પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે; પ્રગટ વિના જે ભૂત ભવિષ્ય હે, સો સુપને મેં ન ભાવે...પ્રગટ૦ ૧ જોગી જંગમ તપસી સંન્યાસી, પ્રોક્ષ હી મોક્ષ બતાવે; પ્રગટ પ્રીછ વિના પછિહારે, કુકસ કૂટી ઉડાવે...પ્રગટ૦ ૨ પ્રગટ ભક્તિ અરુ પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ વિના મન નાવે; પ્રગટ મોક્ષ કા પંથ બતાવે, પ્રગટ ભાવ ઉર લાવે...પ્રગટ૦ ૩ પ્રગટ નવલ પ્રભુ પ્રગટ પ્રેમરસ, પ્રગટ સો ભરભર પાવે; પ્રગટ પ્રમાણ પ્રાણજીવન પર, દાસ મુકુંદ બલજાવે...પ્રગટ૦ ૪
પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે
હરિવલ્લભદાસજી સ્વામી-વડતાલ
પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે
અજાણ (ગાયક )
પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ભાવર્થઃ- મુક્તાનંદસ્વામી રાજા હઠીભાઈને ઉદ્દેશીને કહે છે. “હે રાજન! અમે તો પ્રગટના જ ગુણ ગાઈએ અને એનાજ દર્શન કરીએ, ત્યારે જ અમને પૂર્ણ પરમાનંદ પ્રાપ્ત થાય છે. ભૂતકાળમાં થયેલા અનંત અવતારો કે ભવિષ્યકાળમાં થનાર અનંત અવતારો, ભલે સર્વ શક્તિસભર હોય પરંતુ વર્તમાનકાળે આ પ્રગટ શ્રીહરિથી જે આનંદની અનુભૂતિ થાય છે, તેમાં જ પૂર્ણપણું મનાય જાય છે, તેવું પરોક્ષ અવતારોના ગુણગાન ગાવાથી પૂર્ણપણું મનાતું નથી. પૃથ્વી પર વિચરનારું સ્વરૂપ આપણી દ્રષ્ટિએ ભલે અલ્પ લાગતું હોય, પરંતુ તે આત્યંતિક મોક્ષ કરવામાં મહદ્ અંશે ઉપયોગી હોય છે. અર્થાત પ્રગટ વિના આત્યંતિક મોક્ષ થતો જ નથી. માટે જ અમને પ્રગટ પ્રભુ વિના બીજું સ્વપનામાં પણ આવતું નથી. જોગીઓ અને તપસ્વીઓ પરોક્ષ ભગવાનનું ભજન કરવાથી મોક્ષ થાય છે, એમ બતાવે છે. પણ હે રાજન ! પ્રગટ પ્રભુની ઓળખાણ વિના તો એ વાત કૂસકાં ખાંડવા બરાબર છે. II૧II પ્રગટ ભગવાનની ભક્તિ કરવાથી આ ને આ દેહે સર્વ અર્થની પ્રાપ્તિ થાય છે. એટેલે જ પ્રગટ વિના બીજે મન માનતું નથી. હે રાજન ! જો આ શ્રીહરિને વિશે પ્રત્યક્ષપણાનો ભાવ આવે તો આત્યંતિક મોક્ષનો પંથ સરળ અને સુગમ બને છે. પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ સહેલી નથી. જીવનમાં એકવાર પૂર્ણપુરુષોત્તમની પ્રાપ્તિ થાય. જેને પરમાત્મા સાથે આનંદક્રીડા કરવાની તક સાંપડે તથા દર્શ-સ્પર્શનું સુખ સર્વે ઈન્દ્રિયોને મળે, પછી એને ક્યું સુખ પામવાની અપેક્ષા રહે ? અર્થાત્ પ્રગટાનંદના પરમાનંદનો આનંદ માણ્યા પછી સાંસારિક વિષય રસોમાંથી સહેજે અરુચિ થઈ જાય છે. એવો પ્રગટ પ્રભુના પ્રેમરસનો પ્રતાપ છે. એટલે જ મુક્તાનંદસ્વામી પદાંતે પૂર્વાશ્રમના નામનું નામાચરણવાળી કહે છે કે, “ હે રાજન ! આ પ્રગટ પ્રમાણ પ્રાણજીવન ઉપર હું બલિહારી જાઉં છું. આપને વિશેષ તો શું કહું ? પણ પ્રગટ ભગવાનના આશરા વિના સાધકનુ ચિત્ત કદી ઠરીને ઠામ થતું નથી. એ નિર્વિવાદ છે. જુઓ અસાર અને નાશવંત પંચવિષયના સુખથી ઉત્પન્ન થતું સાંસારિક સુખ પામવામાં પણ બધી વાત પ્રગટ જ જોઈએ છે, તો અવિનાશી અને ચિર આનંદને પામવામાં