Logo image

સાચા સંતને ઉપમા શું આપીએરે

સાચા સંતને ઉપમા શું આપીએરે,

ત્રણ ભુવનમાં નથી તેને તુલ્યરે.

અનુપ એવા સંત છેરે.

કામધેનું કલ્પવૃક્ષ કેમ કહુંરે,

જેથી ભાગે નહિ ભ્રાંતિને ભૂલ્યરે. અ,

અર્ક ઈંદુને અમૃતની ઉપમારે,

સિંધુ સમાન તે સંત ન કહેવાયરે. અ.

એથી અલપ પ્રાપ્તિ નિશ્ચે પામીયેરે,

વળી જોતા જોતા જુઠી થઇ જાયરે, અ,

ચિંતામણી કે પારસમણી પામતાંરે,

સર્વે સિદ્ધિ એની આગે દીસે ન્યુનરે. અ,

જપ તપ નીરથ જોગ યજ્ઞનુંરે,

જેની જોડયે નવ જૂતે કોઇ પુન્યરે, અ,

ચૌદ લોકમાંહિ ચીતે જોયું ચિંતવીરે,

સર્વ સંપત્તિનું શોધી જોયું સુખરે, અ,

કોઇ પુણ્યે પામીને પાછા પડીયેરે,

અંતે રહે છે જો દુઃખનું દુઃખ રે અ,

કોઇ આપે છે રાજસાજ સંપત્તિરે,

કોઇ વિદ્યા જશ આપેછે વડાઇરે. અ.

કોઇ આપે છે જો સુત પશુ આપનેરે,

કોઇ બળકળ આપેછે કાંઇરે. અ,

એતો અલપ સુખ જો આવે જાયછેરે,

સંત આપેછે અખંડ મહા સુખરે. અ,

ધન્ય ધન્ય સંતનો મહિમા શું કહુંરે,

નથી કેવાતું નિષ્કુળાનંદે મુખરે, અ.

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
વિવેચન:
ભાવાર્થઃ- ત્રણ ભુવનમાંથી એવી એક પણ વસ્તુ નથી કે જેની ઉપમા સંતને આપીએ? કામધેનુ અને કલ્પવૃક્ષની સાથે પણ સરખાવાય, કારણ કે એથી આપણા અંતરના દોષ અને સંશયગ્રંથિ ટળતી નથી. જ્યારે સંતથી અખંડ સુખ મળે અને પ્રગટ સ્વરૂપમાં રહેલી ભ્રમણા ભાંગે છે. II૧II સૂર્ય, ચંદ્ર, અમૃત અને સમુદ્રની સમાન સંતને ન ગણાય. એ ત્રણથી જે પ્રાપ્તિ થાય છે. તે અલ્પ છે. અને અંતે નાશ થઈ જાય છે. વળી, ચિંતામણિ, પારસમણિ કે રિદ્ધિ-સિદ્ધિ સંતની આગળ શૂન્ય છે, કારણ કે સંત જીવમાંથી શિવ બનાવે છે. અર્થાત્ પોતાથી અધિક કરી પરમાત્માના કૃપાપાત્ર બનાવે છે. II૨ થી ૩II જપ, તપ, તીર્થ, જોગ, યજ્ઞનું ફળ સંતનાં દર્શનની સમાન ન આવે. ચૌદ લોકની એક-એક બાબત વિચારી લીધી છે. કોઈ પણ પુણ્ય કરીને અક્ષરથી ઓરા ધામને પામે તો પણ શું? અંતે તો ત્યાંથી પાછું પડવાનું જ છે. વળી, પાછું દુ;ખનું દુઃખ જ રહે. II૪II કોઈ રાજ આપે કોઈ સાજ આપે કે સંપત્તિ આપે. વળી, કોઈ વિદ્યા, આબરૂ કે અધિકાર આપે. અરે! દીકરા આદિક કૌટુંબિક સુખ કે શક્તિ અગર બુદ્ધિ આપે તોય શું? આ બધાં સુખ તો માયિક અને નાશવંત છે. વાદળાની છાયા જેવાં છે. ધૂવાડાની ગાંસડી કદી બાંધી શકાતી નથી. તેમ પાણીના પરપોટાની જેમ આ કડીમાં કહ્યાં તેવાં સુખ પલવારમાં નાશ થઈ જાય એવા છે. II૫II માયિક સુખ તો જાય ને આવે, પરંતુ પ્રભુના સાચા સંતે આપેલ અખંડ અવિનાશી મહાસુખ કાળ કર્મે કરીને પણ કદી નાશ થતું નથી. સ્વામી કહે છે કે, “કીડી અને કુંજરને જીવ અને શિવનો સંયોગ કરાવી આપનાર સંતમાં શ્રેષ્ઠ સંતનો મહિમા મારા મુખથી કહી શકાતો નથી. આમ, અતિ સુંદર રીતે સંતનાં લક્ષણો આ કીર્તનમાં નોંધાયાં છે II૬II રહસ્યઃ- કવિએ પદનો ઉપાડ સુંદર રીતે કર્યો છે. સંત તો અનુપમ જ છે. સાચા સંતની પ્રતિભા જ અનન્ય હોય છે. એટલે જ સૂર્ય, ચંદ્ર, અમૃત, સમુદ્ર, કામદુધા, કલ્પતરુ આદિકની ઉપમા સંતને સંભવે નહીં. એનાથી મળતું સુખ નાશવંત છે. અને સંતથી મળતું સુખ અવિનાશી છે. કાવ્ય સરળ અને સુગેય છે. કવિની સીધી–સાદી પણ વાસ્તવિક વાણીનો આસ્વાદ કાવ્યમાં વરસે છે. કાવ્યનો ઢાળ જાણીતો ધોળ છે. તાલ હીંચ છે. લય મધ્યલય છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- એક સમયને વિષે શ્રીહરિ સભા કરી બિરાજ્યા હતા. ત્યારે દેશ ફરવા ગયેલ મંડળ દેશ ફરી પાછું આવ્યું. શ્રીહરિએ તેમન��� બધી હકીકત પૂછી. મોટેરા સંતે કહ્યું કે, “વૈરાગીઓનું વેર વધતું જાય છે. આપે પ્રવર્તાવેલ સંતની રીત સામે એમનું અસંતપણું ઉઘાડું થાય છે. એટલે આપણા સંતો ઉપર એ કાળો કેર વર્તાવે છે. અસહ્ય માર પડે છે. એનું દુઃખ નથી પ્રભુ! પરંતુ આપના વચનમાં ટુક-ટુક વર્તનારા આ સાચા સાધુને ઓળખવાની દ્રષ્ટિ જગતના વૈરાગીઓની નથી, એનો રંજ રહ્યા કરે છે. ચોમેર ત્રાસ વરસાવી રહેલા વૈરાગીઓની રાવ રાજાને કરવા જઈએ છીએ, તો તેઓ કહે છે કે, ગાયો-ગાયો ઝઘડે એમાં અમો શો ન્યાય આપીએ?” આમ, વિગતથી વાત કરતાં કપિલેશ્વરાનંદસ્વામીએ કહ્યું. આ સાંભળી શ્રીહરિએ મુક્તમુનિને કહ્યું કે. “સ્વામી! કીડી જેવા જીવને પણ દુભવે નહીં એવા દયાળુ દિલના સંતોને શી ઉપમા આપવી? જેના દર્શને દુષ્ક્રિત નાશે, સ્પર્શેનાશે પાપ, એવા શીલ, ક્ષમા ને સંતોષાદિક ગુણે યુક્ત આ સાચા સંતોને જગતના જીવો કઈ રીતે ઓળખી શકે?” આમ તે સભામાં શ્રીહરિએ સાચા સંતોનો મહિમા ઘણો કહ્યો. તે સાંભળી નિષ્કુળાનંદસ્વામીએ આ કીર્તન બનાવ્યું કે, ‘સંત લક્ષણ કહે હરિ હેતશું રે.’ એ કીર્તનના ત્રીજા પદમાં સાચા સંતને ઉપમા શી આપવી?” એવા વિકલ્પ કરતાં થકા સરસ પ્રશ્નોતરી પદ બનાવ્યું છે. આ રહ્યું સાચા સંતની શક્તિને આરાધનારું એ જ પદ..

अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧૦

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;      

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;        

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૫ / ૮

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,          

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૪ / ૮

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;    

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪
www.swaminarayankirtan.org © 2025