ક્રોધ શાને કરો રે રાધાજી અમ ઉપરે, ૩/૪

પદ ૩/૪ ૧૧૭૫
 
ક્રોધ શાને કરો રે રાધાજી અમ ઉપરે,ભોળી મન આંણીને ખોટી રે ભ્રાંત,
સમ ખાઇ સાચુ રે કહું છું હવે કામિની રે.જેણે તમે પામો મનમાં રે શાંત. ટેક
આજ મને મળ્યો રે શ્રીદામા ગોવાળિયો રે,ભાવે કરી ભેટ્યો ભુજ ભરી અંક,
નવસરો હાર રે પહેર્યો તો તેણે કંઠમાં રે,.તેનો મારે લાગ્યો છે ઉરમાં રે ડંખ. ક્રોધ ૧
કાજળ સરીખી રે કપોળે રેખા સાઇની રે,લાગ્યો મારો કાગળ લખતાં રે હાથ,
પીતાંબર સાટે રે પટોળી લીધી પ્રમદા રે, .તે તો તમ સારૂં જાણે સહુ સાથ.  ક્રોધ ૨
ગોવાળુને સંગે રે આ વેળા થઇ આવડી રે,તેણે કીધાં કૌતક અનંત અપાર,
મુક્તાનંદનો વાલો રે હસીને કહે કામિની રે,એમાં નથી ફેર ને ફાર લગાર.  ક્રોધ ૩ 

મૂળ પદ

રજનીને અંતરે રે રસિયાજી આવિયા રે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી