બારે માસ પૂરા થયા, આવ્યો માસ અધિક; પ્રીતમ તોય ન પધારિયા, ઠેર્યા મથુરા ઠીક...૧ અધિક મહિને અતિ ઘણી, આશા હતી મનમાંય; તમ વિના ખાલી સેજડી, મળવા મન અકળાય...૨ પહેલી પ્રીત લગાડીને, રહેવું ન ઘટે દૂર; તમ વિના મારા નાથજી, હૈડે દુ:ખ ભરપૂર...૩ બ્રહ્માનંદની વિનતિ, ઉર ધરજો અવિનાશ; મહેર કરીને માવજી, તેડી લેજો તમ પાસ...૪
બારે માસ પૂરા થયા, આવ્યો માસ અધિક, પ્રીતમ તોય ન પધારિયા
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
બારે માસ પૂરા થયા, આવ્યો માસ અધિક, પ્રીતમ તોય ન પધારિયા
અજાણ (ગાયક )
ભાવર્થઃ- હે મારા પ્રાણ આધાર! બારેમાસ પૂરા થઈ ગયા અને અધિક માસ આવ્યો છતાં હે પ્રીતમજી! તમે કેમ ન પધાર્યા? આ અધિક માસે અવિનાશી આવ્યાની આશા ઘણી હતી. તમારા વિના મારા પ્રેમરૂપી પલંગની પથારી ખાલી રહી. હવે તમને મળવા મારું મન અતિશય અકળાય છે. પહેલાં તમોએ પ્રીત કરી, ને લાડ લડાવ્યા, સુખ આપ્યા, રંગે રગદોળ્યા અને ખાંતે ખવડાવ્યા તો હવે છેટે રહેવું ઘટે ખરું? આપના આધારે જ જીવતાં એવા અમોને તમ વિના અતિ દુઃખ થાય છે. માટે સ્વામી કહે છે કે, “હે અવિનાશી! આ વિનંતી ઉર ધરીને, કૃપા કરીને તમારી પાસે તેડી લેજો.” કહેવાય છે કે આ છેલ્લા પદની છેલ્લી કડી બદલવાની દેવાનંદ સ્વામીએ બ્રહ્માનંદસ્વામીને વિનંતી કરેલ પરંતુ આ લોકમાંથી ઉદાસ થયેલ બ્રહ્મમુનિએ પોતાના શિષ્ય દેવાનંદસ્વામીની આ વિનંતી માન્ય રાખી નથી. પણ બ્રહ્માનંદસ્વામીની આ છેલ્લી વિનંતીને શ્રીહરિએ સ્વીકારી પોતાની પાસે તેડી લીધા એ નિર્વિવાદ છે. રહસ્યઃ- સ્વામીએ બારમાસી પદોમાં ૠતુ વર્ણન સાથે ભૂતકાળમાં શ્રીજી મહારાજે જે જે સુખો જે જે સ્થાને આપેલાં હતાં તેને સંભારી-સંભારીને કઠોર વિરહ વેદના ઠાલવી છે. આ બારમાસી પદાવલીમાં વિશિષ્ટતા એ છે કે બારે-બાર પદોનાં નામાચરણની પંક્તિ એક સરખી છે. જ્યારે તેરમા પદની અંતિમ પંક્તિ કાંઈક જુદી રીતે રજૂ કરાઈ છે. આ બારમાસી પદોમાં જે વિરહવ્યથા વર્ણવાયેલી છે. તે અદ્ભુત છે. તેના પ્રેક્ષણથી ચોક્કસ નક્કી થાય છે કે જો શ્રીજીનો પંચભૂતનો દેહ રાખ્યો હોત તો આવાં વિરહનાં પદો ગાઈ ગાઇને એ દેહમાં પ્રભુને પાછા જરૂર લાવત એમાં જરાયે શંકા નથી. એ બારમાસીનાં પદોનો ઢાળ વિલંબિત ઢાળનો ધોળ છે. તાલ દીપચંદી છે. સુગેય છે. વિનંતી, હેત અને પ્રીતિની પરાકાષ્ઠાનું છે. વળી, બ્રહ્મમુનિની કલમે લખાયેલું આ અંતિમ પદ છે.
ઉત્પત્તિઃ- શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી શ્રીજી આજ્ઞા પ્રમાણે સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામી જટિલ સમસ્યાઓને અવગણીને મૂળી મંદિર કરાવી રહ્યા છે. શ્રીજી ધામમાં પધાર્યાને બે વર્ષ પૂરા થવા આવ્યાં છે. એટલે કે સંવત ૧૮૮૮ના જેઠ માસનો પ્રારંભ થયો છે. એવા સમયે એક દિવસ બ્રહ્માનંદસ્વામીનાં અંતરમાં ઊંડાણમાંથી વિરહાત્મક વિચાર સ્ફૂર્યો, ભૂતકાળમાં ભોગવેલા ભગવાનનાં દર્શ-સ્પર્શના સુખની યાદ ઘૂમવા લાગી. સ્વામી ભૂતકાળમા સરી પડ્યા કે વડતાલ મંદિરનો પડથારો પૂરો થતાં મહારાજ મને પોતાની સાથે લઈ ગયા હતા તેવી જ રીતે જૂનાગઢ મંદિરનો પડથારો પૂરો થતાં પ્રભુએ બોલાવી પોતાની પાસે રાખ્યો હતો. તેમ આજે પણ આ મૂળી મંદિરનો પડથારો પૂરો થઈ ઘૂમટીઓ વળાઈ રહી છે. અને શિખરો પણ થઈ ગયાં છે. છતા મને ધામમાં તેડી જવા પ્રભુ કેમ ન પધાર્યા ? માણકી ઘોડી, પૂંજા ડોડિયા અને મુક્તાનંદ સ્વામીને મહારાજ તેડી ગયા. તો શું મને નહીં તેડી જાય ? આમ, વિચારી વિચારમાં ને વિચારમાં સ્વામી નિશદિન ઉદાસ થવા લાગ્યા અને રોજ વિરહાત્મક પદો રચી ગાતા રહ્યા. તેથી દેવાનંદસ્વામી, તદ્રુપાનંદસ્વામી આદિક શિષ્યમંડળને થયું કે, સ્વામી આ પૃથ્વી ઉપર હવે ઝાઝું નહીં રહે. બ્રહ્મમુનિનું બ્રહ્મત્વ પરબ્રહ્મને મળવા મથવા લાગ્યું છે. શ્રીહરિ સ્વધામ સિધાવ્યા હતા એ જ જેઠ સુદ દશમનો આજે દિવસ છે. પૂજા-પાઠથી પરવારી બ્રહ્મમુનિ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે બેસી ગયા. પોતાની પ્રાણજીવનની ઝંખના જોર કરતી જાય છે. કરુણભીના કંઠે વિલાપી પદો ગાઈ રહ્યા છે. એક-બે એમ ત્રણ કલાક સુધી વિરહાત્મક પદો ગાયા અને છેલ્લે વિરહની પરાકાષ્ઠારૂપ બારમાસી પદો શરૂ કર્યાં. ‘જેઠે જીવન ચાલ્યા.” એમ જેઠ માસથી શરૂઆત કરી. સૌ સંતો-ભક્તો મૂળી મંદિરના ઘૂમટમાં એકઠા થઈ ગયા છે. અનેક પ્રકારનાં અપશુકનો થવા લાગ્યાં છે. આકાશમાંથી ઉલકાઓ વર્ષે છે. દિશાઓ પડી ગઈ છે. પ્રચંડ વાયુ વાય છે. મૂળ સોતાં ઝાડ ઉખડી પડે છે. સિતાર સાથે ગાઈ રહેલા બ્રહ્મમુનિના બારમાસી પદોના પોકારથી મંદિરનાં શિખરો ધ્રૂજી ઉઠ્યાં છે. આમ, વિરહાત્મક વાણીથી સૌનાં હૈયા વલોપાત કરવાં લાગ્યાં છે. જોતજોતામાં બાર પદો પૂરાં થયાં. અને પ્રસ્તુત તેરમું પદ સ્વામીએ ઉપાડ્યું, આજે સાઠ વર્ષની વયના બ્રહ્માનંદસ્વામીની કલમે લખાયેલું આ છેલ્લું પદ છે. કહેવાય છે કે આ પદ પૂરુ થતાં પ્રકાશના પૂંજ પથરાયા અને ‘સખા બ્રહ્માનંદ આવો અમારી સેવામાં’ એમ કહેતાંક સહજાનંદસ્વામી પ્રગટ થયા. સૌને દર્શન આપી સખા બ્રહ્માનંદને પોતાના અક્ષરધામમાં તેડી ગયા. પોતાનું સમગ્ર જીવન ઈષ્ટદેવની આજ્ઞા પ્રમાણે સત્સંગને માટે ઘસી નાખ્યું. જેઓએ હંમેશા કાવ્યમંદિરો, પથ્થરનાં મંદિરો અને મુમુક્ષુઓનાં હૃદયમાં ગુણ મંદિરો ચણવાનું જ સેવા કાર્ય કર્યું છે. એવા બ્રહ્મમસ્તીના બ્રહ્માનંદમાંથી સરી પડેલ અંતિમ કાવ્ય પ્રસાદી આરોગી આપણે સૌ ધન્ય બનીએ.
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં લગીરી મોય
અખિયાં શ્યામકે રંગ રાતી હો
અગર ચંદનથી રે, ઓરડીએ ભીંતો ઓપી
અચજા મું ઘર કાનડે વલા, અચજા મું ઘર કાનડે વલા
અજબ વસંત વધાવા ચાલો સબ સખી સાજ કરીને
અજ્ઞાની સમજ ક્યા સૂતા, જમનકા ખાયગા જૂતા
અડખેપડખે રે, રહ્યાં તીરથ બીજાં આવી
અતિ અણિયાળી આંખડી રે ઓપેઅજબ અનુપ
અતિ હરખ વધાઇ આજ વદે વ્રજવાસી રે
અતિ હેતે કરી મંગળ આરતી કરીએ કમલા વરની રે
અદ્ભૂત રસ ભરકે જો ઉઠાવત પ્રીતમ પ્રાણપિયા પિચકારી
અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે
અનિહાંરે, વનવન ઘુમત પ્યારો, નટવર નાગર નંદ દુલારો
અપના યા જગ મેં નહિ કોય
અબ તો કનૈયા, રખું નેનનને રે હો
અમ પાસે તારે તારે રે, આવીને શું કહેતા જી
અમને ગયા છો વાઇને રે વહાલા ! અમને ગયા છો વાઇને
અમને તો જોગની વાત ઉદ્ધવજી, અંતરમાં નવ ભાવે રે
અમારે મંદિરિયે આવ્યા રે, અમારે મંદિરિયે આવ્યા
અમારે મંદિરિયે આવ્યા રે (૩) રંગભીનો રાજન
અમે ઓળખ્યા તમને આજ, તમે ધૂતારડા રે
અમે કો’ વ્રજમાં કેમ રૈયે, મૈયા રે તારો લાલ અટારો
અરથ સાધી લે તારો રે, અવસર આવ્યો સારો
અલખ પુરુષ અવિનાશી , ભજ મન અલખ પુરુષ અવિનાશી;
અલબેલા આવો મારે ઓરડીયે રે
અલબેલા આવો રે, કે મળીએ એકાંતે
અલબેલા મંદિર આવીએ, લેઉં ભામણલાં
અલબેલા વર તમ ઉપરે, હું ઘોળી રે
અલબેલાજી પ્રાણઆધાર રે, તમ પર વારી રે; તારે નેણે તે નંદકુમાર રે
અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા
અલબેલાજી લાગી આંખડલી રે
અલબેલારે રંગભીના પિયા, હાંરે રંગભીના પિયારે રંગભીના પિયા
અલબેલે અધરાતની રે, મનમોહન મધરાતની રે
અલબેલે શ્યામ મોકુ રંગભર મારીરી પિચકારી
અલબેલો ખેલત જમુના તીર
અલબેલો ખેલત નવલ ફાગ, અતિ નવલ રંગ અરુ નવલ રાગ
અલબેલો રે અલબેલો, છોગાવાળો તે છેલછબીલો રે
અલબેલોજી મારે મંદિર આવ્યા રે, હો સુણ આલી
અલવ ન કરીએ રે અલવીલા
અલવિલા રે તારી આંખડી રે, છે જો કમલ તણે આકાર, મોહન મરમાળા
અલવીલા મંદિરિયે આવો, તોરા ફૂલ તણા લટકાવો
અલવીલા હઠીલા ન કીજીયે રહેજો સમજીને દૂર
અલવીલો ઉભો રે જોરાવર, જમુના કેરે તીર રે
અલીરી ઘનશ્યામ સુંદર, હો મોય નીકી વ્રજહુકી શેરી
અલ્યા કહું છું જે પાધરો રેહેજે રે, તું જેવી હોય તેને એમ કહેજે રે
અલ્યા કેમ વાર્યું નથી કરતો રે, કે કોઇની લાજ નથી ધરતો રે
અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો
અવસર આવ્યો છે સારો
અવસર એસા નહીં મિલે
અવિનાશીની મંગળ આરતી જોઇએ ભાવ સહીતી રે
અષાઢે અલબેલડા, પવન ચાલે અતિ જોર
અહો પ્રભુ ! અચરજ માયા તુમ્હારી
આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી
આ નંદનો નાનડિયો રે, અલવ કરે છે આવી આવી
આંખડલી જાદુગારી શ્યામની રે
આંખડલી શરદસરોજ, રસીલા લાલની
આંખડલીની અણીયેં, વેંધ્યા વાલે આંખડલીની અણીયેં
આંખડલીમાં રાખું છબીલો, વહાલો આંખડલીમાં રાખું
આંખડલીરો તારો પ્યારો લટકાળો લાલ છે જી રે
આંખ્યું અણિયાળી, માવા મરમાળી, રે કાંઈ કીધું, મન મારું લીધું
આંગણિયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણિયે
આઓ વ્રજરાજ પિયારી, મહલ રંગ
આજ અલબેલો રંગ રમીયા રે રજની, સુખની વાત કહું મારી સજની રે
આજ આવ્યા તે કેમ ઉતાવળા, સાચું બોલોને
આજ ઉજાગરો નેણ દીસે હરિ
આજ ઉત્સવ હરખ અપાર કેશવ કહીએ રે
આજ એકાદશી પરમ અનૂપા, અઘહન સુદકી આઇ હો
આજ ગઇતી હું તો જમુનાનાં પાણી, માથે હેલ ઉપાડી રે
આજ ગઈતી કાલિંદ્રિને તીર રે, ભરવાને પાણી રે
આજ ચૌદશ પરવ અનુપ, સુંદર છેલા રે
આજ દીઠી મુજને એકલી, ધુતારે રે
આજ નંદ મહરની પોળ, ઉત્સવ ભારી રે
આજ નંદ મહરને ધામ રે, પ્રગટ્યા પ્રીતમ પાતળિયો
આજ પરભાતના અસુરા આવીયા
આજ બળેવ દિવસ ઉત્સવનો, નંદ તણે ઘર જાઇ રે
આજ મારે આનંદ અંતરે, જગજીવન જોઇને
આજ મારે દિવાળી રે હેલી ! આજ મારે દિવાળી
આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા
આજ મારો જનમ સુફલ થયો આલી
આજ મુને સામો મળ્યો છે અલબેલો
આજ મેં ગઇ’તી આલી રે, કાલિંદી તટ
આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા
આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ
આજ વસંત અજબ જમુના તટ ખેલ રચ્યો વનમાલી
આજ વહાલો ઊભા છે જમુનાને આરે
આજ શરદ પૂનમનો ચંદો રે, અતિશે શોભે આકાશે
આજ સખી ! અલબેલો મુજને, મારગમાં મળિયા સજની
આજ સખી અલબેલડો રે, ઉભા છે જમુનાને તીર
આજ સખી અલબેલો રે વહાલો, ઉભા છે જમુનાને તીરે રે
આજ સખી અલબેલો વહાલો, રંગભર ખેલત હોરી
આજ સખી આનંદ મારા અંગમાં, રસિયો રંગભર રમિયા રે