Logo image

હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો

હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો;
			સેજ તણા શણગાર છો...જીરે૦ ટેક.
મુખથી શું ઘણું કહીએ મોહન રે, પ્રાણતણા આધાર છો...જીરે૦ ૧
વાલપણામાં અતિશે વહાલા રે, નટવર નંદકુમાર છો...જીરે૦ ૨
દુરિજનિયાને દૂર ઘણા છો રે, પ્રેમી તે જનના પ્રાણ છો...જીરે૦ ૩
મુક્તાનંદ નરનાટક ધારી રે, શરણાગતના સાર છો...જીરે૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
પ્રેમ,સ્નેહ,હેત,પ્રીત, લક્ષણ
વિવેચન:
ભાવાર્થઃ- હે પ્રભુ ! તમે તો અમારા હૈયાના હાર છો. કહેતા જીવન પ્રાણ છો. પ્રેમરૂપી પથારીના શણગાર છો. IIટેકII હે મહારાજ ! અમારા નજીવા એક મુખથી અમે આપને કેટલું કહીએ? આપ તો અમારા જીવનું જીવન, શરીરની શક્તિ અને આત્માનું ચૈતન્ય છો. II૧II આ જગતમાં આપથી અધિક વહાલું બીજું કોઈ નથી. હે ધર્મકુમાર! આપ જ વહાલાંમાં વહાલા છો. II૨II મારા નાથ! દુર્જનને માટે આપ દૂર છો અર્થાત દૂર થાઓ એ બરાબર પણ પ્રેમીજનોના તો આપ પ્રાણ છો, આધાર છો. II3II મુક્તાનંદસ્વામી વિનંતી કરતા કહે છે કે “હે મનુષ્યતન ધારી ભગવાન! શરણાગત ભક્તના તો આપ તારણહાર છો. તો પછી શરણે આવેલા એવા અમોને છોડીને જવાનું ‘પણ’ શા માટે લીધુ છે. II૪II રહસ્યઃ- પદ સુગેય , સરળ અને વિરહાત્મક છે. આ ઢાલ વિલંબિત છે. તાલ હીંચ છે. પદનો રાગ લાંબા ઢાળે ગવાતી ગરબીનો છે. કવિની અંતર વેદના શબ્દે શબ્દમાં વણાણી છે. ‘પ્રેમી તે જનનાં પ્રાણ છો.’ ‘શરણાગતના સાર છો.’ અને અમારા સૌના પ્રાણાધાર છો. જેવી ઉક્તિઓમાં હેતની પરાકાષ્ઠાનું અને ગામ આદ્રેજના અન્નકુટમાં બિરાજેલા ઉદાસીન પ્રભુના પ્રસંગનું દર્શન થાય છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- કાશીના વિદ્વાનોની ગરજ સારે તેવા વડોદરાના પ્રકાંડ પંડિતોની સાથે ગહન શાસ્ત્રાર્થ કરી, અદ્ભુત દિગ્વિજય મેળવી, મુક્તાનંદ સ્વામી ગઢપુર આવ્યા. ત્યારે શ્રીજી મહારા���ે સ્વામીની અતિ પ્રશંસા કરી. તેથી નિર્વિકલ્પાનંદ અને હર્યાનંદને સ્વામીની અદેખાઈ આવી. ઈર્ષ્યાના આવેશમાં ન બોલવાનું બોલી ગયા. તે બન્નેનું આવું અમર્યાદિત વર્તન જોઇ શ્રી હરિ ઉદાસ થઈ ગયા. અમે પણ જેને ગુરુ માનીએ છીએ તેવા મહાન સંતની સાથે પણ આટલો બધો રોશ? એમની સાથે પણ બરોબરિયાપણું ! એકબીજાની સાથે રાગ, દ્વેષ, ઈર્ષ્યા અને અદેખાઈ રહેતા હોય, નાના-મોટાની મર્યાદાનો ભંગ થતો હોય, એકબીજાનું સન્માન સહન ન થઈ શક્તું હોય તો તેવા સમાજમાં રહેવું તે વ્યર્થ છે. આટઆટલો અમારો સમાગમ કર્યા પછી પણ જો આવા અયોગ્ય સ્વભાવ રહી જતા હોય તો અમારે અહીં રહેવાનું શું કામ? માટે અમે તો હવે વનમાં ચાલ્યા જઈશું. આમ, ગંભીર વદને આંખોના આંસુ લૂછતા-લૂછતા શ્રી હરિએ કહ્યું. આનંદનાં વાતાવરણમાં ગ્લાની પ્રસરી ગઈ. સૌના હૈયા કકળવા લાગ્યા. આંખો નીચી ઢળી ગઈ. ત્યાં શ્રીહરિ સભામાંથી ઊઠી અક્ષર ઓરડીમં જતા રહ્યાં. રિસાયેલા રસીલાને જતા જોઈ સૌના પેટમાં ફાળ પડી. જરૂર મહારાજ ચાલ્યા જશે. ધીમે રહી મોટા સંતોએ મનાવ્યા પણ મનોહર માવ માન્યા નહીં. નાના સંતોએ નિર્માનીપણે વિનવણી કરી કે ‘હે પ્રભુ! આપના વિના અમો કેમ જીવી શકીશું ? અમે તો અનાદિના અપરાધી છીએ, પ્રભુ ! કૃપાનાથ કરુણા કરી અમારા ગુન્હા માફ કરો. તમે જેમ કહેશો તેમ જ અમે કરીશુ. આપના વેચ્યા વેચાઈ પણ જઈશું. પણ આપ અહીં રહો. મોટીબા આદિક સ્ત્રીઓએ પણ કહેવડાવ્યું કે અમારી સેવા ભક્તિમાં ભૂલ થઈ હોય તો હે દયાળુ ભગવાન! અમને ક્ષમા કરો. આમ, કોઈ રડે છે. કોઈ કળકળે છે, કોઈ વિનંતી કરી વહાલાને વિનવે છે. પણ કોઈથી અવિનાશીની ઉદાસીનતા ટળી નહીં. પકડ્યું મૂક્યું નહીં, એ ભગવાનની અનાદિ ટેવ હોય છે. જગતની ઉત્પત્તિ કરી પ્રલય કરવામાં પ્રભુને પાપનો ડર નથી હોતો તો પોતાના પાછળ કોઈ પ્રાણ તજી દે તેની ચિંતા ક્યાંથી હોય? હર વખત કરતા આ વખતની ઉદાસીનતા સૌને કઠોર લાગી. મહિનાઓ સુધી મહારાજ ઉદાસીનતામાં રહ્યા. અંતે કંટાળીને મોટીબાએ કહેવડાવ્યું કે હઠીલા હરિને જો જવું જ હોય તો સારાયે સત્સંગની રજા લઈને ભલે જાય. આ વાત શ્રીહરિને ગમી. તેથી આદ્રેજમાં અન્નકુટનો મોટો ઉત્સવ કરવો, અને ત્યાં સૌ સાધુ-સત્સંગીઓને તેડાવી તેમની રજા લઈને જ જવુ, તેમ નક્કી કર્યુ. પછી સંતો ભક્તોને સાથે લઈ ઉદાસીન પ્રભુ આદ્રેજ પધાર્યા. કોઈની સાથે પ્રેમથી બોલતા નથી, પૂરુ જમતા નથી, અને નિરાંતથી ઊંઘતા પણ નથી. મહારાજની મુખમુદ્રા વધુને વધુ ગંભીર બનતી જાય છે. શરીર સુકાતુ જાય છે. આ જોઈ ધીરજતાનો ડુંગર, સૌની ઢાલ અને સારાયે સત્સંગની ‘મા’ એવા મુક્તાનંદસ્વામીની ધીરજ ખૂટી. એ ધીર પુરુષનાં અંતરમાં વિચારોના વાદળાં ચડ્યાં. ગંભીર અંતરાકાશમાં પણ આજે વિયોગના વિચારે ખળભળાટ મચાવ્યો છે. એ દિવાળીના દિવસોએ સૌનાં દિલ દઝાવી દીધાં. પાણીની જેમ ફટ-ફટ ફૂટતા ફટાકડાએ એ ભગવાનસુના ભક્તોના ભીતરમાં ભડાકા કરી કાળો કેર વર્તાવ્યો છે. એ દીપાવલીના દીપોની જ્યોત આજે પ્રકાશના બદલે અંધકાર પાથરી રહી છે. સંવત ૧૮૮૧ ની મધ્યરાત્રી થઈ છે. ભક્તરાજ રતુખાંટના આંગણામાં બેઠેલા ભગવાનનાં લાડીલા સંત મુક્તાનંદ સ્વામી વિચારી રહ્યા છે કે, લાડીલા લાલના લાડ આપણા હાથથી ગયા. નથી સમજાતુ કે ભગવાનની શી મરજી છે? ભક્તના દોષ સામું જો ભગવાન જોશે તો બંધ નહીં બેસે. અરે! આખો સત્સંગ મને ‘મા’ તરીકે માને છે. તો શું ‘મા’ ની હાજરીમાં બાળકો બાપ વિનાના બની જશે? અને જો એમ જ થાય તો મારું માતૃત્વ શા કામનું? વળી. ઉદ્ધવ સંપ્રદાયનું ઓઢણું આઘું ખસતાં આજ દિન સુધીનું કર્યું-કારવ્યું બધું ધૂળમાં મળી જશે. વિઘ્ન સંતોષીઓના વિરોધનો વંટોળ વધુ પ્રબળ બનશે. અરેરે પ્રભુ! આપ સર્વજ્ઞ હોવા છતાં આ શો ખેલ માંડ્યો છે! મારા અપમાનની મને અસર નથી. આપને આટલી બધી અસર શાની?’ પ્રભુ! પ્રભુ! હવે મનની આંટી મેલો. હે દયાળુ! હે દીનબંધુ! અમ ઉપર કાઈક દયા કરો. આમ, સ્વામી વલોપાત કરી રહ્યા છે. આંખમાંથી ચોધાર આંસુઓ ચાલ્યા જાય છે. સરોદ પરથી આંગળીઓ સરકતી જાય છે. એવામાં વળી, અંતરનાં ઉંડાણમાંથી પોકાર ઊઠ્યો, કે મુક્તાનંદ! આ ….જ પ્રભુને તે લોજમાં રોકી દીધા હતા! તીર્થાટનનાં દ્રઢ ટેકીલા નીલકંઠને નિર્માનીપણું અને સાધુતાનાં ગુણથી વશ કરી દીધા હતા મુક્તાનંદ! તો શું આજે એ નીલકંઠમાંથી નારાયણ બનેલા નર પ્રભુને નમાવી કહેતાં નરમ નહીં કરી શકે ? શું કાયમને માટે સત્સંગમાં સ્થિર નહીં કરી શકે ? અંતરનાં આર્તનાદથી ભાવબીના બનેલા સ્વામીનાં હૈયામાંથી હેતની સરવાણીઓ ફૂટી કે, હે હરિ! તમે તો અમારા હૈયાનું હીર છો હીર. હૈયાના હાર છો. પ્રભુ! અમારી પ્રેમ સેજના શણગાર સહજાનંદ! અમને છોડી ક્યાં જશો? કહો અમને છોડી ક્યાં જશો? આમ, હેતના હૈયામાંથી નીકળતી હેત-સરવાણીએ કીર્તનનું સ્વરૂપ પકડ્યું ને જોતજોતામાં એ શબ્દો ચાર પદના ચોકઠામાં ગોઠવાઈ ગયા. કહેવાય છે કે એ નૂતન વર્ષના પ્રથમ દિનનાં પ્રભાતમાં રાત્રિએ રચેલ એ કીર્તનને મુક્તાનંદ સ્વામીએ વિયોગાત્મક દર્દીલા સ્વરે એવી રીતે ગાયું કે આદ્રેજના અન્નકુટમાં આવેલ અનંત ભક્તોની આંખોમાંથી એવી એક પણ આંખ નહોતી કે જેમાંથી આંસુને બદલે લોહી ન ટપક્યું હોય. અરે! ખુદ અનાદિના આળવિતરા અવિનાશી પણ મુક્તમુનિનાં ભાવભીના કીર્તનથી ઓગળી જઈ પ્રેમભીનો પાતળીયો બોલી ઊઠ્યા કે, ‘સ્વામી! રાખો, રાખો હવે અમે સત્સંગમાં જરૂર રહેશું. તમારું હેત જોઈને હું પણ હળવો થયો છું.’ વાંચકો! આ કીર્તન એ છે કે જેને હઠીલા હરિવરને પણ હળવાફૂલ બનાવી દીધા.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025