Logo image

જગતમેં જીવના થોરા મ ભૂલે દેખી તન ગોરા ખડા શિર કાલ સા વેરી

જગતમેં જીવના થોરા, મ ભૂલે દેખી તન ગોરા;
	ખડા શિર કાળ સા વેરી, કરેગા ખાખકી ઢેરી...૧
કરમકું સમજકે કરના, શિરે નિજ ભાર ના ભરના;
	કાગદ નિકસતહી જબહી, કઠિન હે બોલના તબહી...૨
નહિ ત્યાં સગાં કોઉ અપના, અગનકી ઝાલમેં તપના;
	લેખા જમરાજ જબ કરહી, કિયે કૃત ભોગને પરહી...૩
બ્રહ્માનંદ કહત હે તમકું, ન દીજે દોષ અબ હમકું;
	પોકારે પીટકે તાલી, જાયેગા હાથ લે ખાલી...૪ 
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
નાશવંતપણું, યમદૂત,જમરાજ, હિન્દી
વિવેચન:
ભાવાર્થઃ- સ્વામી કહે છે કે હે મૂઢ જીવાત્માઓ! આ જગતમાં થોડું જીવવાનું છે. છતા સુંદર રૂપને જોઈને તમે તમારી સ્થિતિનું ભાન શા માટે ભૂલો છો. માથે કાળ નામનો અનાદિનો વેરી ઘૂમી રહ્યો છે. એ તો ખ્યાલ છે ને? વાડામાં વાવેલ ચીભડાંના વેલા ઉપર દિવસમાં આંટા મારનારો વાઘરી જેમ પાકેલ ચીભડાને ઉપાડી લ્યે છે, તેમ આ ક્ષણભંગૂર શરીરનો સમય પાકતાં કાળ નામનો પોલિટિકલ એજન્ટ એક જ ઝપાટે આ ગોરા સુડોળ શરીરની રાખની ઢગલી કરી દેશે. II૧II કર્મનો સિદ્ધાંત અફર છે. કર્મની ગતિ ગહન છે. અટપટી છે. “કર્મપ્રધાન વિશ્વકરી રાખા, જો જશ કરાઈ સો તસ ફલ ચાખા.” આખું વિશ્વ કર્મનાં કાયદાને આધારે ચાલે છે. કર્મનાં ફળમાં “દેર હૈ કિન્તુ અંધેર નહીં હૈ.“ ભગવાન કે ભગવાનના મહાન ભક્તો સિવાય ત્રિવિધ કર્મોની ફળશ્રુતિમાં કોઈપણ બાંધછોડ કરી શક્તું નથી, એ નિર્વિવાદ છે. આપણને પ્રશ્ન થશે કે કર્મ એટલે શું? સીધી, સાદી અને સરળ ભાષામાં વ્યાખ્યા કરીએ તો કર્મ એટલે ક્રિયા. ખાવું, પીવું, ન્હાવું, ધોવું, ચાલવું, સાંભળવું, સૂંઘવું, સ્પર્શ કરવો, જન્મવું, જીવવું, મરવું, મારવું, ઈત્યાદિક તમામ શારીરિક કે માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે. પણ આ કર્મના મુખ્યત્વે ત્રણ ભાગ છે. (૧) ક્રિયમાણ કર્મ (૨) સંચિત કર્મ અને (૩) પ્રારબ્ધ કર્મ. માણસ જાગે ત્યાંથી સૂઈ જાય ત્યાં સુધી કે જન્મે ત્યારથી મરે ત્યાં સુધીમાં જે જે કર્મો કરે તેને ક્રિયમાણ કર્મ કહેવાય. ક્રિયમાણ કર્મનું ફળ તરત મળે છે. દા.ત. તમને તરસ લાગી, તમે પાણી પીધું એટલે પાણી પીવાના કર્મથી તરત તરસ મટી ગઈ. તમે કોઇને ગાળ દીધી, તેણે તમને લાફો માર્યો. બસ, ક્રિયમાણ કર્મનું ફળ મળી ગયું. આ કહેવાય ક્રિયમાણ કર્મ. જ્યારે સંચિત કર્મ એટલે? કેટલાક ક્રિયમાણ કર્મ એવા હોય છે કે તે કર્મ કરતાંની સાથે તાત્કાલિક ફળ આપતાં નથી, કહેતાં કરેલા કર્મનું ફળ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તેની ચિંતા રહે તેવાં એકઠાં થયેલાં કર્મને સંચિત કર્મ કહેવાય છે. દા.ત. આજે તમે કોઈપણ જાતની પરીક્ષાનું પેપર લખ્યું પણ જ્યાં સુધી તેનું પરિણામ બહાર ન પડે ત્યાં સુધી પાસ-નાપાસનો જે વિચાર મનને મૂઝવે છે એનું નામ સંચિત કર્મ. અર્થાત આજે તમે જુવાનીના જોરમાં તમારા મા-બાપ કે અન્યને દુઃખી કર્યા તો એ કર્મનું ફળ એકઠું થઈને તમારી વૃદ્ધાવસ્થામાં તમારા જ સંતાન દ્વારા દુઃખરૂપે મળે છે. ટૂંકમાં, જથ્થો થયેલા કર્મોને ‘સંચિતકર્મ’ કહેવાય છે. હવે વાત આવી પારબ્ધ કર્મની ! પ્રારબ્ધ એટલે એકઠાં થયેલાં સંચિતકર્મ પાકીને ફળ આપવાને માટે તૈયાર થાય તેવા કર્મને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. અર્થાત્ જીવનાં ખાતામાં જમા થયેલા શુભ-અશુભ કર્મનું ફળ કાળાંતરે કરીને આ જન્મે યા બીજા જન્મે જે ભોગવવું પડે છે, તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. દા.ત. કોઈ માણસને ગઢપણમાં અસાધ્ય રોગ થાય ને દસ-પંદર વર્ષ સુધી ખાટલામાં પડ્યા-પડ્યા અસહ્ય વેદના ભોગવે છે. હંમેશા ભગવાનને પ્રાર્થના કરે છે.” હે ભગવાન ! હે પ્રભુ ! હવે મારો ક્યારે છૂટકારો થશે?” આમ, આર્તનાદ કરવા છતાં દુઃખનો અંત નથી આવતો. એનું કારણ એ પ્રારબ્ધ કર્મ ભોગવી રહ્યા છે. આમ, આ ત્રણેય પ્રકારનાં કર્મોનું ફળ જીવાત્માની જ સાથે રહે છે. જુઓને લૂલા , બેરા, બોબડા, બાંગા, ત્રાંસા, કેટલાય માનવીઓ જોવા મળે છે. તો શું ઈશ્વરને એવા મોડલ બનાવવાનો શોખ છે? ના, એ તો માનવ માત્રના ઉપરોક્ત ત્રિવિધ કર્મો પ્રમાણે જ ઈશ્વરી પ્લાન્ટમાં મનુષ્ય તનની બોડી બંધાય છે. માટે જ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી મૂર્ખ જીવો ઉપર પણ અનહદ દયા લાવી પ્રસ્તુત પદની બીજી કડીમાં સમજાવે છે કે, “હે જીવાત્મા ! જે કાંઈ કર્મ કર અંતે સમજપૂર્વક કરજે. અજ્ઞાનથી કરેલાં કર્મનો પણ ભાર તારે જ ઉપાડવાનો રહેશે. ઈશ્વરી નિર્ણય મુજબ ચિત્રગુપ્ત, વિચિત્ર અને ચિત્રલેખાએ લખેલ આપણા કર્મોની ખાતાવહીનો કાગળ ધર્મરાજાની આગળ રજૂ કરશે. ત્યારે કેવળ જો અશુભ કર્મો જ કર્યા હશે તો આપણી બોલતી બંધ થઈ જશે. માટે આગળ પાછળનો વિચાર કરીને શુભ કર્મો જ કરવાં.“ II૨II જમપુરીમાં ધર્મરાજા જ્યારે આપણા કર્મનો ન્યાય જોખશે ત્યારે ત્યાં કોઈપણ પ્રકારની આજીજી કે લાગવગ નહીં ચાલે, કારણ કે ચૌદ કરોડ યમદૂતમાંથી આપણો કોઈ પણ સગો થતો નથી . એટલે જ અશુભ કર્મના ફળસ્વરૂપે ચોરાશી પ્રકારનાં નરકુંડમાં અને એકી સાથે બાર સૂર્યના તાપમાં તપવું પડશે. સ્વામી કહે છે કે, “ધર્મરાજા ઘડી ઘડીના લેખાં કાઢીને જ્યારે યમ યાતનાનાં દુ;ખોનો દંડ ફટકારશે ત્યારે તમામ દંડો ભોગવે જ છૂટકો છે.” II૩II મૂઢ જીવાત્માઓને બ્રહ્માનંદસ્વામી હિતેચ્છુ બનીને કહે છે કે, “હું તો સાચી વાત રજુ કરી દઉ છું કે, પાપમય કર્મો કદી કરવાં નહીં. જો આ વાત ન મનાય તો જ્યારે દુઃખ પડે ત્યારે અમને કહેતા નહીં કે અમને કહ્યું નહીં. હું તો તાળી વગાડીને કહું છું કે, સગાં-સંબંધી, કુટુંબ, પરિવાર કે સાંસારિક સુખ સંપત્તિ સાથે નહીં આવે. ત્યાં તો ખાલી હાથે જવાનું છે.” આપણાં પાપ-પુણ્ય પણ આપણી પહેલા ત્યાં નોંધાઈ ગયાં હશે. માટે આપણે તો પંડોપંડ જ જવાનું છે. અને મૃત્યું લોકમાં કરેલા શુભ-અશુભ કર્મનું ફળ ભોગવવાનું જ છે. એ નિર્વિવાદ છે. II૪II રહસ્યઃ- પ્રસ્તુત કીર્તનમાં ચાર પદો છે. દરેક પદમાં અનોખી રીતે સંસારની અસારતાનું, ત્રણેય અવસ્થાનું, ત્રણેય ગુણોનું, દેહ-ગેહનું અને શુભ-અશુભ કર્મનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યુ છે. આ સંત કવિની સાધુતા અને હેતસ્વિતા તો ત્યાં જ જણાય છે કે લગ્ન આનંદિત પ્રસંગે પણ વણવિચારે વરરાજાનું હિત લક્ષમાં લઈ બૃહત વૈરાગ્ય વીંટ્યા વચનો સરી પડ્યાં ! પદનો રાગ લાવણી નિર્દેશાયો છે. પરંતુ શાસ્ત્રીય સંગીતનાં શાસ્ત્રોનું અવલોકન કરતાં લાવણી રાગ ક્યાંય પણ નજરે પડતો નથી. લાવણી તાલ છે પણ રાગ નથી. વિદ્યાગુરુ પાસેથી અને સંગીતનાં અમુક શાસ્ત્રોમાંથી લાવણી ઢંગની એક વિ���િષ્ટ પ્રકારની ગાવાની શૈલી જાણવા મળે છે. અહીંયા પ્રસ્તુત પદમાં આ સુજાણ સંતકવિએ બહુ જ સુક્ષ્મ રીતે વિચારી આ શૈલીનો પ્રયોગ કરેલ છે. કારણ કે ઉત્પત્તિમાં દર્શાવેલ અદ્ભુત ત્રિવેણી સંગમના સમયે ગાયન શૈલી પણ એક વિશિષ્ટ પ્રકારની અદ્ભુત હોવી જોઈએ. એટલે પ્રસ્તુત પદમાં પ્રયોજાયેલી લાવણી શૈલી સુગેયતાની દ્રષ્ટિએ ઘણી કઠિન છે. પરંતુ આજકાલના ગાયકો સંગીતની ઊંડી સાધનાના અભાવે આ શૈલી કવ્વાલીના ઢંગથી ગાઈ છે. અને તેમાં કહરવાના આડલયના પ્રકારનો ઉપયોગ કરે છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- વિતરાગી સંતોના સહવાસે જેમની વૃત્તિઓ નિર્મૂળ થઈ ગઈ છે. સંસારના સુખ તુચ્છ થઈ જતાં જે પરણવું એ પાપ માને છે. એવા દાદાને શ્રીહરિ આજ્ઞા કરે છે કે, ‘દાદા ! તારે અમારી આજ્ઞાથી લગ્ન કરવાં પડશે.” તમારી પાસે જે આવે છે, તેને તો તમે સાધુ થવાની વાત કરો છો. અને મને આ પાપમાં નાખવો છે?’ દાદાએ હળવેકથી કહ્યું, ‘ના, દાદા ! એવું તો નથી, પરંતુ તું એભલકુળનો કુળદીપક છો. તો એ કુળના દીવા મારે ઓલવવા નથી. સંસાર પ્રત્યેની તારી અરુચિ હું જાણું છું, દાદા. છતા, કોઈપણ ભોગે તારે ગૃહસ્થાશ્રમ માંડવો જ પડશે.’ આદેશ આપતાં શ્રીહરિએ કહ્યું. ‘આપની આજ્ઞાની અવજ્ઞા હું કરું તો તો અસુર જ કહેવાઉં ને?’ આંખના આંસુ લૂંછતા-લૂંછતા દાદાએ કહ્યું. દાદા સંમત થયા કે તરત જ લગ્ન લેવાયાં અને પળ એકમાં પરિયાણ કરી સઘળું ગામ જમાડી દીધું. અને જોતજોતામાં તો જાન ઉઘલવાની તૈયારી થઈ ગઈ. પરંતુ મોટી ડેલીવાળા જીવાખાચરના રાગ, દ્વેષ, અને વિરોધના કારણે સ્ત્રીભક્તો કોઈ જાનમાં જોડાઈ શક્યાં નહીં. જેથી શ્રીહરિએ અન્યથાકર્તુ શક્તિ વાપરી જાનડિયું તરીકે નિવૃત્તિ માર્ગને વરેલા અષ્ટ પ્રકારનાં સ્ત્રીધનનાં ત્યાગી સંતોને દાદાની જાનમાં જોડાવા આજ્ઞા કરી, એટલે સ્વેષ્ટદેવની આજ્ઞામાં જ ધર્મની ઈતિશ્રી માનનારા સર્વ જોગીરાજો મોટા મોટા પાઘડા માથા ઉપર મૂકી ખંભે ખડિયો ભેરવી અને હાથમાં ગૌમુખી લઈ જાનનાં ગાડામાં માંડ્યાં બેસવા. એટલે શ્રીહરિએ કહ્યું કે “વરરાજાને ગાડે અષ્ટકવિઓ જ બેસજો.” અને ખુદ શ્રી હરિ પોતાના લાડકવાયા દાદાના સારથિ બની દાદાનું ગાડું હંકાવવા બેઠા. આ હા હા …! કેવો અદ્ભુત ત્રિવેણી સંગમ ! કેવું અલૌલિક દ્રશ્ય ! અને કેટલી ઊંચી ભક્તવત્સલતા ! ગાડા ખેડુ તરીકે લાડીલો લાલ, જાનડિયું તરીકે વિતરાગી સંતો અને વરરાજા તરીકે ભક્ત શિરોમણિ, નિર્વાસનિક એવા વિશ્વાસી ભક્ત દાદાખાચર. આવા ત્રિવિધ અલૌલિક વિભૂતિઓના સંયોગથી આનંદનો મહાસાગર માજા મૂક્યા વિના રહી શકે ખરો? અવતારી પુરુષના જીવન-કવનના ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે નોંધ્યા જેવા આ અણમૂલા અલૌલિક પ્રસંગાનંદમાં સૌ તરબોળ થતા જાનમાં જોડાયા. ને જોતજોતામાં જાન ઊપડી ભટ્ટ્વદર ભણી. પરંતુ “જેની પાસે ગુણ જેવો રે તેવો આપે સેવકને.” એ ન્યાયે શરીર, સંપત્તિ, સંતતિ અને સ્ત્રીના સુખની અસારતાનો આબેહૂબ ચિતાર આપતાં અષ્ટકવિ માંહેની એક જાનડી (બ્રહ્માનંદ) ના અંતરમાંથી લીંબુ, મરચાં અને મીઠાનાં પાણીમાં બોળેલા ચાબખારૂપ સરી પડ્યું આ પ્રસ્તુત પદ.

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અખિયાં શ્યામકે રંગ રાતી હો ૪/૪

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અગર ચંદનથી રે, ઓરડીએ ભીંતો ઓપી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અચજા મું ઘર કાનડે વલા, અચજા મું ઘર કાનડે વલા ૪/૪

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અજબ વસંત વધાવા ચાલો સબ સખી સાજ કરીને

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અજ્ઞાની સમજ ક્યા સૂતા, જમનકા ખાયગા જૂતા 4/4

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અડખેપડખે રે, રહ્યાં તીરથ બીજાં આવી..૩/૪

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અતિ અણિયાળી આંખડી રે ઓપેઅજબ અનુપ ..

બ્રહ્માનંદ સ્વામી
૬ / ૮

અતિ હરખ વધાઇ આજ વદે વ્રજવાસી રે..

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અતિ હેતે કરી મંગળ આરતી કરીએ કમલા વરની રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અદ્ભૂત રસ ભરકે જો ઉઠાવત પ્રીતમ પ્રાણપિયા પિચકારી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૨

અપના યા જગમેં નહીં કોય

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અબ તો કનૈયા, રખું નેનનને રે હો...

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અમ પાસે તારે તારે રે, આવીને શું કહેતા જી;

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અમને ગયા છો વાઇને રે વહાલા અમને ગયા છો વાઇને

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૮

અમને તો જોગની વાત ઉદ્ધવજી, અંતરમાં નવ ભાવે રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અમારે મંદિરિયે આવ્યા રે, અમારે મંદિરિયે આવ્યા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અમે ઓળખ્યા તમને આજ, તમે ધૂતારડા રે

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૮

અમે કો’ વ્રજમાં કેમ રૈયે, મૈયા રે તારો લાલ અટારો ૩/૪

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અરથ સાધી લે તારો રે, અવસર આવ્યો સારો.

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અલખ પુરુષ અવિનાશી , ભજ મન અલખ પુરુષ અવિનાશી;

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અલબેલા આવો મારે ઓરડીયે રે..

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અલબેલા આવો રે, કે મળીએ એકાંતે

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૮

અલબેલા મંદિર આવીએ, લેઉં ભામણલાં

બ્રહ્માનંદ સ્વામી
૫ / ૧૨

અલબેલા વર તમ ઉપરે, હું ઘોળી રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અલબેલાજી પ્રાણઆધાર રે, તમ પર વારી રે; તારે નેણે તે નંદકુમાર રે

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અલબેલાજી લાગી આંખડલી રે..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અલબેલારે રંગભીના પિયા, હાંરે રંગભીના પિયારે રંગભીના પિયા

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અલબેલે અધરાતની રે મનમોહન મધરાતની રે, વહાલે વજાડી વેણ

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અલબેલે શ્યામ મોકુ રંગભર મારીરી પિચકારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અલબેલો ખેલત જમુના-તીર

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અલબેલો ખેલત નવલ ફાગ અતિ નવલ રંગ અરુ નવલ રાગ

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૬

અલબેલો રે અલબેલો, છોગાવાળો તે છેલછબીલો રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અલબેલોજી મારે મંદિર, રઢીઆળી વેણ રે, હો સાહેલી ૪/૮

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૮

અલવ ન કરીએ રે અલવીલા

બ્રહ્માનંદ સ્વામી
૭ / ૮

અલવિલા રે તારી આંખડી રે છે જો કમલ તણે આકાર, મોહન મરમાળા.

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અલવીલા મંદિરિયે આવો, તોરા ફૂલ તણા લટકાવો.

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અલવીલા હઠીલા ન કીજીયે રહેજો સમજીને દૂર..

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અલવીલો ઉભો રે જોરાવર..

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અલીરી ઘનશ્યામ સુંદર, હો મોય નીકી વ્રજહુકી શેરી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અલ્યા કહું છું જે પાધરો રેહેજે રે..૫/૮

બ્રહ્માનંદ સ્વામી
૫ / ૮

અલ્યા કેમ વાર્યું નથી કરતો રે, કે કોઇની લાજ નથી ધરતો રે

બ્રહ્માનંદ સ્વામી
૫ / ૮

અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અવસર આવ્યો છે સારો, વરીએ નટવર નંદ દુલારો.

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અવસર એસા નહીં મિલે, તું ભજી લે શ્રીપતિ રામ હો પ્યારે.

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અવિનાશીની મંગળ આરતી જોઇએ ભાવ સહીતી રે

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અષાઢે અલબેલડા, પવન ચાલે અતિ જોર, ઝૂકી આવી આકાશમાં

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૧૩

અહો પ્રભુ ! અચરજ માયા તુમ્હારી, જીસમેં મોહે સકલ નરનારી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૨

આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી ;૩/૮

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

આ નંદનો નાનડિયો રે, અલવ કરે છે આવી આવી

બ્રહ્માનંદ સ્વામી
૫ / ૧૨

આંખડલી જાદુગારી શ્યામની રે

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આંખડલી શરદસરોજ, રસીલા લાલની

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આંખડલીની અણીયેં, વેંધ્યા વાલે આંખડલીની અણીયેં.

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

આંખડલીમાં રાખું છબીલો, વહાલો આંખડલીમાં રાખું

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આંખડલીરો તારો પ્યારો લટકાળો લાલ છે જી રે..

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આંખ્યું અણિયાળી, માવા મરમાળી, રે કાંઈ કીધું, મન મારું લીધું

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આંગણિયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણિયે

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આઓ વ્રજરાજ પિયારી..

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આજ આવ્યા તે કેમ ઉતાવળા, સાચું બોલોને

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૮

આજ ઉજાગરો નેણ દીસે હરિ પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા ..

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આજ ઉત્સવ હરખ અપાર કેશવ કહીએ રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આજ એકાદશી પરમ અનૂપા અઘહન સુદકી આઇ હો

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૨

આજ ગઇતી હું તો જમુનાનાં પાણી, માથે હેલ ઉપાડી રે;

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આજ ગઈતી કાલિંદ્રિને તીર રે, ભરવાને પાણી રે; મેં તો જોયા ત્યાં બળભદ્ર વીર રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આજ ચૌદશ પરવ અનુપ, સુંદર છેલા રે

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ દીઠી મુજને એકલી ધુતારે રે..

બ્રહ્માનંદ સ્વામી
૭ / ૮

આજ નંદ મહરની પોળ, ઉત્સવ ભારી રે ;

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

આજ નંદ મહરને ધામ રે પ્રગટ્યા પ્રીતમ પાતળિયો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આજ પરભાતના અસુરા આવીયા લાલ ક્યાં એવડી વાર લાગી ..

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ બળેવ દિવસ ઉત્સવનો, નંદ તણે ઘર જાઇ રે

બ્રહ્માનંદ સ્વામી
૫ / ૮

આજ મારે આનંદ અંતરે, જગજીવન જોઇને;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ મારે દિવાળી રે હેલી ! આજ મારે દિવાળી.

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૮

આજ મારો જનમ સુફલ થયો આલી, છેલછબીલો આવ્‍યા મારે મંદિરે ચાલી રે

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ મુને સામો મળ્યો છે અલબેલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

આજ મેં ગઇ’તી આલી રે, કાલિંદી તટ.

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૮

આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આજ વસંત અજબ જમુના તટ ખેલ રચ્યો વનમાલી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આજ વહાલો ઊભા છે જમુનાને આરે

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૮

આજ શરદ પૂનમનો ચંદો રે, અતિશે શોભે આકાશે

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આજ સખી ! અલબેલો મુજને, મારગમાં મળિયા સજની

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

આજ સખી અલબેલડો રે, ઉભા છે જમુનાને તીર

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આજ સખી અલબેલો રે વહાલો, ઉભા છે જમુનાને તીરે રે

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ સખી અલબેલો વહાલો, રંગભર ખેલત હોરી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ સખી આનંદ મારા અંગમાં, રસીયો રંગભર રમીયા રે

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ સખી ઉત્સવનો દહાડો, અવતરિયા અવિનાશી રે

બ્રહ્માનંદ સ્વામી
૭ / ૮

આજ સખી જમુનાકે તટમેં, ખેલત કુંજવિહારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ સખી જોને નંદતણે ઘેર, આનંદ ઉત્સવ ભારી રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪
www.swaminarayankirtan.org © 2025