મરછ રૂપ ધર્યું તે મોરાર, વિધિ વેદ વાળી લાવ્યા ચાર; ૧/૧

પદ-૧ (રાગ :ચોપાઇ)

પદ-૧૧૦

મરછ રૂપ ધર્યું તે મોરાર, વિધિ વેદ વાળી લાવ્યા ચાર;

શંખાસુરનો કીધો સંહાર, તેને કોણ ન માને ગમાર.૧

બની વારાહ નિજ ઇચ્છાથી, લાવ્યા ભૂમિ રસાતળમાંથી;

હિરણ્યાને હણ્યો અસુરાર, તેને કોણ ન માને ગમાર.૨

નરસિંહ રૂપ ધર્યું નરવિર, માર્યો હિરણ્યકશિપુ અચિર;

ભક્ત પ્રહલાદની કરી સાર, તેને કોણ ન માને ગમાર.૩

વપુ વામન ધરિયું રૂપ, છળ્યો બળીરાજા મોટો ભૂપ;

પછી રહ્યા તેને દરબાર, તેને કોણ ન માને ગમાર.૪

પરશુ રૂપ ધરી ફરસી લીધી, વસુંધરા નક્ષત્રી કીધી;

હણ્યા ક્ષત્રિ એકવીશ વાર, તેને કોણ ન માને ગમાર.૫

રામ રૂપ ધર્યું રણધીર, માર્યો રાવણ પ્રૌઢ શરીર;

વાળી લાવીયા સીતા નાર, તેને કોણ ન માને ગમાર.૬

કૃષ્ણ ગોવરધન ધાર્યો, વળી મામા તે કંસને માર્યો.

હણ્યા દૈત્યોને ઉતાર્યો ભાર, તેને કોણ ન માને ગમાર.૭

બુદ્ધ અવતાર મોહ પમાડી, હણ્યા અસુરો દૈત્ય અનાડી;

કર્યા જીવ ઘણા ભવપાર, તેને કોણ ન માને ગમાર.૮

રૂપ કલકી કેશવ થાશે, ત્યારે કળીમળ કુસંગ જાશે;

ધર્મ સ્થાપશે તે સદાચાર, તેને કોણ ન માને ગમાર.૯

દસ આદિ ચોવિસ અવતાર, ધરી ઉતારે ભુમીનો ભાર;

જ્યારે અધર્મ થાય અપાર, ત્યારે પ્રભુ ધરે અવતાર.૧૦

જે જે સમે જે જે અવતાર, હોય તેને ભજે નરનાર;

તે તો ઉતરે ભવજળ પર, તેમાં સંશય નહિ લગાર.૧૧

આજે ભક્તિ ધર્મના કુમાર, આવ્યા તારવા જીવ અપાર;

તેને ભજો ધરી અતિ ભાવે, એમ દાસ નારાયણ ગાવે.૧૨

મૂળ પદ

મરછ રૂપ ધર્યું તે મોરાર, વિધિ વેદ વાળી લાવ્યા ચાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી