અમદાવાદમાંરે વાલે આપ્યો છે આનંદ;૩/૪

 પદ-૩/૪                     પદ-૩૬૫

અમદાવાદમાંરે વાલે આપ્યો છે આનંદ;
                        ઝાઝા જીવનારે કાપ્યા ભવસાગરના ફંદ.        ૧
જેતલપુરમાંરે વાલે કીધો છે જગન;
                        બ્રહ્મ તલાવમાંરે નાહ્યા નટવર જગજીવન.       ૨
દયાળુ દયા કરીરે ડંકો દીધો છે ડભાણ;
                        કોટિક જીવનાંરે કીધાં અલબેલે કલ્યાણ.          ૩
ત્યાંથી વિચર્યારે વાલો આવ્યા છે વડતાલ;
                        શ્રીજી સભા કરીરે બેઠા ગોમતિજીની પાળ.       ૪
ધર્મ જ્ઞાનનીરે વાલો કરતા રૂડી વાત;
                        નારણદાસનોરે સ્વામી પુરુષોત્તમ સાક્ષાત.       ૫

મૂળ પદ

સજની આ સમેરે આવ્યા અવતારી આધાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી