દાદાને દરબાર પોઢ્યા છે વાલો સહજાનંદ અવતારી રે દાતણ પાણી લઇને આવ્યા ૧/૧૦

દાદાને દરબાર પોઢ્યા છે વાલો, સહજાનંદ અવતારી રે;
દાતણ પાણી લઇને આવ્યા, જગાડવા બ્રહ્મચારી રે...દાદાને૦ ૧
સ્વામી પ્રેમાનંદજી પ્રેમે, ધોળ પ્રભાતી ગાવે રે;
હેતે હેતે ધીરે સ્વરે, વાલમજીને બોલાવે રે...દાદાને૦ ૨
બ્રહ્મચારી દ્વાર ખોલે, બોલે જાગો દયાળુ રે;
સંતો આવ્યા દર્શન કરવા, ઉઠોને હરિ હેતાળુ રે...દાદાને૦ ૩
બ્રહ્માનંદજી લાવે સરોદો, ધીરે ધીરે વગાડે રે;
જ્ઞાનજીવન કહે સંતો પ્યારા, પ્રાણપતિને જગાડે રે...દાદાને૦ ૪

મૂળ પદ

દાદાને દરબાર પોઢ્યા છે વાલો

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
શુક્લ બિલાવલ
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0