Logo image

છાંડીકે શ્રી કૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;

પદ ૧/૪ ૫૦૫
 
છાંડીકે શ્રીકૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;કાટી ડારો કર મેરો, તીખી તરવારસે. ટેક.
ત્યાગીકે રસિક કાન, ઓરકો જો ધરુ ધ્યાન;ચીર ડારો છાતિ મેરી, કઠીન કુઠારસેં. છાંડીકે ૧
કૃષ્ણ બિન અન્ય જેહી, ઇષ્ટ જાની નમું તેહી;ફોર ડારો શિર મેરો, મુશળ પ્રહારસેં. છાંડીકે ર
મુક્તાનંદ કહે મોય, ઓર જો પ્રતીત હોય;જાનીયો અધિક નીચ શ્વપચ લબારસેં. છાંડીકે ૩ 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
ખુમારી, કેફ, લક્ષણ, નિશ્ચય, દ્રઢતા, હિન્દી
વિવેચન:
આસ્વાદ : મુક્તાનંદ સ્વામી જ્ઞાનપ્રધાન કવિ છે. એમનાં કાવ્યોમાં સૂક્ષ્મ પૃથક્કરણ , શાંત, તર્કસરણી , પશ્ચત્તાપમાંથી નીતરતું નિશ્ચયાત્મક જ્ઞાન અને ઉચ્ચ વિચારોના મહામૂલા મૌતીકો ઠેર ઠેર દ્રષ્ટિગોચર થાય છે. વ્રજભાષામાં રચાયેલ પ્રસ્તુત પદ પ્રાસાદિકતા, શબ્દસૌષ્ઠવ, અર્થવૈભવ તેમાં જ પદલાલીત્યથી ભરપૂર છે. કાવ્યની પંક્તિએ પંક્તિએ અને શબ્દે શબ્દે કવિના વ્યથિત હૃદયનો પશ્ચાત્તાપ વ્યક્ત થયા વિના રહી શકતો નથી. સ્વામીને ભાન થઇ ગયું છે કે પૂર્ણ પુરુષોત્તમ સ્વામી શ્રી સહજાનંદ વિના અન્યમાં કિંચિત્‌ પણ નિષ્ઠા રાખીએ તો ભયંકર ભૂલ થઇ ગઈ, પણ હવે પછી આવું કદિ નહિ બને ! અને જો ભૂલેચૂકે પણ એવું થઇ જાય તો સખતમાં સખત સજા ભોગવવા એ તૈયાર છે. અહીં કવિનો દ્રઢ સંકલ્પ અને શ્રીજીમાં અનન્ય નિષ્ઠાની દ્રઢતા પુરવાર થાય છે. “છાંડી કે શ્રીહરિકૃષ્ણદેવ “ એ પંક્તિના ઉપાડ સાથે પદનો પ્રારંભ કરતાં સ્વામી જાહેર કરે છે કે હવેથી પ્રગટ પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી સિવાય અન્ય કોઈ દેવ-દેવીની કે સંત ગુરુની જો હું સેવા કરું તો મારો હાથ તીક્ષ્ણ તલવારથી કાપી નાંખતા અચકાશો નહિ. અહીં ‘શ્રીહરિકૃષ્ણદેવ’ એ શબ્દ દ્વારા કવિને પોતાના ઇષ્ટ આરાધ્ય પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી જ અભિપ્રેત છે. કૃષ્ણાવતાર પહેલા પણ કૃષ્ણ નામ જાણીતું હતું , એટલું જ નહિ પણ કૃષ્ણ ઉપાસ્ય દેવ ગણાતા. કૃષ્ણ એટલે પોતાના તરફ આકર્ષે તે. અનાદિ પરમતત્વ એ જ કૃષ્ણ યા ને પરમ આકર્ષણનું કારણ છે અને એટલે જ સંપ્રદાયના ગ્રંથોમાં શ્રીજીમહારાજને સ્થાને ઘણી જગ્યાએ શ્રીકૃષ્ણ શબ્દનો પ્રયોગ થયો છે. કવિ આગળ કહે છે.એ પરમ રસિક સ્વરૂપ વિના જો અન્યનું ધ્યાન થઇ જાય તો હૃદયને સખત પ્રહારથી ચીરી નાખો અને એ પ્રભુ સિવાય અન્ય સ્વરૂપને જો મસ્તક ભૂલથી પણ નમી જય તો મારા મસ્તકને ફોડી નાખો. કેટલી બધી પ્રબળતા છે સંકલ્પની! સ્વામી તો મા‌ને છે કે જો સહજાનંદ સ્વામી વિના અન્યમાં પ્રતીતિ થઈ જા‌ય તો મારા જેવો કોઈ નીચ ને લબાડ નહિ હોય. સ્વામીએ પોતાના મિષે આપણને જ આ બધું સમજાવ્યું છે અને એ પણ કેટલી બધી સભાનતાથી (awareness), કેટલી બધી દ્રઢતાથી! પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણ મળ્યા પછી અન્યમાં પ્રતીતિ કરાવી , એ વ્યભિચારિણી ભક્તિ છે. એના જેવું નીચ કર્મ એકેય નથી. અને એના માટે સખતમાં સખત પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ એવી ;સત્સંગની માં’ ગણાતા મૃદુભાષી ઋજુ સ્વભાવના મુક્તાનંદ સ્વામીની દ્રઢ માન્યતા છે, એવું પ્રસ્તુત પદના પઠનથી પ્રતીત થાય છે. આ વ્રજભાષી પદમાં મુક્તમુનિએ સરળ ભાષામાં પણ સરસ રીતે, સચોટતાથી પતિવ્રતા ભક્તિની ટેક પ્રેરણાદાયી બોધકાવ્ય છે.
ઉત્પત્તિ:
બ્રહ્મચર્યની સહજ વૃતિ સાથે મુકુંદદાસ યોગ્ય ગુરુની શોધમાં બાબા દ્વારકાદાસથી માંડીને મહંત તુલસીદાસજી પર્યંત અનેક સંત મહાત્માઓને મળી ચૂક્યા હતા, પણ જયારે સદ્‌ગુરુ રામાનંદ સ્વામીનો મેળાપ થયો ત્યારે જ એમનાં અંતરમાં શાંતિ થઇ અને મુકુંદદાસજી મુકતાનંદ સ્વામી બન્યા. મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદજીને જ ભગવાન માનતા. ગુરુ પ્રત્યે એમને અપાર નિષ્ઠા હતી. સં. ૧૮૫૬માં શ્રીજીમહારાજ સત્સંગમાં પધાર્યા ને સં. ૧૮૫૮ માં સદ્‌ગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને ધર્મધૂરા સોંપી દેહોત્સર્ગ કર્યો. મહારાજે જયારે પોતાનું પૂર્ણ પુરુષોત્તમપણું પ્રગટ કર્યું ને સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠાને કારણે જ મુક્તાનંદ સ્વામી ખૂબ મૂંઝાયા. પરંતુ કાલવાણીમાં રામાનંદ સ્વામીએ દિવ્યરૂપે દર્શન આપી મુક્તાનંદ સ્વામીની ભ્રમણા ભાંગી એમને શ્રીહરિનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. આ ઘટના પછી પણ મુક્તમુનિના અંતરમાં ગુરુ પ્રત્યે જે ભગવદ્‌ભાવ ને મહિમા દ્રઢ થયેલો તે યથાવત્‌ રહેલો. ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠાને કારણે મુક્તમુનિ પોતાની પૂજામાં રામાનંદ સ્વામીની કોપીનનો આડબંધ ગુરુની પ્રસાદીરૂપે રાખતા અને દરરોજ પૂજા કરતી વખતે ખૂબ જ ભક્તિભાવપૂર્વક એ આડબંધને આંખે અડાડતા. એકવાર સદ્‌ગુરુ પરમચૈતન્યાનંદ સ્વામી સવારે પૂજા કરીને મુક્તાનંદ સ્વામીના આસને સ્વામીના દર્શન કરવા આવ્યા ત્યારે મુક્તમુનિ પૂજા કરી રહ્યા હતા. પરમચૈતન્યાનંદ સવામીને જોઇને મુક્તાનંદ સ્વામીએ એમની પૂજામાંથી ગુરુની કોપીનનો આડબંધ લઈને તેમણે બતાવતાં કહ્યું : ”સ્વામી ! આ રામાનંદ સ્વામીની પ્રસાદી છે, દર્શન કરો.” આ સાંભળી પ્રસાદીના દર્શન કરવાને બદલે પરમચૈતન્યાનંદ સ્વામી આંખો મીંચી આડું જોઈ ગયા. મુક્તમુનિને આશ્ચર્ય થયું : “ કેમ સ્વામી ! શું થયું’ પરમચૈતન્યાનંદ સ્વામી કહે : “હું પતિવ્રતા ભક્ત છું, મારી એકાંતિક ભક્તિ આરાધનામાં અન્યની ઉપાસનાને કોઈ સ્થાન નથી.” મુક્તમુનિ પરમચૈતન્યાનંદ સ્વામીનો ઉપાલંભ સમજી ગયા . એમને પોતાની ભૂલ તત્કાળ સમજાઈ ગઈ , તરત જ પોતાને તાપવા માટે પાસે મૂકેલી સગડીમાં મુક્તાનંદ સ્વામીએ તે પ્રસાદીરૂપ આડબંધનો ટુકડો મૂકી દીધો. સળગતા દેવતામાં ચાર .... ચાર કરતો એ ટુકડો બળી ગયો, સાથે જ પશ્ચાત્તાપના અગ્નિમાં સ્વામીના અંતરના રહ્યા સહ્યા સર્વ સંકલ્પ બળીને ભસ્મસાત્‌ થઇ ગયા. સ્વામી તો કવિ હૃદય હતા, એમનાં અંતરના ભાવો એમ અવ્યક્ત થોડા બેસી રહે? તરત જ કાવ્યના શબ્દોમાં અંતરની આરત વાણી પ્રગટ થવા માંડી:

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025