પ્રગટાનંદની કેટલી આવશ્યક્તા હશે ? માટે રાજન ! આપ ઝાઝું ન સમજો તો કાંઈ નહીં, પણ એટલું તો ચોક્કચ માનજો કે, “નામીએ રહિત નામ, કરી શકે ન કામ , નામીએ સહિત નામ પળમાં કરી દે કામ.” નિશાન વિનાનાં બાણમાં ઘા ખાલી જાય તેમ પ્રગટ પ્રભુની શરણાગતિ વિનાની સાધના એકડા વગરનાં મીંડા, વર વિનાની જાન અને પુત્ર વિનાના પારણાં જેવી છે. જે ભક્તની તમામ સાધનાનું ધ્યેય ‘ પ્રગટ પ્રભુ’ જ હોય તો એને પ્રુથ્વીનું વેજું છે. એ તો અલ્પ સાધનાએ મહદ્ પ્રાપ્તિ કરી શકે છે. પ્રગટ પ્રભુની પ્રસન્નતાના પાત્ર બનવાની અપેક્ષા ધરાવાનારને તો વર્તમાનકાળ સુધરી ગયો અને જેનો વર્તમાન કાળ સુધર્યો તેના બધા જ કાળ સુધરી ગયા. ભવિષ્યકાળને સુધારવાની ચિંતા કરનાર પરોક્ષવાદી છે. એ કદી પ્રગટ પ્રભુની પ્રસન્નતારૂપ મોક્ષ મેળવી શક્તા નથી. હે સુજ્ઞ રાજન ! આપણા તો મહદ્ ભાગ્ય છે આપણે તો, પ્રગટ દર્શન, પ્રગટ પ્રસન્ન, પ્રગટ કહેવુ સુણવું વળી, અતિ મોટી એહ વારતા, માનો વણ મળ્યાની મળી. આમ, ગોંડલના દરબાર હઠીભાઈને મુક્તાનંદ સ્વામી પ્રગટ ભક્તિનાં નવરચિત પદો સંભળાવતા જાય છે અને પ્રગટ સ્વરૂપ નિર્ભયપણે ઓળખાવતા જાય છે. આધારાનંદસ્વામી સ્વરચિત હરિચરિત્રામૃત સાગરમાં નોંધ છે કે તે ગોંડલની સભામાં મુક્તમુનિએ આવાં પ્રગટ ઉપાસનાનાં લગભગ પંદરેક પદો ગાયાં છે.
ઉત્પત્તિઃ- સ્વામીનારાયણ સંપ્રદાયનો સોનલવર્ણો સૂર્ય મુમુક્ષુઓના અંતરાકાશમાં ઉદય પામી આચારના આભે અજવાળી રહ્યોછે. બ્રહ્મજ્ઞાનના ઝળહળતા પ્રકાશથી મતપંથીઓની આંખોને આંજી રહ્યો છે. સનાતન વૈદિક ધર્મનાં જીર્ણ થયેલાં ક્લેવરનો કાયાકલ્પ કરી તેમાં નવો પ્રાણ પૂરવા પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ પ્રભુ સંનિષ્ઠ સદ્ગુરુ મુક્તાનંદસ્વામી જેવા સંતના સહારે સત્સંગ વિચરણ કરી સ્વસ્વરૂપને પ્રકાશતા થકા સરધારથી ગોંડલ પધારે છે. શ્રીહરિને આવતા સાંભળી ગોંડલનાં જાડેજા ક્ષત્રિય રાજા હઠીભાઈ તેમણે તથા ભક્ત ડોસાભાઈ,જેઠાભાઈ,રાઘવભાઈ,રૂડાભાઇ આદિક ભાવિક ભક્તોએ ધામધૂમથી સામૈયું કર્યું. અને વાજતે ગાજતે પ્રભુને પૂરમાં પધરાવ્યા. સાંજે સભા થઈ. તેમાં શ્રીહરિએ મુક્તાનંદસ્વામીને કીર્તન ગાઈ વાતો કરવાનું કહ્યું. એટલે સંગીતજ્ઞ સંતોએ સાજ તૈયાર કર્યા. મુક્તાનંદસ્વામીએ રાજાનાં હૈયામાં ઘોળાતા વિચારોને કીર્તનનું સ્વરૂપ આપી નવરચિત પદારંભ કર્યો. રાજા હઠીભાઈ મુમુક્ષુ હતા. પરંતુ ઘોર કળિકાળમાં પ્રગટ ભગવાન ન હોય તેવું તેઓ માનતા હતા. જેથી તે અંતરમાં વિચારી રહ્યાં હતાં, કે આ સ્વામીનારાયણ ભગવાનને સૌ પ્રગટ ભગવાન કહે છે. પણ તે વાત કેમ માન્યામાં આવે ? આમ વિચારી રહેલા રાજાને પ્રસ્તુત કીર્તન સંભળાવી-સમજાવીને સાકાર સ્વરૂપ સહજાનંદસ્વામીના પ્રત્યક્ષપણાનો નિશ્ચય સ્વામીએ કરાવ્યો. તો આવો ! આપણે સૌ એ ગોંડલના રાજા હઠીભાઈના દરબારમાં રચાયેલાં અને ગવાયેલાં પ્રગટ ઉપાસનાનાં પદોનો પરમાનંદ અત્રે માણીએ.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી