પાયા પાયા વચનામૃતના પાન રે કોડીલે આજ કૃપા કરી રે લોલ ૧/૧

પાયા પાયા વચનામૃતના પાન રે,
કોડીલે આજ કૃપા કરી રે લોલ...ટેક.
કુડી માયા તજાવી દીધી ભગવાન રે,
મોહનવર મહેર કરી રે લોલ...૧
બોલ્યા બોલ્યા બળિયોજી અવિનાશ રે,
કે સૂણો મારી વાતડી રે લોલ...૨
રાખો રાખો મારો દઢ વિોંેંાસ રે,
ન ડગો દિન રાતડી રે લોલ...૩
કરો કરો મુજમાં અતિદઢ પ્રીતી રે,
કે કરવા જેવું એજ છે રે લોલ..૪
રહો રહો આનંદમાં અતિ અતિ રે,
ઉપદેશ તમને એજ છે રે લોલ...૫
કરો મારું ભજન કીર્તન આનંદે રે,
આ રૂડો અવસર આવીયો રે લોલ...૬
જ્ઞાનજીવન રાજી થઇ સહજાનંદે રે,
ઉપદેશ એવો આપીયો રે લોલ...૭

મૂળ પદ

પાયા પાયા વચનામૃતના પાન રે

મળતા રાગ

આવ્યા આવ્યા બ્રહ્મમોલ નિવાસી રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી