Logo image

બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન

બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન;
	મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન	...૧
મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;
	સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત	...૨
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
	સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ	...૩
અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;
	શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય	...૪
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
	દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર		...૫
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
	સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન	...૬
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
	મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય	...૭
એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નરનારી;
	મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી	...૮
હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
	પ્રેમાનંદનો રે, વાલો વરસ્યા અમૃત મેહ		...૯
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
સંબોધન, બોલ્યા શ્રી હરી રે, પ્રેમાનંદ સ્વામી (વિષે), નિત્ય નિયમ,સાયં પ્રાર્થના
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
નિમ્ન કક્ષા
વિવેચન:
ભાવાર્થઃ- સ્વયં શ્રીહરિ દરેક ભક્તજનને સાવધાન કરી પોતાની અતિ રહસ્યની, અગત્યની એક વાર્તા કરવામાં તત્પરતા બતાવે છે. II૧II મારી મૂર્તિ, મારું ધામ, એ ધામના ઉપયોગમાં આવતા સર્વભોગ અને ધામના સંગી સર્વ મુક્ત વિશુદ્ધ બ્રહ્મરૂપ અને મનુષ્યાકારે હોવા છતા દિવ્ય છે. પરંતુ સત્પુરુષ પાસેથી યુક્તિ શીખ્યા વિના તેને જોઈ કે અનુભવી શકાતા નથી. અદ્વિતીય આત્મસાક્ષાત્કારને પામેલા તત્વજ્ઞ ગુરુની દ્રષ્ટિ લીધા વિના ધામ-ધામી નયન ગોચર હોવા છતાં અગોચર અને અપ્રાપ્ય રહે છે. II૨II નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તે મારું ધામ છે. અમૃતના વિશેષણથી અક્ષરના નામનો નિર્દેશ કરે છે. અમૃત દ્વિઅર્થી શબ્દ છે. અ + મૃત =’અમૃત’ એટલે કે જેનું મ્રુત્યુ નહીં કહેતા જેનો ક્ષય નથી. અર્થાત્ જે તત્વ ક્ષરભાવને પામતું નથી તેવા તત્વને પણ અમૃત કહેવાય છે. ‘न क्षरति इति अक्षर’ અક્ષર પોતે તો કદી ક્ષર ભાવને પામતું જ નથી. પરંતુ ક્ષર તત્વનો સંયોગ કરનાર સર્વપદાર્થ માત્ર અમર બની જાય છે. જેમ અમૃત કદી વિષથી પરાભવ પામતું નથી તેમ અક્ષરામૃતનું પાન કરનાર પામર પણ પંચવિષયોરૂપ વિષથી પરાભવને પામતો નથી. એટલે અહીં શ્રીહરિએ અક્ષરને અમૃતની ઉપમા આપી છે. વળી અક્ષર સર્વ, સામર્થી, દિવ્ય શક્તિ તથા દિવ્ય અને માનુષી કલ્યાણકારી ગુણેયુક્ત અને પુરુષોત્તમના આનંદેયુક્ત રહી એકકળાવચ્છિન્ને સર્વને પ્રત્યક્ષ કરનાર છે. મુક્તોને શુદ્ધ કરી ધામીનું મિલન કરાવનાર છે વળી, દિવ્યગુણોએ અતિ તેજોમય છે. જેના તેજની આગળ કોટિ સૂર્ય-ચંદ્રનું તેજ શા હિસાબમાં! અતિ તેજોમય હોવા છતાં મનુષ્યરૂપ અક્ષરનું ગુણમય તેજ શીતળ છે, શાંત છે. આનંદમય છે. અને મુક્તને ઉપાસના કરવા યોગ્ય છે . છતાં, તે અનુપમ છે. II૩-૪II “स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्“ ‘ભગવત્ સ્વરૂપના બળનો લેશમાત્ર હોય તો પણ મોટા ભય થકી રક્ષાને કરે છે.’ એવા મનુષ્યરૂપ અક્ષરમાં હું દિવ્ય છતાં દ્વિભુજપણે સદા સાકાર સ્વરૂપે વિચરું છું તો પણ દેવોને દુર્લભ છું, કારણ પરમ ગુરુના પરમાશ્રય વિના મારા મહિમાના પારને કોઈ પામી શક્તું નથી કારણ કે એ સ્વતઃ સિદ્ધ છે. નિર્ગુણ છે. ચોવીસ તત્વાત્મક બ્રહ્માંડને પણ ચૈતન્ય કરી સર્વ ક્રિયા કરવાનું સામર્થ્ય આપનાર છે. અન્વયપણે વર્તી જડને ચૈતન્ય અને ચૈતન્યને જડ કરવામાં શક્તિમાન છે. છતા પ્રકૃતિ પુરુષથી પર છે. “निरंजन: परमं साम्यमुपैति” માયાનાં અંજનથી કહેતા માયાના આવરણ રહિત છે. વળી, ઉપાસક પરમાત્માની ઉપાસના કરવાથી પરમ સામ્ય અર્થાત્ તુલ્યભાવને પામે છે. એ બ્રહ્મમુક્તોની સભામાં સ્વતંત્ર છે. જ્યારે પુરુષોત્તમની આગળ પરતંત્રપણે વર્તે છે. વળી, મુણ્ડક ઉપનિષદમાં કહ્યું છે કે “ तपसा चीयते ब्रह्म” બ્રહ્મ પોતે પોતાના અસાધારણ વિજ્ઞાનથી સૃષ્ટિ કરવામાં ઉન્મુખ થાય છે. અર્થાત્ ‘ सः ऐक्षत ‘ એમ બ્રહ્મનું માયા સામું ઈક્ષણ થવાથી સર્ગ થાય છે. ભક્તો આવું મારું પારલૌલિક પરમ શ્રેષ્ઠ ધામ તેમા હું સદાય રહું છું, તે ધામની દ્રષ્ટિથી જ મને પામી શકાય છે. II૫II હવે શ્રીહરિ પોતે, પોતાની શક્તિનું વર્ણન કરતાં કહે છે કે જીવ, ઈશ્વર, માયા, કાળ પ્રધાન પુરુષ અને અક્ષર સહિત હું સર્વનો નિયંતા છું. સહુને મારા પરવશપણામાં રાખું છું. વળી, એ સહુનો પ્રેરક એવો હું સર્વોપરી ભગવાન છું. મારી ઈચ્છાથી અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, પાલન અને લય થાય છે. મારી મરજી ન હોય તો કોઈથી સૂકું તરણું પણ તોડી શકાતું નથી. સમસ્ત ચેતન-અચેતન શરીરનો હું શરીરી છું. જ્ઞાન, શક્તિ, બળ ઐશ્વર્ય, વીર્ય, અને તેજ એ આદિક અનેક કલ્યાણકારી શક્તિઓથી હું સભર છું. માટે હે મમ્‍ આશ્રિત ભક્તજનો ! આવી રીતે મને સર્વ અવતારનો અવતારી સર્વોપરી ભગવાન સમજજો. અતિ કરુણા કરી, મેં મારી અને મારા સ્વરૂપની સત્ય વાર્તા તમારી આગળ કહી છે. તેને ભક્તબુદ્ધિથી સમજજો. મેં તો કેવળ તમારા માટે જ મારા ધામ થકી દેહ ધર્યો છે. ભક્તો ! હું ક્રિયાસાધ્ય નથી. કૃપાસાધ્ય છું. આ પદમાં સ્વયં શ્રીહરિએ જ ધામધામીનું સ્વરૂપ પ્રકાશ્યું જાણી પ્રેમાનંદસ્વામી કહે છે કે આજ તો મારો વ્હાલો અમ્રુતના મેહરૂપ વરસ્યા તે વરસ્યા જ છે. અઢળક ઢળ્યા છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- પ્રસ્તુત કીર્તનની ઉત્પત્તિના ઈતિહાસમાં આપણે જાણ્યું તેમ હવે પછીના નિમ્નલિખિત બે પદો ખુદ શ્રીજી મહારાજે જ રચેલા છે. જેથી આ પદોની વાસ્તવિક્તા અને વિશેષતા વધુ મહત્વપૂર્ણ ગણાય છે. અષ્ટનંદ સંતો રચિત લાખો પદો જોવા મળે છે. પરંતુ ખુદ શ્રીજી મહારાજ રચિત આ બે પદો જ જોવા મળે છે. સંપ્રદાયમાં આ બે પદોને “પ્રસાદીના પદો” માનવામાં આવે છે. કારણ કે ગદ્યાત્મક શાસ્ત્રોમાં જેમ શિક્ષાપત્રી શ્રીજીનું હસ્તલિખિત શાસ્ત્ર ગણાય છે, તેમ પદ્યાત્મક શાસ્ત્રોમાં આ બે પદો શ્રીજીએ જ રચેલા છે. તેથી પ્રગટ ઉપાસી ભક્તોને મતે અતિ મહત્વનાં અને અતિ પ્રસાદીના ગણાય છે. તો કીર્તન ભક્તિના પ્યાસી ભક્તોને વિનંતી કે આ બે પદોને રોજ ગાવાં અને સાંભળવાં એટલે પરમકૃપાળુ પરમાત્મા પ્રસન્ન થશે. વળી, ધામ-ધામીની વાત અને વર્ણન તેમ જ શ્રીજીનો પરમ સિદ્ધાંત શ્રીજીએ પોતે જ આ પદોમાં આલેખ્યો છે. તો વાંચકો ! વધુ સ્થિર થઈ ધ્યાનપૂર્વક આ પદોના રહસ્યને જાણવું જરૂરી ગણાય. માટે આવો, એ શ્રીજીની પ્રસાદીના આસ્વાદનો અનુભવ કરીએ.

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લોભાનીરી, દેખી છબી કુંજબિહારી;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાંમેં અબીર ગુલાલ રે ઇન મોહન ડાર્યો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અખિયાંમેં જાદુ ભારી ગીરધારી રાજ

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અગમ અગાધ બાત ત્રિભુવન નાથ તેરી,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અચાનક અખિયનમેં પિચકારિ રે, ઇન મારી રે,

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અજઉં ન આયોરે પિયરા મોરી પીર ન જાની;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અજબ બની બંગલેકી બેઠક, બેઠે બનવારી બિહારી લાલ

પ્રેમાનંદ સ્વામી
૨ / ૨

અજબ સુરત તેરી બનીરે કનૈયા, કહાં કહું કછુ બનત ન કૈયા.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અટકી રહો ચેહી ઠોર દીલા રે,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અટારિયાં મોરી આજરે(૨), નંદકુંવર નટવર આઇલોરે.1/4

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અડકે વિધવાને અંગે નર જે સતસંગી૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અણિયાળી રે, મરમાળી રે, કાનુડાની આંખલડી

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અતરંગ રસભર મચત બિહારી, કરત કલ્લોલ કલા સકલારી; લેત સરસ રસ તાન પ્યારી.

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અતહિં ચતુર મૈયા મોહન પ્યારો

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ ૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અધિક માસે અલબેલા જાણી, અબળાની પૂરણ પ્રીત રે;

પ્રેમાનંદ સ્વામી
૧૩ / ૧૩

અનંત કળા અનંત રૂપ, અનંત શકિતધર શ્યામ, ૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનવટવા લે ગયો સાવરો, સાવરો કે કાન બાવારો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનિહાંહાંરે અલબેલા મોહન ઘેર આવો,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અનિહાંહાંરે આવો જાદવ જોયા જેવા,

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અનિહાંહાંરે ઝૂલો રસિયાજી રતન હિંડોરે

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અનિહાંહાંરે ઝૂલો સુંદરશ્યામ વિહારી,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અનિહાંહાંરે ઝૂલો હિંડોળે ઘનશ્યામ,

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનિહાંહાંરે ઝૂલો હિંડોળે છેલ ગુમાની,

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અનિહાંહાંરે મનમોહન પ્રીતમ પ્યારા,

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અનિહાંહાંરે વાલી લાગે વાલા તારી વાણી,

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનિહોરે સનેહિ શામળા સોરઠવાસી શ્યામ નેહ નિભાવણ નાથજી છોજી પૂરણકામ

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અનિહોરે સોરઠિયા, નાથજી નવ રહિએ દૂર સનેહ ભર્યા આવી ભેટ્જો

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અનિહોરે સોરઠિયા સાયેબા સોરઠના શિરદાર, સોરઠ ગાતા સાંભરો, શ્રીધર્મ કુમાર. હોરે

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનિહોરે સોરઠીયા શ્રી હરિ તજી સોરઠ દેશ; કયાં રે વસ્યા અલબેલડા તમે નટવર વેષ; હોરે

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અનેક જનમનાં મારા પૂન્ય ઉગીયાં૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અન્નકૂટકો આયો ઉત્સવ, અન્નકૂટકો આયો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અપને લાલકું સીખ લગાયકે બરજ જસોદા રાની

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અપનો બિરુદ બિચારો નાથ, અશરનશરન અધમઉધારન

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ કેસેં કરીહુંરે પ્યારે બિના મોયે પરત ન ચેના;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ કોન તોસે જોરેરે જીયા જોરેરે;૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ તો નાથ નિભાઈ લીજે, જેહી ભુજ તારે પતિત બહુ તાકો

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ તો સનેહી સુધ લીજે જરી

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અબ ધર્મકુંવર કહાં બીલમાયે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૬

અબ ધર્મકુંવર બિસરત નાઇ;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૬

અબ ન જીયુંગી અબ ન જીયુંગી, નંદકુંવર બીના

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ નહિ છોડું ચરન સરોજ, એ ચરનસરોજ, ૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ નહીં છાંડુ ચરન સરોજ નાથ, મન ક્રમ વચ કર ગિરિધર શ્રી હરિ

પ્રેમાનંદ સ્વામી
૧ / ૬

અબ ના દેસાંરે જાવા ના દેસાં કેસરિયા, જાવા ના દેસાં૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અબ ના સુનુંગી તેરી બાંસુરીકી તાન;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અબ પનિયાં ભરન કેસે જાઉં, સાંવરે બિચમેં ધૂમ મચાઇ.

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ મેં કેસી કરુવે, સૈયા મોરી વે સૈયા મોરી;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ મોહે નાહીં ન ચેનારી, બિનું દેખે શ્યામ સુંદરવર સુખ દેના

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ રે મોયે વૃજચંદ, બાવરીયા કીની બાવરી, ૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ સાંવરે બિના માઇ, મોપે રહ્યોઉં ન જાઇ.

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબજી ન ધીરો કોઇરે, કપટીકું, અબજી ન ધીરો કોઇ

પ્રેમાનંદ સ્વામી
૪ / ૬

અબતો તનિક હેરો હમરી ઓર

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબતો નિઠુર ભયે મોરે નાવ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૨

અબતો મેં તુમસેં કનૈયા, ન ડરૂંગિ લરૂંગિ વે;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અબળાની અરજી નાથજી સાંભળજો રે;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અબળાની અરજી વહાલારે સંભાળીને લેજો, ૫/૧૨

પ્રેમાનંદ સ્વામી
૫ / ૧૨

અભિનવો આનંદ અમલ દશો દિશ, પ્રગટે જય જયકારી હો;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અમદાતેવાદમાં આવિયા જીરે, વહાલો નરનારાયણ નાથ; મુનિરાય રે

પ્રેમાનંદ સ્વામી
૫ / ૮

અમને ઓધવ હરિ બહુ સાંભરે રે, ૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અમને રમાડોને રાસ શામળિયા વહાલા અમને રમાડોને રાસ;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અરજ કરે છે અબળા, તે ઉર ધારોરે વહાલાજી

પ્રેમાનંદ સ્વામી
૧ / ૧

અરજ મોરી માનોજી હો, હાંરે ઘનશ્યામ ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૫

અરજી ઉર ધારો રે વહાલા, અવિનાશી અબળા તણી

પ્રેમાનંદ સ્વામી
૫ / ૬

અરજી એક અબળાતણી, તમે સાંભળજો ઘનશ્યામ રે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અરજી સુણજો અલબેલા, કે નંદકુંવર નટવર છેલારે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૧૩

અરસ પરસ દોઉ હોત ગુલતાન, નિજ નિજ મુખકો કરત બખાન

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અરી મા તેરો માધો જાદુ ડારી ગયો, એરી મા તેરો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અરુન ઉદયે દોઉ કરત સિંગાર, નિરખી રતિપતિ કોટિ બલિહાર

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અલબેલા આતમરામ કે પ્રીતમ પાતળિયા

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અલબેલા આનંદકંદ, વાલા લાગો છો, મારા મેટતા ભવના ફંદ

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અલબેલા આવો ઓરા, આંખડલિમાં રાખું વહાલા;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અલબેલા આવો ઓરારે, અરજ કરું છું;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અલબેલા આવો મારે ઘેર, કે જાઉં તારે વારણે રે લોલ

પ્રેમાનંદ સ્વામી
૬ / ૮

અલબેલા આવો રે આજ મારે આંગણે જો,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અલબેલા આવો રે રમિયે એકાંતે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અલબેલા ચતુર નંદલાલ, હો લાડીલા છેલ મોહી તારે છોગાલે,

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અલબેલા તમારે કાજ, ફરું હું તો ઘેલી રે, મને વાલા છો મહારાજ

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અલબેલી ચલત તું નવલ ચાલ

પ્રેમાનંદ સ્વામી
૮ / ૮

અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે.

પ્રેમાનંદ સ્વામી
૧ / ૧૧

અલબેલો ઉઠયા હરિ હસતા, આવીને ઉભા ઓસરીયે૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અલબેલોજી આનંદમાં દીઠડા જો

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અળગા ન મેલું રે અળગા ન મેલું રે, નાથ તમને આંખડલીથી રે ૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪
www.swaminarayankirtan.org © 2025