કહું કુંડળમાં હરિકૃષ્ણ પધાર્યા પ્રીતે પટગર તણે દરબાર સંત સહિતે ૧/૧

કહું કુંડળમાં હરિકૃષ્ણ પધાર્યા પ્રીતે, 
પટગર તણે દરબાર સંત સહિતે...ટેક.
રાઇબાઇએ રંધાવ્યા અન્ન રૂડા પકવાન, 
એવું જોઇને તેહ પ્રત્યે બોલ્યા ભગવાન;
માજી પાળે છે સહુ સંત નિયમ રસકસના રે, 
નહિ જમે સંત પકવાન બગડશે મફતનાં...                     કહું૦ ૧
એવી સુણી વાલાની વાત કહે રાયબાઇ, 
આવી શા માટે કરો છો હરિ હઠિલાઇ;
અમ આંગણે બેસી જો સંત જમે નહિ લાડુ, 
અમ બાળકો રહેશે ભૂખ્યા ન અન્ન ચખાડું...                   કહું૦ ૨
નહિ જમે નાના બાળ તે કેમ જોવાશે, 
પછી ઘરનાં સર્વે વડીલોથી કેમ જમાશે;
છે સાંઠ માણસનું હે હરિ કુટુંબ અમારુ, 
રહી ભૂખ્યુ ને તરસ્યું મરશે આ સંતની સારુ...                 કહું૦ ૩
માટે દયા કરોને મારા પ્રાણ દયાળુ ભગવાન, 
રસકસનાં તજાવી વર્તમાન જમાડો પકવાન;
રાયબાએ આવી પ્રેમથી પાર્થના કીધી, 
રાજી થઇને અલબેલાએ આજ્ઞા દીધી...                          કહું૦ ૪
જમો મારા વાલા સંત હવે પકવાન, 
પણ જમતાં જમતાં ધરજો હરિનું ધ્યાન;
હરિભકતો તમે સહુ મારૂં વચન સુણી લેજો, 
હવે નિત્યનિત્ય નવલી રસોઇઓ સંતને દેજયો               કહું૦ ૫
એમ કુંડળમાંહેથી કૃષ્ણ કરુણા રેલાણી, 
પછી સર્વે સંપ્રદાય માંહી તે ફેલાણી; 
જન સારુ નગારૂ તગારૂ, તાવડો મંડાણો, 
કહે જ્ઞાનજીવન કુંડળ થકી એમ જાણો...                        કહું૦ ૬
 

મૂળ પદ

કહું કુંડળમાં હરિકૃષ્ણ પધાર્યા પ્રીતે

મળતા રાગ

મળી બુટોલપુરની માંહી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી