હેલી જોને આ નંદકુમાર, સલૂણો શોભતા; ચાલે મદઝર ગજની ચાલ, રસિક ચિત્ત લોભતા...૧ પ્યારી લાલ સુરંગી પાઘ, અલૌકિક બાંધણી; છૂટા પેચ ઝૂક્યા ચહુ કોર, અધિક શોભા બણી...૨ રૂડી રાજે છે નલવટ રેખ, મનોહર માવને; જોતાં કેસર તિલક અનુપ, વધારે ભાવને...૩ ઊભા અળવ કરે અલબેલ, સખાના સંગમાં; ખેલે બ્રહ્માનંદનો નાથ, રાજેશ્વર રંગમાં...૪
હેલી જોને આ નંદકુમાર, સલૂણો શોભતા
અજાણ (ગાયક )
હેલી જોને આ નંદકુમાર, સલૂણો શોભતા
નિર્વેશ દવે
ભાવાર્થઃ- હે સાહેલી જો તો ખરી ! આ ધર્મકુંવર સહજાનંદજી કેવા શોભે છે. વળી તને ખબર છે! તેની ચાલ મદને હરનાર ગજરાજ જેવી છે. ચિત્તને ચોરનાર છે. II૧II લાલ કલરની પાઘ કોઈ કુશળ કારીગરે કલાત્મક બુદ્ધિથી અવનવી અલૌકિક આંટીઓ પાડી બાંધી છે. ચારે બાજુ છુટા પેચ ઝૂલે છે. તેથી સહજાનંદની શોભા અદકેરી લાગે છે. II૨II મનોહર માવના મુખ પર નલવટ રેખ રૂડી રીતે શોભે છે. વળી કેસર મિશ્રિત અનુપમ તિલક ભક્તના ભાવમાં વધારો કરે છે. II૩II અલૌકિક ભાવવાળા ભક્તોની વચ્ચે ઊભા રહી ભગવાન એવી માનુષીલીલા કરે છે કે જે લૌલિક દ્રષ્ટિએ આળવીતરાઈ કે અટકચાળાવાળી લાગે છે. પરંતુ ભક્તને મન તો એ અલૌલિક ખેલ છે. એટલે જ બ્રહ્મમુનિ કહે છે કે મારો નાથ રાજેશ્વરના રંગમાં અલૌલિક ખેલ ખેલે છે II૪II
ઉત્પત્તિઃ- એક સમે શ્રીજીમહારાજ પાંચાળામાં ઠાકોર શ્રી ઝીણાભાઈના દરબારમાં બિરાજતા હતા. તે સમયમાં કચ્છના ધુવાબરાઈના હરિભક્ત કાશીરામ જમાદાર દર્શને આવ્યા. તેમણે શ્રીજીમહારાજની પૂજા કરી પોશાક પહેરાવી, ભેટમાં કટાર બંધાવી, હાથમાં કમાન (ધનુષ્ય) અને ખભે બાણનો ભાથો ભરાવ્યો. મસ્તક ઉપર લાલ સુરંગી પાઘ ધરાવી. અને તેમાં નંગજડિત કલંગી ખોસી. ને ફૂલના તોરા ધરાવ્યા. પછી મહારાજે ભાથામાંથી તીર કાઢી, વીરાસનવાળી કમાન ખેંચી તીર ચડાવ્યું. આવી શૂરાતન સભર અલૌકિક મૂર્તિને જોઈ સામે બેઠેલા રામપ્રતાપભાઈ બોલી ઊઠ્યા કે, ‘ભૈયા ઘનશ્યામ કી મૂર્તિ બહોત અચ્છી લગતી હૈ.‘ ભાઈને શ્રીહરિના રામચંદ્રજી સ્વરૂપે દર્શન થતાં ભાઈએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી સ્તુતિ કરી. એટલે શ્રીજી મહારાજે એ કમાન અને ભાથું મોટાભાઈને આપ્યાં. અને ભેઠે બાંધેલો મોતીનો ભરેલો કટાર ઝીણાભાઇના ભાઈ ગગાભાઈને આપ્યો. એ સમયની મૂર્તિની અલૌકિક શોભા નીરખી સ્વામીએ પ્રસ્તુત કીર્તનનાં ચાર પદો રચ્યાં છે. એ ચારેય પદમાં તે સમયની શ્રીજીની મૂર્તિના પોશાકનું સંપૂર્ણ વર્ણન છે. ભક્તોના ભીતરમાંથી આનંદ નીતરે છે. હે પ્રભુ ! આવાં અદ્ભુત દર્શન ક્યારેય આપ્યાં નથી. આજની આપની મૂર્તિની શોભાથી અને કરડીકબાણથી અમારા કામાદિક અંતઃશત્રુ વિંધાઈ ગયા છે. અર્થાત્ નષ્ટ થઈ ગયા છે. આમ, ભક્ત-હૃદયમાંથી નીકળતી ભક્તિભાવનાને સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામીએ સખીભાવે ચાર પદના ચોગઠામાં ગોઠવી, એ પ્રસંગને ઈતિહાસના પાને નોંધી લીધો. તેની આ પ્રસ્તુત બંને પદો સાક્ષી પૂરે છે.
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં લગીરી મોય
અખિયાં શ્યામકે રંગ રાતી હો
અગર ચંદનથી રે, ઓરડીએ ભીંતો ઓપી
અચજા મું ઘર કાનડે વલા, અચજા મું ઘર કાનડે વલા
અજબ વસંત વધાવા ચાલો સબ સખી સાજ કરીને
અજ્ઞાની સમજ ક્યા સૂતા, જમનકા ખાયગા જૂતા
અડખેપડખે રે, રહ્યાં તીરથ બીજાં આવી
અતિ અણિયાળી આંખડી રે ઓપેઅજબ અનુપ
અતિ હરખ વધાઇ આજ વદે વ્રજવાસી રે
અતિ હેતે કરી મંગળ આરતી કરીએ કમલા વરની રે
અદ્ભૂત રસ ભરકે જો ઉઠાવત પ્રીતમ પ્રાણપિયા પિચકારી
અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે
અનિહાંરે, વનવન ઘુમત પ્યારો, નટવર નાગર નંદ દુલારો
અપના યા જગ મેં નહિ કોય
અબ તો કનૈયા, રખું નેનનને રે હો
અમ પાસે તારે તારે રે, આવીને શું કહેતા જી
અમને ગયા છો વાઇને રે વહાલા ! અમને ગયા છો વાઇને
અમને તો જોગની વાત ઉદ્ધવજી, અંતરમાં નવ ભાવે રે
અમારે મંદિરિયે આવ્યા રે, અમારે મંદિરિયે આવ્યા
અમારે મંદિરિયે આવ્યા રે (૩) રંગભીનો રાજન
અમે ઓળખ્યા તમને આજ, તમે ધૂતારડા રે
અમે કો’ વ્રજમાં કેમ રૈયે, મૈયા રે તારો લાલ અટારો
અરથ સાધી લે તારો રે, અવસર આવ્યો સારો
અલખ પુરુષ અવિનાશી , ભજ મન અલખ પુરુષ અવિનાશી;
અલબેલા આવો મારે ઓરડીયે રે
અલબેલા આવો રે, કે મળીએ એકાંતે
અલબેલા મંદિર આવીએ, લેઉં ભામણલાં
અલબેલા વર તમ ઉપરે, હું ઘોળી રે
અલબેલાજી પ્રાણઆધાર રે, તમ પર વારી રે; તારે નેણે તે નંદકુમાર રે
અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા
અલબેલાજી લાગી આંખડલી રે
અલબેલારે રંગભીના પિયા, હાંરે રંગભીના પિયારે રંગભીના પિયા
અલબેલે અધરાતની રે, મનમોહન મધરાતની રે
અલબેલે શ્યામ મોકુ રંગભર મારીરી પિચકારી
અલબેલો ખેલત જમુના તીર
અલબેલો ખેલત નવલ ફાગ, અતિ નવલ રંગ અરુ નવલ રાગ
અલબેલો રે અલબેલો, છોગાવાળો તે છેલછબીલો રે
અલબેલોજી મારે મંદિર આવ્યા રે, હો સુણ આલી
અલવ ન કરીએ રે અલવીલા
અલવિલા રે તારી આંખડી રે, છે જો કમલ તણે આકાર, મોહન મરમાળા
અલવીલા મંદિરિયે આવો, તોરા ફૂલ તણા લટકાવો
અલવીલા હઠીલા ન કીજીયે રહેજો સમજીને દૂર
અલવીલો ઉભો રે જોરાવર, જમુના કેરે તીર રે
અલીરી ઘનશ્યામ સુંદર, હો મોય નીકી વ્રજહુકી શેરી
અલ્યા કહું છું જે પાધરો રેહેજે રે, તું જેવી હોય તેને એમ કહેજે રે
અલ્યા કેમ વાર્યું નથી કરતો રે, કે કોઇની લાજ નથી ધરતો રે
અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો
અવસર આવ્યો છે સારો
અવસર એસા નહીં મિલે
અવિનાશીની મંગળ આરતી જોઇએ ભાવ સહીતી રે
અષાઢે અલબેલડા, પવન ચાલે અતિ જોર
અહો પ્રભુ ! અચરજ માયા તુમ્હારી
આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી
આ નંદનો નાનડિયો રે, અલવ કરે છે આવી આવી
આંખડલી જાદુગારી શ્યામની રે
આંખડલી શરદસરોજ, રસીલા લાલની
આંખડલીની અણીયેં, વેંધ્યા વાલે આંખડલીની અણીયેં
આંખડલીમાં રાખું છબીલો, વહાલો આંખડલીમાં રાખું
આંખડલીરો તારો પ્યારો લટકાળો લાલ છે જી રે
આંખ્યું અણિયાળી, માવા મરમાળી, રે કાંઈ કીધું, મન મારું લીધું
આંગણિયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણિયે
આઓ વ્રજરાજ પિયારી, મહલ રંગ
આજ અલબેલો રંગ રમીયા રે રજની, સુખની વાત કહું મારી સજની રે
આજ આવ્યા તે કેમ ઉતાવળા, સાચું બોલોને
આજ ઉજાગરો નેણ દીસે હરિ
આજ ઉત્સવ હરખ અપાર કેશવ કહીએ રે
આજ એકાદશી પરમ અનૂપા, અઘહન સુદકી આઇ હો
આજ ગઇતી હું તો જમુનાનાં પાણી, માથે હેલ ઉપાડી રે
આજ ગઈતી કાલિંદ્રિને તીર રે, ભરવાને પાણી રે
આજ ચૌદશ પરવ અનુપ, સુંદર છેલા રે
આજ દીઠી મુજને એકલી, ધુતારે રે
આજ નંદ મહરની પોળ, ઉત્સવ ભારી રે
આજ નંદ મહરને ધામ રે, પ્રગટ્યા પ્રીતમ પાતળિયો
આજ પરભાતના અસુરા આવીયા
આજ બળેવ દિવસ ઉત્સવનો, નંદ તણે ઘર જાઇ રે
આજ મારે આનંદ અંતરે, જગજીવન જોઇને
આજ મારે દિવાળી રે હેલી ! આજ મારે દિવાળી
આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા
આજ મારો જનમ સુફલ થયો આલી
આજ મુને સામો મળ્યો છે અલબેલો
આજ મેં ગઇ’તી આલી રે, કાલિંદી તટ
આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા
આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ
આજ વસંત અજબ જમુના તટ ખેલ રચ્યો વનમાલી
આજ વહાલો ઊભા છે જમુનાને આરે
આજ શરદ પૂનમનો ચંદો રે, અતિશે શોભે આકાશે
આજ સખી ! અલબેલો મુજને, મારગમાં મળિયા સજની
આજ સખી અલબેલડો રે, ઉભા છે જમુનાને તીર
આજ સખી અલબેલો રે વહાલો, ઉભા છે જમુનાને તીરે રે
આજ સખી અલબેલો વહાલો, રંગભર ખેલત હોરી
આજ સખી આનંદ મારા અંગમાં, રસિયો રંગભર રમિયા રે