાસ વરસાવી રહેલા વૈરાગીઓની રાવ રાજાને કરવા જઈએ છીએ, તો તેઓ કહે છે કે, ગાયો-ગાયો ઝઘડે એમાં અમો શો ન્યાય આપીએ?” આમ, વિગતથી વાત કરતાં કપિલેશ્વરાનંદસ્વામીએ કહ્યું. આ સાંભળી શ્રીહરિએ મુક્તમુનિને કહ્યું કે. “સ્વામી! કીડી જેવા જીવને પણ દુભવે નહીં એવા દયાળુ દિલના સંતોને શી ઉપમા આપવી? જેના દર્શને દુષ્ક્રિત નાશે, સ્પર્શેનાશે પાપ, એવા શીલ, ક્ષમા ને સંતોષાદિક ગુણે યુક્ત આ સાચા સંતોને જગતના જીવો કઈ રીતે ઓળખી શકે?” આમ તે સભામાં શ્રીહરિએ સાચા સંતોનો મહિમા ઘણો કહ્યો. તે સાંભળી નિષ્કુળાનંદસ્વામીએ આ કીર્તન બનાવ્યું કે, ‘સંત લક્ષણ કહે હરિ હેતશું રે.’ એ કીર્તનના ત્રીજા પદમાં સાચા સંતને ઉપમા શી આપવી?” એવા વિકલ્પ કરતાં થકા સરસ પ્રશ્નોતરી પદ બનાવ્યું છે. આ રહ્યું સાચા સંતની શક્તિને આરાધનારું એ જ પદ..
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી